ETV Bharat / state

ભૂજના તબીબે કેન્સરના 1 હજાર ઓપરેશન કરી હાંસલ કરી સિદ્ધિ

કચ્છઃ જિલ્લાના ભૂજ શહેરની સિવિલ જી.કે.જનરલ હોસ્પિટલમાં છેલ્લાં 16 વર્ષથી ફરજ બજાવતાં કાન,નાક અને ગળાનાં ડૉક્ટરે કેન્સરનાં 1 હજાર ઓપરેશન કરવાની સિદ્ધિ હાંસલ કરી હતી. હાલના સમયમાં જો દર્દી જાગૃત હોય અને વહેલું નિદાન કરી સારવાર મેળવે તો કેન્સર જેવી બિમારી પણ સામાન્ય ગણાય છે. ત્યારે ડૉક્ટર નરેન્દ્ર હિરાણીએ છેલ્લા દોઢ દાયકામાં એક હજારથી વધુ સફળ કેન્સરની શસ્ત્રક્રિયા દ્વારા પુરવાર કર્યું છે.

author img

By

Published : Feb 19, 2019, 9:51 AM IST

સ્પોટ ફોટો

અદાણી સમુહ દ્વારા સંચાલિત હોસ્પિટલ દ્વારા પ્રથમ વખત ગંભીર બિમારી વિશે જણાવાયું છે કે, જી.કે. જનરલમાં છેલ્લાં 16 વર્ષથી કાન,નાક અને ગળા(ENT) વિભાગમાં ફરજ બજાવતા ડૉ. નરેન્દ્ર હિરાણીએ તેમની નિયત કામગીરી દરમિયાન 1 હજારથી વધુ ગળાના અને મોઢાના સફળ ઓપરેશન કરી કેન્સર પીડિત દર્દીઓને જીવનદાન આપ્યું છે. તેમણે સરેરાશ પ્રતિ છ દિવસે કેન્સરનું એક ઓપરેશન કર્યું છે.

ડૉ. નરેન્દ્ર હિરાણીનાં જણાવ્યા અનુસાર, મોઢાના અને ગળાના ઓપરેશન ત્રણ હેતુથી કરવામાં આવે છે. પ્રથમ કેન્સરની નાબુદી, જેમાં કેન્સરગ્રસ્ત વિસ્તારનો આજુ-બાજુનો એક સેન્ટીમીટરનો ભાગ કાઢી નાખવામાં આવે છે. બીજું ગળામાં ગાંઠરૂપે કેન્સર ક્યા સુધી ફેલાયેલું છે તે ચકાસી દૂર કરવામાં આવે છે અને છેલ્લે પ્લાસ્ટિક સર્જરી દ્વારા તે ભાગની સર્જરી કરવામાં આવે છે.

આ ઉપરાંત સ્વરપેટી અને અન્નનળીનું કેન્સર હોય તો તે પણ દૂર કરવામાં આવે છે. પરંતુ ગાલ અને જડબાના કેન્સર માટે અતિ જટિલ શસ્ત્રક્રિયા કરવી પડતી હોય છે. જેને કમાન્ડો ઓપરેશન કહે છે. મોઢા અને ગળાના કેન્સરનું સમયસર નિદાન કરવા માટે દર્દીને ગળામાં ગાંઠ હોય, ચામડી હોય જે દવાથી મહિના સુધી મટતુ નથી. ઉપરાંત સફેદ અને લાલ ડાઘ જે સારવારને પ્રતિસાદ ન આપે અને અવાજ ખરાબ થઇ જાય તેમજ ખાવામાં તકલીફ પડે સાથે ગળામાં દુખાવો રહે તો એ કેન્સર હોઈ શકે છે.

undefined

ભારતમાં કુલ કેન્સર પૈકી 30 ટકા કેન્સર આ પ્રકારના હોય છે. મોઢાના કેન્સર થવાના કારણોમાં મુખ્યત્વે તમાકુ, ધુમ્રપાન વિગેરે જેવા વ્યસનો છે. કેન્સરનાં સ્ટેજ ઓપરેશન અંગે ડૉ. હિરાણીએ જણાવ્યું હતું કે, શસ્ત્રક્રિયા, રેડિયોથેરાપી અને કિમોથેરાપી મુખ્ય સારવાર છે. કેન્સરના ચાર સ્ટેજ હોય છે. પ્રથમ અને બીજા સ્ટેજના કેન્સરમાં સર્જરી અને રેડિયોથેરાપી સારવાર જ્યારે ત્રીજા અને ચોથા સ્ટેજમાં સર્જરી અને રેડિયોથેરાપી બંને સારવાર આપવી પડે છે. મહત્વનું છે કે, ડો. હિરાણીએ આ તમામ પ્રકારના ઓપરેશન કર્યા છે.

