છોટા ઉદેપુર: જિલ્લાના લેહવાંટ ગામના વતની અને રાયફલ મેન લિલેશ રાઠવા(Rifle Man Lilesh Rathwa) કે જેઓ મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના (President Ramnath Kovind)હસ્તે શૌર્યચક્ર પદકથી સન્માનિત (Shaurya Chakra)કરાયા છે. જેઓને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર લાભો હજી મળ્યાં નથી.
આતંકવાદીઓ સાથે અથડામણ
વર્ષ 2017માં મણીપુર નોર્થ ઇસ્ટના ચંડેલ જિલ્લાના સાજીતંબક ચોકી માર્ગ ખોલનારી એક સૈનિક ટીમને ચોંકી સ્થાપવાંનું કામ સોંપવામાં આવ્યું હતું. આ ટીમે સાવધાની પૂર્વક સવારના સાડા પાંચ વાગ્યે ક્ષેત્રને સાફ કરવાનું કામ શરૂ કરતાંની સાથે જ સાત થી આઠ આતંકવાદીઓનો સમૂહે નજીકથી ગોળીબાર(Collision with terrorists) કર્યો હતો. જેમાં શરૂઆતના ગોળીબારમાં બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. જેમાં એક જવાન શહીદ થયા હતા. ત્યારે બહાદુર જવાન રાયફલ મેન લિલેશ રાઠવાએ તેમના ઘાયલ સાથી સૈનિકો પાસે પહોંચીને લાઈટ મશીનગન દ્વારા વળતો પ્રહાર કરતા લિલેશ રાઠવાએ અદમ્ય સાહસ, સૂઝબૂઝ, કુશાગ્ર બુદ્ધિ થી 10 મિનિટ સુધી ગોળીબાર કરી આતંકવાદીઓને બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
આ પણ વાંચોઃ આર્મીના હેલિકોપ્ટરને રિપેર કરવા બેંગલુરુથી ટેકનિશિયનની ટીમ ખેડા પહોંચી
શૌર્યચક્ર પદકથી સન્માનિત
જ્યારે બે આતંકવાદીઓને ગંભીર રીતે ઘાયલ કર્યાં હતાં. જ્યારે અન્ય આતંકવાદીઓને ભાગવા પર મજબૂર કર્યાં હતાં. ઘાયલ સાથીઓને લિલેશ રાઠવાએ સારવાર હેઠળ ખસેડ્યા હતા. વીર અને બહાદુર જવાન લિલેશ રાઠવાના આ સાહસને બિરદાવતા વર્ષ 2019માં દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં શૌર્યચક્ર પદકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારના લાભા મળ્યા નથી
બહાદુર જવાન લીલેશ રાઠવા હાલ ગુજરાત રાજ્ય માં બ્લેક કમાન્ડો તરીકે અમદાવાદ ખાતે ફરજ બજાવી રહ્યા છે. તેઓની સાથે વાત કરતા જણાવે છે કે કેન્દ્ર સરકાર દ્વારા મળવાં પાત્ર લાભો તો મને મળી ગયા છે પરંતું રાજ્ય સરકાર દ્વારા મળવાં પાત્ર લાભો હજી મળ્યાં નથી. જેથી હું રાજ્ય સરકાર થી થોડો નારાજ છું તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ ઉત્તરાખંડનો પોલીસ કોન્સ્ટેબલ રાતોરાત બન્યો કરોડપતિ, જાણો કઈ રીતે