ETV Bharat / state

આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવે છે આ ગેરનો મેળો...જાણો અહીંની સંસ્કૃતિ...

છોટા ઉદેપુર: આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતો ભાતીગળ મેળો એટલે કવાંટનો મેળો. શનિવારે છોટા ઉદેપુરના ક્વાંટ ખાતે સુપ્રસિદ્ધ અને પારંપરિક ગેરનો મેળો યોજાયો હતો. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ મેળામાં અલગ-અલગ પ્રાંતની સંસ્કૃતિના સમન્વય સમાન લોકનૃત્ય સાથે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. મેળામાં હજારોની આદિવાસી જનમેદની સાથે વિદેશ સહેલાણીઓએ પણ મેળાની રંગત માણી હતી. સાથે મતદાન જાગૃતિના કાર્યક્રમની ઝાંખી પણ કરાવી હતી.

author img

By

Published : Mar 24, 2019, 9:58 PM IST

સ્પોટ ફોટો

છોટા ઉદેપુર એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યોની સરહદમાં આવેલું રાજ્ય છે. ત્યારે અહીં ત્રણેય રાજ્યના આદિવાસીઓની સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલીનો અનોખો સંગમ જોવા મળે છે. આદિવાસીઓમાં હોળી એ સૌથી મહત્વનો અને મોટો તહેવાર છે. જેને કારણે હોળી પૂર્વે અને બાદમાં સતત એક સપ્તાહ સુધી જુદા-જુદા ગામડાઓમાં વિવિધ મેળાઓ યોજવામાં આવે છે. જેમાં સૌથી પ્રસિદ્ધ અને મોટો ક્વાંટનો ગેર મેળો ગણવામાં આવે છે. વર્ષ દરમિયાન લીધેલી માનતાઓ પૂર્ણ થતા પોતાના ઈષ્ટ દેવને આપેલા વચન પ્રમાણે આદિવાસીઓ આદિમાનવ સહિત ગેરૈયાઓના વિવિધસ્વરૂપ ધારણ કરે છે. પોતાની માનતા પ્રમાણે ગેરની ભીખ માંગે છે, જેને ગોઠપણ કહેવામાં આવે છે. ભીખમાં મળેલી રકમથી તેઓ પોતાની માનતાની વિધિ પૂર્ણ કરે છે અને એટલે જ આ મેળાને ગેરનો મેળો કહેવામાં આવે છે.

આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતો ગેર મેળો

આ ઉપરાંત આદિવાસીઓ ઢોલ-નગારા તેમજ પાવાના તાલે ઘુઘરા બાંધીને ટીમલી નૃત્ય કરે છે.જે આદિવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. જોકે સ્થાનિક લોકોનું માનવું છે કે,આદિવાસીઓના મુખ્ય પર્વ એવા આ ગેરના મેળા સમયે સરકારના પ્રવાસન વિભાગ દ્વારા યોજાતા વિવિધ પ્રાંતની ઝાંખી કરાવતા કાર્યક્રમના કારણે ગેરના મેળામાં વિઘ્ન સર્જાય છે. તેમજ સરકારને આગામી વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે નહીં તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યાં છે.

આ મેળામાં જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ કમલ દયાની, સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલ, આણંદ જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ તેમજ જિલ્લા ન્યાયાધીશ કે.એસ.પટેલ સહિત જિલ્લા વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.આ વિશેષ કાર્યક્રમમાં વિવિધ પ્રાંતની સંસ્કૃતિની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. તો સાથે મેળામાં વિદેશ સહેલાણીઓ પણ આદિવાસીઓની સાથે ટીમલીના તાલે ઝુમતા જોવા મળ્યા હતા.