અદાણી સમુહ દ્વારા સંચાલિત હોસ્પિટલ દ્વારા પ્રથમ વખત ગંભીર બિમારી વિશે જણાવાયું છે કે, જી.કે. જનરલમાં છેલ્લાં 16 વર્ષથી કાન,નાક અને ગળા(ENT) વિભાગમાં ફરજ બજાવતા ડૉ. નરેન્દ્ર હિરાણીએ તેમની નિયત કામગીરી દરમિયાન 1 હજારથી વધુ ગળાના અને મોઢાના સફળ ઓપરેશન કરી કેન્સર પીડિત દર્દીઓને જીવનદાન આપ્યું છે. તેમણે સરેરાશ પ્રતિ છ દિવસે કેન્સરનું એક ઓપરેશન કર્યું છે.

ડૉ. નરેન્દ્ર હિરાણીનાં જણાવ્યા અનુસાર, મોઢાના અને ગળાના ઓપરેશન ત્રણ હેતુથી કરવામાં આવે છે. પ્રથમ કેન્સરની નાબુદી, જેમાં કેન્સરગ્રસ્ત વિસ્તારનો આજુ-બાજુનો એક સેન્ટીમીટરનો ભાગ કાઢી નાખવામાં આવે છે. બીજું ગળામાં ગાંઠરૂપે કેન્સર ક્યા સુધી ફેલાયેલું છે તે ચકાસી દૂર કરવામાં આવે છે અને છેલ્લે પ્લાસ્ટિક સર્જરી દ્વારા તે ભાગની સર્જરી કરવામાં આવે છે.

આ ઉપરાંત સ્વરપેટી અને અન્નનળીનું કેન્સર હોય તો તે પણ દૂર કરવામાં આવે છે. પરંતુ ગાલ અને જડબાના કેન્સર માટે અતિ જટિલ શસ્ત્રક્રિયા કરવી પડતી હોય છે. જેને કમાન્ડો ઓપરેશન કહે છે. મોઢા અને ગળાના કેન્સરનું સમયસર નિદાન કરવા માટે દર્દીને ગળામાં ગાંઠ હોય, ચામડી હોય જે દવાથી મહિના સુધી મટતુ નથી. ઉપરાંત સફેદ અને લાલ ડાઘ જે સારવારને પ્રતિસાદ ન આપે અને અવાજ ખરાબ થઇ જાય તેમજ ખાવામાં તકલીફ પડે સાથે ગળામાં દુખાવો રહે તો એ કેન્સર હોઈ શકે છે.

undefined

ભારતમાં કુલ કેન્સર પૈકી 30 ટકા કેન્સર આ પ્રકારના હોય છે. મોઢાના કેન્સર થવાના કારણોમાં મુખ્યત્વે તમાકુ, ધુમ્રપાન વિગેરે જેવા વ્યસનો છે. કેન્સરનાં સ્ટેજ ઓપરેશન અંગે ડૉ. હિરાણીએ જણાવ્યું હતું કે, શસ્ત્રક્રિયા, રેડિયોથેરાપી અને કિમોથેરાપી મુખ્ય સારવાર છે. કેન્સરના ચાર સ્ટેજ હોય છે. પ્રથમ અને બીજા સ્ટેજના કેન્સરમાં સર્જરી અને રેડિયોથેરાપી સારવાર જ્યારે ત્રીજા અને ચોથા સ્ટેજમાં સર્જરી અને રેડિયોથેરાપી બંને સારવાર આપવી પડે છે. મહત્વનું છે કે, ડો. હિરાણીએ આ તમામ પ્રકારના ઓપરેશન કર્યા છે.

