ETV Bharat / state

બોટાદ: નાગલપર ગામે નરેગા યોજના નીચેની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ - botad near village

બોટાદ તાલુકાના નાગલપર ગામે નરેગા યોજના નીચેની કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચાર હોવાની રાવ. નરેગા યોજનાના શ્રમજીવીએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. ઉચ્ચકક્ષાએથી તપાસના આદેશ મળ્યા હોવા છતાં સ્થાનિક અધિકારીઓ દ્વારા તપાસના નામે મીંડુ છે. બોટાદ તાલુકાના નાગલપર ગામે તારીખ 28 ફેબ્રુઆરી 2019ના રોજ નરેગા યોજના અન્વયે સરકાર દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું.

બોટાદના નાગલપર ગામે નરેગા યોજના નીચેની કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચાર હોવાની રાવ
બોટાદના નાગલપર ગામે નરેગા યોજના નીચેની કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચાર હોવાની રાવ
author img

By

Published : Feb 4, 2020, 5:32 PM IST

બોટાદઃ જિલ્લાના નરેગા યોજનાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ હોવાની શ્રમજીવી દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. જેમાં લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ઓછું કામ કરેલાને વધુ વળતર આપવામાં આવ્યું છે. વધુ કામ કરેલાને ઓછું વળતર આપવામાં આવ્યું છે. સ્થળ પરના અધિકારી દ્વારા પોતાના સગા વ્હાલાઓને વધુ વળતર આપી દીધેલાની ફરિયાદ /અરજી કરવામાં આવેલ છે. આ ફરિયાદ અરજી અન્વયે ઉચ્ચકક્ષાએથી એટલે કે, કમિશ્નર ગાંધીનગર દ્વારા તપાસના આદેશ છૂટેલા છે, તેમ છતાં બોટાદના સ્થાનિક અધિકારીઓ દ્વારા કોઈ તપાસ કરવામાં આવી નથી અને શ્રમજીવીનો આક્ષેપ છે કે, આ સ્થાનિક અધિકારી દ્વારા જાણી જોઈને આ તપાસ અટકાવવામાં આવી રહી છે.

બોટાદના નાગલપર ગામે નરેગા યોજના નીચેની કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચાર હોવાની રાવ

શ્રમજીવીએ જણાવ્યું કે, અરજી કર્યાને આશરે એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે. તેમ છતાં આજ દિન સુધી લાગતા વળગતા અધિકારીઓ દ્વારા કોઇ તપાસ કરવામાં આવી નથી અને ભ્રષ્ટાચારીઓને છાવરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેવો પણ શ્રમજીવીએ આક્ષેપ કર્યા છે.

આ નાગલપર ગામના નરેગાના શ્રમજીવીઓની માગ છે કે, આ કામે તાત્કાલિક ભ્રષ્ટાચારી અધિકારી સામે પગલા લેવામાં આવે અને જે કોઈને વધુ વળતર મળ્યું છે. તેની પાસેથી રીકવરી કરવામાં આવે અને જેને ઓછું વળતર મળ્યું છે. તેને તેના કામ મુજબનું વળતર ચૂકવવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે.

આ બાબતે ડી.આર.ડી.એના અધિકારીનો સંપર્ક કરતા તમને જણાવ્યું કે, તપાસ શરુ છે અને આઠેક દિવસમાં તેનો નિર્ણય આવશે.

બોટાદઃ જિલ્લાના નરેગા યોજનાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ હોવાની શ્રમજીવી દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. જેમાં લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ઓછું કામ કરેલાને વધુ વળતર આપવામાં આવ્યું છે. વધુ કામ કરેલાને ઓછું વળતર આપવામાં આવ્યું છે. સ્થળ પરના અધિકારી દ્વારા પોતાના સગા વ્હાલાઓને વધુ વળતર આપી દીધેલાની ફરિયાદ /અરજી કરવામાં આવેલ છે. આ ફરિયાદ અરજી અન્વયે ઉચ્ચકક્ષાએથી એટલે કે, કમિશ્નર ગાંધીનગર દ્વારા તપાસના આદેશ છૂટેલા છે, તેમ છતાં બોટાદના સ્થાનિક અધિકારીઓ દ્વારા કોઈ તપાસ કરવામાં આવી નથી અને શ્રમજીવીનો આક્ષેપ છે કે, આ સ્થાનિક અધિકારી દ્વારા જાણી જોઈને આ તપાસ અટકાવવામાં આવી રહી છે.

