ETV Bharat / state

ઇન્દોરથી દફનવિધિ માટે પરિવાર સાથે આવેલી નવ વર્ષની બાળકી કોરોના પોઝિટિવ

author img

By

Published : Apr 9, 2020, 11:59 AM IST

મધ્યપ્રદેશના ઈન્દોરમાં હાર્ટ અટેકથી મૃત્યુ પામનાર દાદાના મૃતદેહને લઈને દફનવિધિ માટે દાહોદ આવેલા પરિવારની નવ વર્ષની બાળકીનો કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, નવ વર્ષની બાળકીને દાહોદમાં કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. આ બાળકી અને પરિવારના સંપર્કમાં આવનાર અન્ય બાર જણાને આરોગ્ય વિભાગે લિસ્ટિંગ કરીને પોલીસની મદદથી ક્વોરેન્ટાઇન તજવીજ હાથ ધરી છે.

ઇન્દોરથી દાદાની દફનવિધિ માટે પરિવાર સાથે આવેલી નવ વર્ષની બાળકીને કોરોના પોઝિટિવ
ઇન્દોરથી દાદાની દફનવિધિ માટે પરિવાર સાથે આવેલી નવ વર્ષની બાળકીને કોરોના પોઝિટિવ

દાહોદઃ શહેરના મૂળ વતની અને ઈન્દોરમાં સ્થાયી થયેલા પરિવારના મોભીનું હાર્ટ અટેકથી ઇન્દોર મુકામે મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલ મોભીનો મૃતદેહ લઈને દફનવિધિ માટે પરિવાર દાહોદ મુકામે આવ્યો હતો, ત્યારે સરહદ તેમજ રસ્તામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેમનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારે તમામ નોર્મલ જણાયા હતા.

મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર કોરોનાવાયરસનું હોટસ્પોટ હોવાના કારણે આરોગ્ય વિભાગ દ્વારા ઇન્દોરથી આવેલા મૃતક પરિવારના તમામ સભ્યોનું કોરોના રિપોર્ટની ચકાસણી કરવામાં આવી હતી, આ રિપોર્ટમાં પરિવારના ચાર સભ્યો કોરોના નેગેટિવ હોવાનું બહાર આવ્યું હતું, જ્યારે નવ વર્ષની મુસ્કાન કુંજડાનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું જણાયું હતું. જેની ગંભીરતાને કારણે જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા ઇન્દોર મુકામે પરત ગયેલા એમ્બ્યુલન્સના ચાલકનો કોરોના ટેસ્ટ કરાવવા માટે ઇન્દોરના વહીવટીતંત્રને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બાળકીને કોરોના પોઝિટિવ આવતા એક્શનમાં આવેલા આરોગ્ય વિભાગમાં પણ દોડ ધામ મચી જવા પામી હતી. પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા ઉપરોક્ત મૃતકને દફનવિધિમાં ગયેલા અને પરિવારના સંપર્કમાં આવેલા અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેઓની ટ્રાવેલ હિસ્ટ્રી પણ મેળવવામાં આવી રહી છે. તેમજ દફનવિધિમાં આવેલા દાહોદના 12 જેટલા વ્યક્તિઓની હિસ્ટ્રી મેળવી હતી અને રાત્રિ દરમિયાન તેઓને ક્વોરેન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે. દાહોદ નગરમાં કોરોનાનો કેસ નોંધાતા નગરજનોમાં ભયનો માહોલ ફેલાયો છે, ત્યારે લોકો ઘરે જ રહે, સુરક્ષિત રહે તેવી અપીલ પણ આગેવાનો અને તંત્ર દ્વારા કરવામાં આવી છે.

દાહોદઃ શહેરના મૂળ વતની અને ઈન્દોરમાં સ્થાયી થયેલા પરિવારના મોભીનું હાર્ટ અટેકથી ઇન્દોર મુકામે મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલ મોભીનો મૃતદેહ લઈને દફનવિધિ માટે પરિવાર દાહોદ મુકામે આવ્યો હતો, ત્યારે સરહદ તેમજ રસ્તામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેમનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારે તમામ નોર્મલ જણાયા હતા.

મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર કોરોનાવાયરસનું હોટસ્પોટ હોવાના કારણે આરોગ્ય વિભાગ દ્વારા ઇન્દોરથી આવેલા મૃતક પરિવારના તમામ સભ્યોનું કોરોના રિપોર્ટની ચકાસણી કરવામાં આવી હતી, આ રિપોર્ટમાં પરિવારના ચાર સભ્યો કોરોના નેગેટિવ હોવાનું બહાર આવ્યું હતું, જ્યારે નવ વર્ષની મુસ્કાન કુંજડાનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું જણાયું હતું. જેની ગંભીરતાને કારણે જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા ઇન્દોર મુકામે પરત ગયેલા એમ્બ્યુલન્સના ચાલકનો કોરોના ટેસ્ટ કરાવવા માટે ઇન્દોરના વહીવટીતંત્રને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બાળકીને કોરોના પોઝિટિવ આવતા એક્શનમાં આવેલા આરોગ્ય વિભાગમાં પણ દોડ ધામ મચી જવા પામી હતી. પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા ઉપરોક્ત મૃતકને દફનવિધિમાં ગયેલા અને પરિવારના સંપર્કમાં આવેલા અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેઓની ટ્રાવેલ હિસ્ટ્રી પણ મેળવવામાં આવી રહી છે. તેમજ દફનવિધિમાં આવેલા દાહોદના 12 જેટલા વ્યક્તિઓની હિસ્ટ્રી મેળવી હતી અને રાત્રિ દરમિયાન તેઓને ક્વોરેન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે. દાહોદ નગરમાં કોરોનાનો કેસ નોંધાતા નગરજનોમાં ભયનો માહોલ ફેલાયો છે, ત્યારે લોકો ઘરે જ રહે, સુરક્ષિત રહે તેવી અપીલ પણ આગેવાનો અને તંત્ર દ્વારા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.