Intro:Body:

ભૂજના તબીબે કેન્સરના 1 હજાર ઓપરેશન કરી હાંસલ કરી સિદ્ધિ



કચ્છઃ જિલ્લાના ભૂજ શહેરની સિવિલ જી.કે.જનરલ હોસ્પિટલમાં છેલ્લાં 16 વર્ષથી ફરજ બજાવતાં કાન,નાક અને ગળાનાં ડૉક્ટરે કેન્સરનાં 1 હજાર ઓપરેશન કરવાની સિદ્ધિ હાંસલ કરી હતી. હાલના સમયમાં જો દર્દી જાગૃત હોય અને વહેલું નિદાન કરી સારવાર મેળવે તો કેન્સર જેવી બિમારી પણ સામાન્ય ગણાય છે. ત્યારે ડૉક્ટર નરેન્દ્ર હિરાણીએ છેલ્લા દોઢ દાયકામાં એક હજારથી વધુ સફળ કેન્સરની શસ્ત્રક્રિયા દ્વારા પુરવાર કર્યું છે.



અદાણી સમુહ દ્વારા સંચાલિત હોસ્પિટલ દ્વારા પ્રથમ વખત ગંભીર બિમારી વિશે જણાવાયું છે કે, જી.કે. જનરલમાં છેલ્લાં 16 વર્ષથી કાન,નાક અને ગળા(ENT) વિભાગમાં ફરજ બજાવતા ડૉ. નરેન્દ્ર હિરાણીએ તેમની નિયત કામગીરી દરમિયાન 1 હજારથી વધુ ગળાના અને મોઢાના સફળ ઓપરેશન કરી કેન્સર પીડિત દર્દીઓને જીવનદાન આપ્યું છે. તેમણે સરેરાશ પ્રતિ છ દિવસે કેન્સરનું એક ઓપરેશન કર્યું છે.



ડૉ. નરેન્દ્ર હિરાણીનાં જણાવ્યા અનુસાર, મોઢાના અને ગળાના ઓપરેશન ત્રણ હેતુથી કરવામાં આવે છે. પ્રથમ કેન્સરની નાબુદી, જેમાં કેન્સરગ્રસ્ત વિસ્તારનો આજુ-બાજુનો એક સેન્ટીમીટરનો ભાગ કાઢી નાખવામાં આવે છે. બીજું ગળામાં ગાંઠરૂપે કેન્સર ક્યા સુધી ફેલાયેલું છે તે ચકાસી દૂર કરવામાં આવે છે અને છેલ્લે પ્લાસ્ટિક સર્જરી દ્વારા તે ભાગની સર્જરી કરવામાં આવે છે. 



આ ઉપરાંત સ્વરપેટી અને અન્નનળીનું કેન્સર હોય તો તે પણ દૂર કરવામાં આવે છે. પરંતુ ગાલ અને જડબાના કેન્સર માટે અતિ જટિલ શસ્ત્રક્રિયા કરવી પડતી હોય છે. જેને કમાન્ડો ઓપરેશન કહે છે. મોઢા અને ગળાના કેન્સરનું સમયસર નિદાન કરવા માટે દર્દીને ગળામાં ગાંઠ હોય, ચામડી હોય જે દવાથી મહિના સુધી મટતુ નથી. ઉપરાંત સફેદ અને લાલ ડાઘ જે સારવારને પ્રતિસાદ ન આપે અને અવાજ ખરાબ થઇ જાય તેમજ ખાવામાં તકલીફ પડે સાથે ગળામાં દુખાવો રહે તો એ કેન્સર હોઈ શકે છે. 



ભારતમાં કુલ કેન્સર પૈકી 30 ટકા કેન્સર આ પ્રકારના હોય છે. મોઢાના કેન્સર થવાના કારણોમાં મુખ્યત્વે તમાકુ, ધુમ્રપાન વિગેરે જેવા વ્યસનો છે. કેન્સરનાં સ્ટેજ ઓપરેશન અંગે ડૉ. હિરાણીએ જણાવ્યું હતું કે, શસ્ત્રક્રિયા, રેડિયોથેરાપી અને કિમોથેરાપી મુખ્ય સારવાર છે. કેન્સરના ચાર સ્ટેજ હોય છે. પ્રથમ અને બીજા સ્ટેજના કેન્સરમાં સર્જરી અને રેડિયોથેરાપી સારવાર જ્યારે ત્રીજા અને ચોથા સ્ટેજમાં સર્જરી અને રેડિયોથેરાપી બંને સારવાર આપવી પડે છે. મહત્વનું છે કે, ડો. હિરાણીએ આ તમામ પ્રકારના ઓપરેશન કર્યા છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.