છોટા ઉદેપુર એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યોની સરહદમાં આવેલું રાજ્ય છે. ત્યારે અહીં ત્રણેય રાજ્યના આદિવાસીઓની સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલીનો અનોખો સંગમ જોવા મળે છે. આદિવાસીઓમાં હોળી એ સૌથી મહત્વનો અને મોટો તહેવાર છે. જેને કારણે હોળી પૂર્વે અને બાદમાં સતત એક સપ્તાહ સુધી જુદા-જુદા ગામડાઓમાં વિવિધ મેળાઓ યોજવામાં આવે છે. જેમાં સૌથી પ્રસિદ્ધ અને મોટો ક્વાંટનો ગેર મેળો ગણવામાં આવે છે. વર્ષ દરમિયાન લીધેલી માનતાઓ પૂર્ણ થતા પોતાના ઈષ્ટ દેવને આપેલા વચન પ્રમાણે આદિવાસીઓ આદિમાનવ સહિત ગેરૈયાઓના વિવિધસ્વરૂપ ધારણ કરે છે. પોતાની માનતા પ્રમાણે ગેરની ભીખ માંગે છે, જેને ગોઠપણ કહેવામાં આવે છે. ભીખમાં મળેલી રકમથી તેઓ પોતાની માનતાની વિધિ પૂર્ણ કરે છે અને એટલે જ આ મેળાને ગેરનો મેળો કહેવામાં આવે છે.

આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતો ગેર મેળો

આ ઉપરાંત આદિવાસીઓ ઢોલ-નગારા તેમજ પાવાના તાલે ઘુઘરા બાંધીને ટીમલી નૃત્ય કરે છે.જે આદિવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. જોકે સ્થાનિક લોકોનું માનવું છે કે,આદિવાસીઓના મુખ્ય પર્વ એવા આ ગેરના મેળા સમયે સરકારના પ્રવાસન વિભાગ દ્વારા યોજાતા વિવિધ પ્રાંતની ઝાંખી કરાવતા કાર્યક્રમના કારણે ગેરના મેળામાં વિઘ્ન સર્જાય છે. તેમજ સરકારને આગામી વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે નહીં તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યાં છે.

આ મેળામાં જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ કમલ દયાની, સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલ, આણંદ જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ તેમજ જિલ્લા ન્યાયાધીશ કે.એસ.પટેલ સહિત જિલ્લા વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.આ વિશેષ કાર્યક્રમમાં વિવિધ પ્રાંતની સંસ્કૃતિની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. તો સાથે મેળામાં વિદેશ સહેલાણીઓ પણ આદિવાસીઓની સાથે ટીમલીના તાલે ઝુમતા જોવા મળ્યા હતા.

Intro:Body:

આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા ની ઝાંખી  કરાવતું ભાતીગળ મેળો એટલે કવાંટ  નો ગેર નો મેળો.........છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આજે સુપ્રસિધ્ધ અને પારંપરિક ગેર નો મેળો યોજાયો હતો , ગેરના મેળા સાથે વહીવટી તંત્ર દ્વારા જીલ્લા કલેકટર નાં અધ્યક્ષ સ્થાને અલગ અલગ પ્રાંત ની સંસ્કૃતીનાં સમન્વય સમાન વિવિધ પ્રાંતના  લોકનૃત્ય સાથેના વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું .  મેળામાં  હજારોની આદીવાસી જનમેદની સાથે વિદેશી સહેલાણીઓએ મેળાની રંગત માણી હતી.તો ચુંટણી પંચ દ્વારા કાર્યક્રમમાં મતદાન જાગૃતિના કાર્યક્રમોની પણ ઝાંખી કરાવવામાં આવી હતી.



વીઓ ; ૧;               આજે રાજ્યના પ્રવાસન વિભાગ તરફ્રથી કવાંટ નાં ગેરના મેળાને પ્રોત્સાહન આપવાના હેતુસર દેશના અન્ય રાજયોની સંસ્કૃતિ નાં સમન્વય સાથેના કાર્યક્રમ નુ વિશેષ આયોજન કરાયું હતું, જીલ્લા કલેકટર સુજલ મયાત્રા નાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ વિશેષ કાર્યક્રમ માં રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ કમલ દયાની , સુરત જિલા કલેકટર ધવલ પટેલ , આનંદ જીલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ તેમજ  જીલ્લા ન્યાયાધીશ કે એસ પટેલ સહીત જીલ્લા વહિવટી તંત્ર નાં ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા ,   ખુલ્લા વિશાળ મેદાન મા આયોજિત આ વિશેષ કાર્યક્રમ મા વિવિધ પ્રાંત ની સંસ્કૃતિની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી, તો મેળામાં વિદેશી સહેલાણીઓ પણ આદિવાસીઓ સાથે ટીમલીનાં તાલે ઝુમતા જોવા મળ્યા હ્તા, તો આચાર સંહિતાને લઇ આ વખતે મંચ ઉપર કોઈ નેતા જપવા મળ્યા ના હતા , લોકસભાની ચુંટણીમાં મતદાન જાગૃતિ માટેના વિશેષ કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા ,



