ETV Bharat / state

Kavant fair 2022: છોટાઉદેપુરમાં 2 વર્ષે યોજાયો પરંપરાગત ગેરનો મેળો, લોકોને પગ મૂકવાની પણ ન મળી જગ્યા

author img

By

Published : Mar 21, 2022, 4:18 PM IST

છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે વિશ્વ વિખ્યાત ગેરનો મેળો (Kavant fair 2022) યોજાયો હતો. તેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જિલ્લાના ક્વાંટ ખાતે સુપ્રસિદ્ધ અને પરંપરાગત ગેરનો મેળો (Ger no Melo Kavant) યોજાયો હતો. અહીં હજારોની સંખ્યામાં આદિવાસી સહેલાણીઓએ મેળાની રંગત માણી હતી.

Kavant fair 2022: છોટાઉદેપુરમાં 2 વર્ષે યોજાયો પરંપરાગત ગેરનો મેળો, લોકોને પગ મૂકવાની પણ ન મળી જગ્યા
Kavant fair 2022: છોટાઉદેપુરમાં 2 વર્ષે યોજાયો પરંપરાગત ગેરનો મેળો, લોકોને પગ મૂકવાની પણ ન મળી જગ્યા

છોટા ઉદેપુરઃ જિલ્લાના ક્વાંટ ખાતે વિશ્વ વિખ્યાત ગેરનો મેળો યોજાયો (Kavant fair 2022) હતો, જેમાં એટલી ભીડ હતી કે પગ મૂકવાની પણ જગ્યા નહતી. આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતો ભાતીગળ મેળો એટલે કવાંટનો ગેરનો (Kavant Fair, Glimpses of Tribal Culture) મેળો. કોરોના માહામારી બાદ આ વર્ષે જિલ્લાના કવાંટ ખાતે (Ger no Melo Kavant) સુપ્રસિદ્ધ અને પારંપરિક ગેરનો મેળો યોજાયો હતો. તેમાં હજારોની સંખ્યામાં આદિવાસી જનમેદની સાથે સહેલાણીઓએ મેળાની રંગત માણી હતી.

આદિવાસીઓ વિવિધ સ્વરૂપ ધારણ કરે છે

આદિવાસીઓ માટે હોળીનો તહેવાર ખૂબ જ મહત્વનો - રાજ્યની સરહદે આવેલો છોટાઉદેપુર જિલ્લો એ આદિવાસી બાહુલ ધરાવતો વિસ્તાર છે. જિલ્લાનો કવાંટ તાલુકો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ રાજ્યોની સરહદે આવેલો છે. ત્યારે અહીં ત્રણેય રાજ્યના આદિવાસીઓની વિશેષ સંસ્કૃતિ પરંપરા અને જીવનશૈલીનો અનોખો સંગમ જોવા મળે છે. આદિવાસીઓમાં હોળી એ સૌથી મોટો અને મહત્વનો તહેવાર મનાય છે. એટલે જ આ પંથકના આદિવાસીઓ વર્ષ દરમિયાન રોજીરોટી માટે રાજ્ય કે દેશના ગમે તે ખૂણે હિજરત કરીને ગયા હોય કે ગમે ત્યાં નોકરી કરતા હોય. નિરક્ષર હોય કે, ઉચ્ચ અભ્યાસ ધરાવતા અધિકારી હોય. સૌ કોઈ પોતાના વતનમાં ફરજિયાત પરત ફરે છે, અને હોળી વિષયક મેળાઓની તૈયારીમાં જોતરાઈ જાય છે.

આ પણ વાંચો-  આદિવાસીઓ માટે હોળીનો તહેવાર ખૂબ જ મહત્વનો
આ પણ વાંચો- આદિવાસીઓ માટે હોળીનો તહેવાર ખૂબ જ મહત્વનો

આ પણ વાંચો- Junagadh Mahashivratri Mela: હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા ધાર્મિક મહત્વ ધરાવે છે બાલ નાગા સંન્યાસીઓ

આદિવાસીઓ વિવિધ સ્વરૂપ ધારણ કરે છે - હોળી પૂર્વે અને બાદમાં સતત એક સપ્તાહ સુધી જુદા જુદા ગામોમાં વિવિધ મેળાઓ યોજાય છે. તેમાં સૌથી મોટો અને સુપ્રસિધ્ધ કવાંટનો ગેરનો મેળો (Kavant fair 2022) ગણાય છે. સમગ્ર વર્ષ દરમિયાન લીધેલી બાધાઓ પરિપૂર્ણ થતા પોતાના ઈષ્ટ દેવને આપેલા વચનને નિભાવવા આદિવાસીઓ આદિમાનવ સહિત ગેરૈયાઓના વિવિધ સ્વરૂપ ધારણ કરે છે, અને પોતાની બાધા પ્રમાણે ગેરની ભીખ માગે છે. તેને ગોઠપણ કહેવાય છે.

