દાહોદ: જિલ્લાના ગરબાડા તાલુકાના ગુગરડી ગામના માળ ફળિયામાં રહેતી ચાર બાળકીઓ ઢોર ચરાવવા માટે ગામ નજીકના તળાવે ગઈ હતી. જ્યાં ઢોર ચરાવ્યા બાદ પરત ઘરે નહીં આવતા તેની શોધખોળ શરૂ કરાઇ હતી. જેમાં તળાવ કિનારેથી ચારેય બાળકીઓના કપડાં મળી આવ્યા હતા.
જ્યારે ગ્રામજનો દ્વારા તળાવમાં તેમની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે તળાવમાંથી તેમના મૃતદેહ મળી આવતા ગામમાં શોક ફેલાયો છે. જ્યારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