બોટાદના નાગલપર ગામે નરેગા યોજના નીચેની કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચાર હોવાની રાવ

શ્રમજીવીએ જણાવ્યું કે, અરજી કર્યાને આશરે એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે. તેમ છતાં આજ દિન સુધી લાગતા વળગતા અધિકારીઓ દ્વારા કોઇ તપાસ કરવામાં આવી નથી અને ભ્રષ્ટાચારીઓને છાવરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેવો પણ શ્રમજીવીએ આક્ષેપ કર્યા છે.

આ નાગલપર ગામના નરેગાના શ્રમજીવીઓની માગ છે કે, આ કામે તાત્કાલિક ભ્રષ્ટાચારી અધિકારી સામે પગલા લેવામાં આવે અને જે કોઈને વધુ વળતર મળ્યું છે. તેની પાસેથી રીકવરી કરવામાં આવે અને જેને ઓછું વળતર મળ્યું છે. તેને તેના કામ મુજબનું વળતર ચૂકવવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે.

આ બાબતે ડી.આર.ડી.એના અધિકારીનો સંપર્ક કરતા તમને જણાવ્યું કે, તપાસ શરુ છે અને આઠેક દિવસમાં તેનો નિર્ણય આવશે.

Intro:બોટાદ તાલુકાના નાગલપર ગામે નરેગા યોજના નીચેની કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચાર હોવાની રાવ.Body:નરેગા યોજના ના શ્રમજીવીએ ઉચ્ચ કક્ષાએ કરેલ રજૂઆત.
ઉચ્ચકક્ષાએથી તપાસના આદેશ થયેલ હોવા છતાં સ્થાનિક અધિકારીઓ દ્વારા તપાસના નામે મીંડુ.Conclusion:બોટાદ તાલુકાના નાગલપર ગામે તારીખ 28 /2/ 2019 ના રોજ થી નરેગા યોજના અન્વયે સરકાર શ્રી દ્વારા કામ શરૂ કરવામાં આવેલ હતું.
આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ હોવાની શ્રમજીવી દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવેલ છે. જેમાં લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ઓછું કામ કરેલા ને વધુ વળતર આપવામાં આવેલ છે અને વધુ કામ કરેલા ને ઓછું વળતર આપવામાં આવેલ છે તેમજ સ્થળ પરના અધિકારી દ્વારા પોતાના સગા વ્હાલાઓને વધુ વળતર આપી દીધેલા ની ફરિયાદ /અરજી કરવામાં આવેલ છે આ ફરિયાદ અરજી અન્વયે ઉચ્ચ કક્ષાએથી એટલે કે કમિશનર ગાંધીનગર દ્વારા તપાસના આદેશ છૂટેલા છે તેમ છતાં બોટાદના સ્થાનિક અધિકારીઓ દ્વારા કોઈ તપાસ કરવામાં આવેલ નથી અને શ્રમજીવીનો આક્ષેપ છે કે આ સ્થાનિક અધિકારી દ્વારા જાણીજોઈને આ તપાસ અટકાવવામાં આવી રહેલ છે.
વધુમાં શ્રમજીવી જણાવે છે કે અમોએ આ અરજી કર્યા ને આશરે એક વર્ષ જેટલો સમય વિતી ગયેલ છે તેમ છતાં આજ દિન સુધી લાગતા વળગતા અધિકારીઓ દ્વારા કોઇ તપાસ કરવામાં આવેલ નથી અને ભ્રષ્ટાચારીઓને છાવરવાનો પ્રયત્ન કરવામાં આવી રહેલ છે તેવો પણ શ્રમ જીવીએ આક્ષેપ કરેલ છે.
આ નાગલપર ગામ ના નરેગાના શ્રમજીવીઓની માંગ છે કે આ કામે તાત્કાલિક ભ્રષ્ટાચારી અધિકારી સામે પગલા લેવામાં આવે અને જે કોઈને વધુ વળતર મળેલ છે તેની પાસેથી રીકવરી કરવામાં આવે અને જેને ઓછું વળતર મળેલ છે તેને તેના કામ મુજબનું વળતર ચૂકવવામાં આવે તેવી પણ માંગ કરેલ છે.
આ બાબતે ડી.આર.ડી.એ.ના અધિકારીનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ છે કે તપાસ ચાલુ છે અને આઠેક દિવસ માં તેનો નિર્ણય આવશે તેમ તેઓએ જણાવેલ છે.

બાઈટ ૧: અરવિંદભાઈ પ્રેમજીભાઈ
મકવાણા
સ્થાનિક શ્રમજીવી,
નાગલપર.
૨:. બી. એમ. પટેલ
ડી.આર.ડી.એ. ડાયરેક્ટર
બોટાદ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.