આ પણ વાંચો- Maha Shivratri Melo 2022: આગામી મહા શિવરાત્રીના મેળાને લઈને જૂનાગઢ મનપાની પૂર્વ તૈયારી

આ રકમથી આદિવાસીઓ પોતાની માનતાની વિધિ પૂર્ણ કરે છે - આ રક્મથી તેઓ પોતાની માનતાની વિધિ પૂર્ણ કરે છે. એટલે જ આ મેળાને ગેરનો મેળો કહેવાય છે. મેળામા આદિવાસીઓ ઢોલ નગારા પાવાના તાલે ઘુઘરાં બાંધી જે ટીમલી નૃત્ય કરે છે, જે આકર્ષણનું કેન્દ્ર બને છે. કોરોના મહામારી હળવી થતાં 2 વર્ષ બાદ યોજાયેલા મેળાની મોજ (Kavant fair 2022) લોકોએ માણી છે.

છોટા ઉદેપુરઃ જિલ્લાના ક્વાંટ ખાતે વિશ્વ વિખ્યાત ગેરનો મેળો યોજાયો (Kavant fair 2022) હતો, જેમાં એટલી ભીડ હતી કે પગ મૂકવાની પણ જગ્યા નહતી. આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતો ભાતીગળ મેળો એટલે કવાંટનો ગેરનો (Kavant Fair, Glimpses of Tribal Culture) મેળો. કોરોના માહામારી બાદ આ વર્ષે જિલ્લાના કવાંટ ખાતે (Ger no Melo Kavant) સુપ્રસિદ્ધ અને પારંપરિક ગેરનો મેળો યોજાયો હતો. તેમાં હજારોની સંખ્યામાં આદિવાસી જનમેદની સાથે સહેલાણીઓએ મેળાની રંગત માણી હતી.

આદિવાસીઓ વિવિધ સ્વરૂપ ધારણ કરે છે

આદિવાસીઓ માટે હોળીનો તહેવાર ખૂબ જ મહત્વનો - રાજ્યની સરહદે આવેલો છોટાઉદેપુર જિલ્લો એ આદિવાસી બાહુલ ધરાવતો વિસ્તાર છે. જિલ્લાનો કવાંટ તાલુકો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ રાજ્યોની સરહદે આવેલો છે. ત્યારે અહીં ત્રણેય રાજ્યના આદિવાસીઓની વિશેષ સંસ્કૃતિ પરંપરા અને જીવનશૈલીનો અનોખો સંગમ જોવા મળે છે. આદિવાસીઓમાં હોળી એ સૌથી મોટો અને મહત્વનો તહેવાર મનાય છે. એટલે જ આ પંથકના આદિવાસીઓ વર્ષ દરમિયાન રોજીરોટી માટે રાજ્ય કે દેશના ગમે તે ખૂણે હિજરત કરીને ગયા હોય કે ગમે ત્યાં નોકરી કરતા હોય. નિરક્ષર હોય કે, ઉચ્ચ અભ્યાસ ધરાવતા અધિકારી હોય. સૌ કોઈ પોતાના વતનમાં ફરજિયાત પરત ફરે છે, અને હોળી વિષયક મેળાઓની તૈયારીમાં જોતરાઈ જાય છે.

આ પણ વાંચો-  આદિવાસીઓ માટે હોળીનો તહેવાર ખૂબ જ મહત્વનો
આ પણ વાંચો- આદિવાસીઓ માટે હોળીનો તહેવાર ખૂબ જ મહત્વનો

આ પણ વાંચો- Junagadh Mahashivratri Mela: હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા ધાર્મિક મહત્વ ધરાવે છે બાલ નાગા સંન્યાસીઓ

આદિવાસીઓ વિવિધ સ્વરૂપ ધારણ કરે છે - હોળી પૂર્વે અને બાદમાં સતત એક સપ્તાહ સુધી જુદા જુદા ગામોમાં વિવિધ મેળાઓ યોજાય છે. તેમાં સૌથી મોટો અને સુપ્રસિધ્ધ કવાંટનો ગેરનો મેળો (Kavant fair 2022) ગણાય છે. સમગ્ર વર્ષ દરમિયાન લીધેલી બાધાઓ પરિપૂર્ણ થતા પોતાના ઈષ્ટ દેવને આપેલા વચનને નિભાવવા આદિવાસીઓ આદિમાનવ સહિત ગેરૈયાઓના વિવિધ સ્વરૂપ ધારણ કરે છે, અને પોતાની બાધા પ્રમાણે ગેરની ભીખ માગે છે. તેને ગોઠપણ કહેવાય છે.

આ પણ વાંચો- Maha Shivratri Melo 2022: આગામી મહા શિવરાત્રીના મેળાને લઈને જૂનાગઢ મનપાની પૂર્વ તૈયારી

આ રકમથી આદિવાસીઓ પોતાની માનતાની વિધિ પૂર્ણ કરે છે - આ રક્મથી તેઓ પોતાની માનતાની વિધિ પૂર્ણ કરે છે. એટલે જ આ મેળાને ગેરનો મેળો કહેવાય છે. મેળામા આદિવાસીઓ ઢોલ નગારા પાવાના તાલે ઘુઘરાં બાંધી જે ટીમલી નૃત્ય કરે છે, જે આકર્ષણનું કેન્દ્ર બને છે. કોરોના મહામારી હળવી થતાં 2 વર્ષ બાદ યોજાયેલા મેળાની મોજ (Kavant fair 2022) લોકોએ માણી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.