ETV Bharat / state

વલસાડ, દમણ અને સેલવાસ મળી 63 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, 33 નવા પોઝિટિવ, 1નું મોત

author img

By

Published : Aug 3, 2020, 8:22 PM IST

રક્ષાબંધનના પર્વ પર કોરોના પોઝિટિવ દર્દીઓમાં રાહતના સમાચાર આવ્યા છે. 3 ઓગસ્ટે વલસાડ, દમણ અને સેલવાસ મળી 63 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે. 33 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 1નું મોત થયું છે.

દમણમાં કોરોનાના કેસ
દમણમાં કોરોનાના કેસ

વાપી: વલસાડ જિલ્લામાં સોમવારે રક્ષાબંધનના પર્વ પર કોરોનાના માત્ર 3 દર્દીઓ જ પોઝિટિવ નોંધાયા છે. 6 દર્દીઓને રજા આપવામાં આવી છે જ્યારે એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે.

જિલ્લામાં કુલ 688 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 203 દર્દીઓ સારવાર હેઠળ છે. 410 દર્દીઓ સાજા થયા છે, જિલ્લામાં અત્યાર સુધીમાં વધુ એક મોત સાથે કુલ 78 દર્દીઓના મોત થયા છે.

દમણમાં કોરોનાના કેસ
દમણમાં કોરોનાના કેસ
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી માટે રક્ષાબંધન પર્વ વધુ શુકનવંતુ તો, દમણ માટે અપશુકનિયાળ બન્યું હતું. તેમ છતાં એકંદરે બંને પ્રદેશના એક પ્રશાસન માટે શુકનવંતુ જ રહ્યું હતું. કેમ કે દાદરા નગર હવેલીમાં સોમવારે સામટા 42 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ્ય થયા છે. નવા દર્દીઓમાં માત્ર 7 દર્દીઓ જ નોંધાયા છે, કુલ દર્દીઓમાંથી હાલ 178 દર્દીઓ સારવાર હેઠળ છે. જેની સામે 378 દર્દીઓએ સારવારમાંથી મુક્તિ મેળવી છે, હજુ પણ 209 કન્ટેનમેન્ટ ઝોન યથાવત છે.દમણમાં 3 ઓગસ્ટ ચિંતાજનક રહી હતી, દમણમાં સોમવારે 23 કોરોના પોઝિટિવ દર્દીઓનો રાફડો ફાટ્યો હતો. જેની સામે 15 દર્દીઓ સ્વસ્થ્ય થયા હતા, દમણમાં અત્યાર સુધીમાં કુલ 426 દર્દીઓ સ્વસ્થ થયા છે. હજુ પણ 195 દર્દીઓ કોરોના સામેની જંગ કોવિડ હોસ્પિટલમાં લડી રહ્યા છે. જેને લઈને 120 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.જો કે કોરોના મહામારીમાં રક્ષાબંધન પર્વ નાગરિકો માટે શુકનવંતુ નીવડ્યું છે. ત્યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની બહેનો માટે પ્રશાસનનો ઇ-પાસનો ફતવો આઘાતજનક રહ્યો હતો. સંઘપ્રદેશમાં પ્રવેશ પર અને બહાર જવા માટે E-પાસનો કાયદો લાગુ હોય બહેનો પ્રદેશ બહાર રહેતા ભાઈને રાખડી બાંધવા જઈ શકી નહોતી, તો પ્રદેશ બહાર રહેતા ભાઈઓ બહેનના ઘરે આવી શક્યા નહોતા.

વાપી: વલસાડ જિલ્લામાં સોમવારે રક્ષાબંધનના પર્વ પર કોરોનાના માત્ર 3 દર્દીઓ જ પોઝિટિવ નોંધાયા છે. 6 દર્દીઓને રજા આપવામાં આવી છે જ્યારે એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે.

જિલ્લામાં કુલ 688 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 203 દર્દીઓ સારવાર હેઠળ છે. 410 દર્દીઓ સાજા થયા છે, જિલ્લામાં અત્યાર સુધીમાં વધુ એક મોત સાથે કુલ 78 દર્દીઓના મોત થયા છે.

દમણમાં કોરોનાના કેસ
દમણમાં કોરોનાના કેસ
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી માટે રક્ષાબંધન પર્વ વધુ શુકનવંતુ તો, દમણ માટે અપશુકનિયાળ બન્યું હતું. તેમ છતાં એકંદરે બંને પ્રદેશના એક પ્રશાસન માટે શુકનવંતુ જ રહ્યું હતું. કેમ કે દાદરા નગર હવેલીમાં સોમવારે સામટા 42 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ્ય થયા છે. નવા દર્દીઓમાં માત્ર 7 દર્દીઓ જ નોંધાયા છે, કુલ દર્દીઓમાંથી હાલ 178 દર્દીઓ સારવાર હેઠળ છે. જેની સામે 378 દર્દીઓએ સારવારમાંથી મુક્તિ મેળવી છે, હજુ પણ 209 કન્ટેનમેન્ટ ઝોન યથાવત છે.દમણમાં 3 ઓગસ્ટ ચિંતાજનક રહી હતી, દમણમાં સોમવારે 23 કોરોના પોઝિટિવ દર્દીઓનો રાફડો ફાટ્યો હતો. જેની સામે 15 દર્દીઓ સ્વસ્થ્ય થયા હતા, દમણમાં અત્યાર સુધીમાં કુલ 426 દર્દીઓ સ્વસ્થ થયા છે. હજુ પણ 195 દર્દીઓ કોરોના સામેની જંગ કોવિડ હોસ્પિટલમાં લડી રહ્યા છે. જેને લઈને 120 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.જો કે કોરોના મહામારીમાં રક્ષાબંધન પર્વ નાગરિકો માટે શુકનવંતુ નીવડ્યું છે. ત્યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની બહેનો માટે પ્રશાસનનો ઇ-પાસનો ફતવો આઘાતજનક રહ્યો હતો. સંઘપ્રદેશમાં પ્રવેશ પર અને બહાર જવા માટે E-પાસનો કાયદો લાગુ હોય બહેનો પ્રદેશ બહાર રહેતા ભાઈને રાખડી બાંધવા જઈ શકી નહોતી, તો પ્રદેશ બહાર રહેતા ભાઈઓ બહેનના ઘરે આવી શક્યા નહોતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.