ETV Bharat / state

છોટાઉદેપુર જિલ્લામાં કરાયેલ વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો

author img

By

Published : Jun 23, 2019, 5:23 AM IST

છોટાઉદેપુરઃ 6 માસ અગાઉ જિલ્લાના કવાંટ તાલુકાના કનલવા ગામે એક વૃદ્ધાની હત્યાની ઘટના સામે આવી હતી, જેમાં ગામના જ વ્યક્તિ દ્વારા લૂંટના ઈરાદે હત્યા કરી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે.

hd

આદિવાસી બાહુલ છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં આવેલા કનલવા ગામમાં ગોહટીબેન રાઠવા નામની વૃદ્ધા પગમાં ચાંદીના કડા પહેરતી હતી. 80 વર્ષીય આ વૃદ્ધાનું 6 માસ અગાઉ હત્યા કરી નાખવામાં આવી હતી. વૃદ્ધા પર હુમલો કરી તેનું મોત નીપજાવી નજીકના ખેતરમાં લઈ જઈ તેના પગ કાપી કડા કાઢી આરોપી ફરાર થઈ ગયા હતા.

છોટાઉદેપુર જિલ્લામાં કરાયેલ વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો

આ ઘટના બાદ જિલ્લા LCBની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ બોલાવાયો હતો. પરંતુ ઘટનામાં કોઈ પણ જાતના સબૂત ન હોવાથી પોલીસને આ ગુનો ઉકેલવો મુશ્કેલ બની રહ્યો હતો. ગામના જ ઈશ્વર રાઠવા નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે અને કડા પણ રીકવર કર્યા છે.

પોલીસ દ્વારા આરોપીને હત્યા કરવાનું કારણ પૂછતા તેણે પોતાની બિમાર પત્નીનાં ઈલાજ માટે પૈસા ન હોવાથી ઘટનાને અંજા આપ્યો હોવાનું રટણ કર્યું છે. પોલીસે આ મુદ્દે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

આદિવાસી બાહુલ છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં આવેલા કનલવા ગામમાં ગોહટીબેન રાઠવા નામની વૃદ્ધા પગમાં ચાંદીના કડા પહેરતી હતી. 80 વર્ષીય આ વૃદ્ધાનું 6 માસ અગાઉ હત્યા કરી નાખવામાં આવી હતી. વૃદ્ધા પર હુમલો કરી તેનું મોત નીપજાવી નજીકના ખેતરમાં લઈ જઈ તેના પગ કાપી કડા કાઢી આરોપી ફરાર થઈ ગયા હતા.

છોટાઉદેપુર જિલ્લામાં કરાયેલ વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો

આ ઘટના બાદ જિલ્લા LCBની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ બોલાવાયો હતો. પરંતુ ઘટનામાં કોઈ પણ જાતના સબૂત ન હોવાથી પોલીસને આ ગુનો ઉકેલવો મુશ્કેલ બની રહ્યો હતો. ગામના જ ઈશ્વર રાઠવા નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે અને કડા પણ રીકવર કર્યા છે.

પોલીસ દ્વારા આરોપીને હત્યા કરવાનું કારણ પૂછતા તેણે પોતાની બિમાર પત્નીનાં ઈલાજ માટે પૈસા ન હોવાથી ઘટનાને અંજા આપ્યો હોવાનું રટણ કર્યું છે. પોલીસે આ મુદ્દે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

SLUG; R_GJ_CUD_01_22JUN19_HATYANO_BHED_AVB_ALLARAKHA_CHHOTAUDEPUR
એન્કર ;             છ માસ અગાઉ  છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના કનલવા ગામે લુંટના ઈરાદે થયેલી વૃદ્ધાની ક્રૂર હત્યાનો ભેદ છોટાઉદેપુર જિલા પોલીસે ઉકેલી હત્યાને અંજામ આપનાર ગામનાજ એક શખ્શ ને ઝડપી પાડ્યો છે .  

વીઓ;      જો તમારા પરિવારમાં  કોઈ વૃદ્ધા એકલી રહેતી હોય તો ઘરેણા પહેરવા તેના માટે જીવનાં જોખમ સમાન છે , કારણકે લુંટારુઓ  નજીવા રૂપિયાની લાલચમાં કોઈનો જીવ લેવામાં સહેજપણ ખચકાતા નથી , છ મહીના અગાઉ આવુજ કાંઇક બન્યું હતું આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના કનલવા ગામે ..જ્યાં ઘરમાં એકલી રહેતી અને કાયમ પોતાના બંને પગમાં ચાંદીના ૪૦૦ -૪૦૦ ગ્રામના કડા પહેરેતી એક ૮૦ વર્ષીય આદિવાસી વૃદ્ધા ગોહટીબેન રાઠવાની રાત્રી દરમિયાન ગળું દબાવી હત્યા કરી દેવાઈ અને ત્યારબાદ નજીકનાં ખેતરમાં ઢસડી જઈ  તેના પગમાં પહેરેલા ચાંદીના કડા કાઢવા માટે ક્રૂર રીતે વૃદ્ધા નાં બંને કાપી નાખી હત્યારાઓ ફરાર થઇ ગયા હતા , ઘટનાને પગલે હરકત માં આવેલ છોટાઉદેપુર જીલ્લા એલ સી બી પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો , જોકે કોઈજ પગેરું ના હોવાથી પોલીસને ભારે જહેમત ઉઠાવી પડી અને આખરે પોલીસે આ લુંટ વિથ મર્ડર નાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો , વૃદ્ધાની હત્યા કરી તેના બંને પગ કાપી નાખી તેના પગમાં પહેરેલા કડલા લઇ જનાર ગામનાજ ઈશ્વર રાઠવાને પોલીસે ઝડપી પાડ્યો છે ,  ઈશ્વર રાઠવાએ ચાંદીના કડલા જ્યાં વેચ્યા હતા ત્યાંથી કડલા પણ રિકવર કર્યા છે ,હત્યા કરવા પાછળ નું કારણ પુછતાં ઈશ્વર રાઠવાએ પોતાની બીમાર પત્નીનાં ઈલાજ માટે પોતાની પાસે પૈસા ના હોઈ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ ને જણાવ્યું છે .

બાઈટ ; એ વી કાટકડ, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક , છોટાઉદેપુર   

અલારખા પઠાણ , ઈ ટીવી ભારત ,છોટાઉદેપુર 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.