જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ ઉપસ્થિત તમામ સરપંચોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, "ભારત સરકારના પ્રોગ્રામ અંતર્ગત લોકોમાં વધુ જાગૃતિ આવે તે આપણાં સૌની ફરજ છે. સ્વચ્છતા એ સામાજીક અને આરોગ્ય બંને સાથે સંકળાયેલ છે. તંદુરસ્ત જીવન ધોરણ બને એ માટે સરકારના મિશનને સફળ બનાવીએ એવો અનુરોધ વઢવાણિયાએ કર્યો હતો. નવા કુંટુંબો બન્યા હોય તેઓ પાસે શૌચાલય ન હોય જેથી સરકારી યોજનાઓની જાણકારી અપવામાં આવી હતી.ગૃપ ગ્રામ પંચાયતોમાં એકપણ કુટુંબ શૌચાલય વિનાનું ન રાખવાની તકેદારી સરપંચોની રહેશે."
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે.ડી.પટેલે તમામ સરપંચોને આવકારતા કહ્યું હતું કે, "ડાંગ જિલ્લામાં કુલ 6204 ના લક્ષ્યાંક સામે 1136 શૌચાલયો પ્રગતિ હેઠળ છે. વર્લ્ડ બેન્કની સહાયથી 1094 લક્ષ્યાંક સામે 178 શૌચાલયો બનાવાયા છે. નિર્મળ ગુજરાત, વ્યક્તિગત, NGOઓ સહિત જુદી જુદી યોજનાઓ મળીને કુલ 41,472 શૌચાલયો પૈકી 3000 બનાવવાના બાકી છે. જે વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. અગાઉ ડાંગ જિલ્લો રાજ્યમાં બીજા ક્રમે હતો. જન જાગૃતિ અભિયાનથી આપણે સૌએ લક્ષ્યાંક પૂર્ણ કરી સો ટકા સિદ્ધી મેળવવાની દિશામાં આગળ વધીએ."
આહવા તાલુકા વિકાસ અધિકારી આર.બી.ચૌધરીએ આરોગ્યની ચિંતા કરીને રોગચાળો ન ફેલાય તે માટે શૌચાલયોનો જ ઉપયોગ કરવા તલાટીઓ અને સરપંચોને હાકલ કરી હતી. તો કાર્યક્રમના અંતમાં સ્વચ્છ સુંદર શૌચાલય સ્પર્ધામાં ડોકપાતળ, માલેગામ, પીંપરી, ગલકુંડ, બોરખેત અને કેશબંધ ગામના સરપંચોને એવોર્ડ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે મદદનીશ વધઈ તાલુકા વિકાસ અધિકારી રણજીતકુમાર ઝા, તમામ ગૃપના સરપંચો અને તલાટીઓ હાજર રહ્યાં હતા. જિલ્લા કો.ઓર્ડિ.વિપુલ પરદેશી સહિત ગ્રામવિકાસની ટીમે ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.