બાઈટ ; સુજલ મયાત્રા , જીલ્લા કલેકટર , છોટાઉદેપુર    



 



વિઓ:  :



               રાજ્યની સરહદે આવેલ છોટાઉદેપુર એ આદીવાસી બાહુલ ધરાવ્તો વિસ્તાર છે , છોટાઉદેપુર ના કવાંટ તાલુકો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ રાજ્યોની સરહદે આવેલો છે , ત્યારે અહિ ત્રણેય રાજ્યના  આદીવાસીઓ ની વિશેષ સંસ્ક્રુતિ પરંપરા અને જિવન શૈલીનો અનોખો સંગમ જોવા મળે છે, આદીવાસીઓમા હોળી એ સૌથી મોટો અને મહ્ત્વનો તહેવાર મનાય છે અને તેથીજ આ પંથક ના આદીવાસીઓ વર્ષ દરમિયાન રોજીરોટી માટે રાજ્ય કે દેશ ના ગમે તે ખુણે હિજરત કરીને ગયા હોય કે ગમે ત્યા નોકરી કરતા હોય અભણ હોય કે ઉચ્ચઅભ્યાસ ધરાવતા અધિકારી  હોય સૌ કોઈ પોતાના વતન મા ફરજિયાત પરત ફરે છે, અને હોળી વિષયક મેળાઓની તૈયારી મા જોતરાઈ જાય છે, હોળી પુર્વે અને બાદમા સતત એક સપ્તાહ સુધી જુદા જુદા ગામો મા વિવિધ મેળાઓ યોજાય છે , જેમા સૌથી મોટો અને સુપ્રસિધ્ધ કવાંટ નો ગેર નો મેળો ગણાય છે , વર્ષ દરમિયાન લીધેલી બાધાઓ પરિપુર્ણ થતા પોતાના ઈષ્ટ દેવ ને આપેલા વચન ને નિભાવવા આદીવાસીઓ આદીમાનવ સહિત ગેરૈયાઓના  વિવિધ સ્વરુપ ધારણ કરે છે, અને પોતાની બાધા પ્રમાણે ગેર ની  ભીખ માંગે છે,જેને ગોઠપણ કહેવાય છે અને આ રક્મ થી તેઓ પોતાની માનતા ની વિધિ પુર્ણ કરે છે,અને એટલેજ આ  મેળાને ગેર નો મેળો કહેવાય છે , મેળામા આદીવાસીઓ ઢોલ નગારા પાવા ના તાલે ઘુઘરા બાંધી જે ટીમલી  ન્રુત્ય કરે છે જે આકર્ષણ નુ કેન્દ્ર બને છે,ત્યારે પોતાના પૂર્વજોની પરંપરા અને સંસ્કૃતિને આજની નવી યુવા પેઢીએ જાળવી રાકાહી છે .



બાઈટ ; રાહુલ રાઠવા , સ્થાનિક આદિવાસી યુવાન , કવાંટ 





વીઓ: ૩;         જોકે આદિવાસીઓના મુખ્ય પર્વ એવા ગેરનાં મેળા સમયે સરકારનાં પ્રવાસન વિભાગ દ્વારા યોજાતા વિવિધ પ્રાંતની ઝાંખી કરાવતા આવા કાર્યક્રમનાં કારણે ગેરનાં મેળામાં વિઘ્ન સર્જાતું હોવાનું સ્થાનિક આદિવાસીઓનું માનવું છે, અને સરકાર દ્વારા આગામી વર્ષ થી આવા કાર્યક્રમનું આયોજન કરવામાં ના આવે તેવી અહીના લોકો માંગ માંગ કરી રહ્યા છે .



બાઈટ : સુજીતભાઈ રાઠવા , સ્થાનિક આદિવાસી , કવાંટ  



               આજે દેશ વિકાસ નાં પંથે જઈ રહ્યું છે ત્યારે આદિવાસીઓ નું પણ સામાજિક અને આર્થિક ઉત્થાન થયું છે ,પરંતુ આદિવાસીઓના આ પારંપરિક મેળાઓ થકી આજે પણ આદિવાસી સંસ્કૃતિ અને વિરાસત જળવાયેલી છે.



અલારખા પઠાણ ,ઈ ટીવી ભારત ,  છોટાઉદેપુર


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.