ETV Bharat / state

સેલવાસમાં નવરાત્રીના રંગમાં ભંગ, ધ્વનિ પ્રદૂષણના નામે નવરાત્રી આયોજકોને 5 લાખનો દંડ - navaratri festival

દાદરા નગર હવેલીઃ નવ શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રી મહોત્સવ દરમિયાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના અધિકારીઓની પ્રશાસનિક દાદાગીરી સામે આવી છે. સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ નજીકના ડોકમરડી ગામ ખાતે આયોજિત એકતા મિત્ર મંડળ ગરબી મહોત્સવમાં મામલતદારે નવરાત્રી દરમિયાન વાગતા D.J. નો સરસામાન કબજે કરી લેતા ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

muncipal corporation in dadara
author img

By

Published : Oct 3, 2019, 11:51 PM IST

આ મામલે આયોજકો દ્વારા દમણ કલેક્ટર અને મામલતદારને રજૂઆત કરવા માટે એક પ્રતિનિધિ મંડળ ગયું હતું. તેમ છતાં પ્રશાસને આ પ્રતિનિધિઓને મળવાને બદલે જપ્ત કરેલો સામાન પરત નહીં આપવા હુંકાર કર્યો છે. ત્યારે આ મામલે ગરબા આયોજકોનું કહેવું છે કે, પ્રશાસન દ્વારા નવરાત્રી મહોત્સવના પ્રથમ દિવસે 10 વાગ્યે જ બધા નવરાત્રી મંડળોમાં નવરાત્રી મહોત્સવ બંધ કરાવ્યો હતો. જે બાદ આયોજકો દ્વારા રજૂઆત કરવામાં આવતા 12 વાગ્યા સુધીની સમયમર્યાદા નિશ્ચિત કરાઈ હતી. તેમ છતાં બુધવારે 11:30 વાગ્યે એકતા મિત્ર મંડળમાં મામલતદારની ટીમ ધસી આવી હતી અને ગરબા બંધ કર કરાવી DJ અને મંડર સહીત 5 લાખનો સામાન જપ્ત કર્યો છે.

સેલવાસમાં પ્રશાસને ધ્વનિ પ્રદુષણના નામે નવરાત્રી આયોજકોનો 5 લાખનો DJ સમાન કર્યો જપ્ત

આ અંગે પ્રશાસન તરફથી જાણવા મળ્યું છે કે, પ્રશાસને જે સમયમર્યાદા આપી છે તેમાં 10 વાગ્યા પછી ધીમા સાઉન્ડમાં ગરબા રમવાની છે. જ્યારે અહીં D.J. નો સાઉન્ડ વધારે હોવાથી ધ્વનિ પ્રદુષણના નિયમ મુજબ સામાન જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલ શક્તિ આરાધના પર્વ દરમિયાન પ્રશાસન દ્વારા નવરાત્રી આયોજકોને નવરાત્રી મહોત્સવ પર કનડગત કરી પરેશાન કરવામાં આવી રહ્યાં હોવાનું આયોજકો માની રહ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં રાજકિય કિન્નાખોરીને ધ્યાને રાખી ધ્વનિ પ્રદૂષણના બહાના હેઠળ આયોજકના DJ સામાન જપ્ત કરી મોટું નુકસાન કરાવ્યું છે.

આ મામલે આયોજકો દ્વારા દમણ કલેક્ટર અને મામલતદારને રજૂઆત કરવા માટે એક પ્રતિનિધિ મંડળ ગયું હતું. તેમ છતાં પ્રશાસને આ પ્રતિનિધિઓને મળવાને બદલે જપ્ત કરેલો સામાન પરત નહીં આપવા હુંકાર કર્યો છે. ત્યારે આ મામલે ગરબા આયોજકોનું કહેવું છે કે, પ્રશાસન દ્વારા નવરાત્રી મહોત્સવના પ્રથમ દિવસે 10 વાગ્યે જ બધા નવરાત્રી મંડળોમાં નવરાત્રી મહોત્સવ બંધ કરાવ્યો હતો. જે બાદ આયોજકો દ્વારા રજૂઆત કરવામાં આવતા 12 વાગ્યા સુધીની સમયમર્યાદા નિશ્ચિત કરાઈ હતી. તેમ છતાં બુધવારે 11:30 વાગ્યે એકતા મિત્ર મંડળમાં મામલતદારની ટીમ ધસી આવી હતી અને ગરબા બંધ કર કરાવી DJ અને મંડર સહીત 5 લાખનો સામાન જપ્ત કર્યો છે.

સેલવાસમાં પ્રશાસને ધ્વનિ પ્રદુષણના નામે નવરાત્રી આયોજકોનો 5 લાખનો DJ સમાન કર્યો જપ્ત

આ અંગે પ્રશાસન તરફથી જાણવા મળ્યું છે કે, પ્રશાસને જે સમયમર્યાદા આપી છે તેમાં 10 વાગ્યા પછી ધીમા સાઉન્ડમાં ગરબા રમવાની છે. જ્યારે અહીં D.J. નો સાઉન્ડ વધારે હોવાથી ધ્વનિ પ્રદુષણના નિયમ મુજબ સામાન જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલ શક્તિ આરાધના પર્વ દરમિયાન પ્રશાસન દ્વારા નવરાત્રી આયોજકોને નવરાત્રી મહોત્સવ પર કનડગત કરી પરેશાન કરવામાં આવી રહ્યાં હોવાનું આયોજકો માની રહ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં રાજકિય કિન્નાખોરીને ધ્યાને રાખી ધ્વનિ પ્રદૂષણના બહાના હેઠળ આયોજકના DJ સામાન જપ્ત કરી મોટું નુકસાન કરાવ્યું છે.

Intro:લોકેશન :- સેલવાસ


સેલવાસ :- નવ શક્તિની આરાધનાના પર્વ એવા નવરાત્રી મહોત્સવ દરમ્યાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના અધિકારીઓની પ્રશાસનિક દાદાગીરી સામે આવી છે. સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ નજીકના ડોકમરડી ગામ ખાતે આયોજિત એકતા મિત્ર મંડળ ગરબી મહોત્સવમાં મામલતદારે નવરાત્રી દરમિયાન વાગતા DJનો સરસામાન કબજે કરી લેેેતા ગરબા આયોજકોમાં અને ખેલૈયાઓમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે.Body:આ સમગ્ર મામલે આયોજકો દ્વારા દમણ કલેકટરને અને મામલતદાર રજૂઆત કરવા માટે એક પ્રતિનિધિ મંડળ ગયું હોવા છતાં પ્રશાસને આ પ્રતિનિધિઓ સાથે મળવાને બદલે જપ્ત કરેલો સામાન પરત નહીં આપવા હુંકાર કર્યો છે. મળતી માહિતી મુજબ સેલવાસ નજીક આવેલ ડોકમરડી ખાતે એકતા મિત્ર મંડળ દ્વારા ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રી મંડળમાં નવરાત્રીના ચોથા દિવસે બુધવારે રાતના 11:30 વાગ્યા આસપાસ સેલવાસ મામલતદારની ટીમ પહોંચી હતી. અને તાત્કાલિક ગરબાને બંધ કરાવી DJ સાઉન્ડ સિસ્ટમ સહિતનો તમામ સામાન ટેમ્પોમાં ભરી જપ્ત કર્યો હતો. 


જેના કારણે આયોજકોમાં અને ખેલૈયાઓમાં નિરાશા સાથે રોષની લાગણી પ્રગટ થઈ હતી. જે બાદ આ સમગ્ર મામલે ગુરુવારે ગરબા મંડળના આયોજકોનું એક પ્રતિનિધિ મંડળ સેલવાસ કલેકટર ને મળવા માટે પહોંચ્યું હતું. પરંતુ કલેક્ટરે આ મામલે કોઈ રજૂઆત સાંભળી નહોતી. આ પ્રકરણમાં ગરબા આયોજકોનું કહેવું છે કે, પ્રશાસન દ્વારા નવરાત્રી મહોત્સવના પ્રથમ દિવસે દસ વાગ્યે જ બધા નવરાત્રી મંડળોમાં નવરાત્રી મહોત્સવ બંધ કરાવ્યો હતો. જે બાદ આયોજકો દ્વારા રજૂઆત કરતા બાર વાગ્યા સુધી સમયમર્યાદા નિશ્ચિત કરાઈ હતી. પરંતુ, તેમ છતાં બુધવારે 11:30 વાગ્યે એકતા મિત્ર મંડળમાં મામલતદાર પોતાની ટીમ સાથે ધસી આવ્યા હતા. અને ગરબા બંધ કર કરાવી ડીજે નો તમામ સામાન જપ્ત કર્યો હતો.


જ્યારે આ અંગે પ્રશાસન તરફથી એવું જાણવા મળ્યું છે કે, પ્રશાસને જે સમયમર્યાદા આપી છે. તેમાં 10 વાગ્યા પછી ધીમા સાઉન્ડમાં ગરબા રમવાની પરમિશન આપી છે. જ્યારે અહીં DJ નો સાઉન્ડ વધારે પડતો હોય, ધ્વનિ પ્રદુષણના નિયમ મુજબ સામાન જપ્ત કરવામાં આવ્યો છે.  


ઉલ્લેખનીય છે કે, હાલ શક્તિ આરાધના પર્વ દરમિયાન પ્રશાસન દ્વારા નવરાત્રી આયોજકોને નવરાત્રી મહોત્સવ પર કનડગત કરી પરેશાન કરવામાં આવી રહ્યાં હોવાનું આયોજકો માની રહ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં રાજકીય કિન્નાખોરીને ધ્યાને રાખી ધ્વનિ પ્રદૂષણ ના બહાના હેઠળ આયોજકના DJ સામાન જબ કરી મોટું નુકસાન કરાવ્યું છે. 

Conclusion:પ્રશાસનને જપ્ત કરેલ DJનો સામાન 2 લાખ રૂપિયા આસપાસનો હોવાનું અને પાંચ લાખ રૂપિયા સુધીનો મંડપ ખર્ચ કર્યા બાદ હવે, પ્રશાસનના તાનાશાહી ભર્યા વલણને કારણે આયોજકે મોટું નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે. જ્યારે આ મંડળમાં સંગીતના તાલે ગરબા રમવા આવતા ખેલૈયાઓને ગરબે ઘૂમવાનું નસીબ નહીં થતા નિરાશા વ્યાપી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.