ETV Bharat / state

છ મહિનાની ફી માફી આપો લોલીપોપ નહીં: ગુજરાત એકતા વાલી મંડળ

અનલોક 2માં શાળાઓ 3 માસ બંધ રાખવાનો આદેશ છે અને વિકાસની વાત કરતી સરકારે ફી માફી નહીં પણ ફીમાં 3 માસની રાહત આપી છે. જે સમયમર્યાદામાં ભરવાની છે. ત્યારે ભાવનગરમાં ગુજરાત એકતા વાલી મંડળએ આવેદન આપીને 6 માસની ફી માફ કરવા માગ કરી છે. આ સાથે ફી માંગતી શાળાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માંગ કરી છે

author img

By

Published : Jul 20, 2020, 10:21 PM IST

ગુજરાત એકતા વાલી મંડળ
ગુજરાત એકતા વાલી મંડળ

ભાવનગરઃ શહેરમાં લોકડાઉન બાદ અનલોક 1 અને 2માં શાળાઓ હજૂ બંધ રાખવામાં આવી છે. આગામી 3 માસ સુધી સરકાર દ્વારા શાળાઓ નહીં ખોલવાના આદેશ કર્યા છે. 3 માસ સુધી કોઈ પણ શાળાઓએ ફી માંગણી કરવાની નથી તેવી સ્પષ્ટ સૂચનાઓ હોવા છતાં લોકડાઉનમાં આર્થિક રીતે પીસાતી પ્રજાના માથે શાળાઓ દ્વારા યેનકેન રીતે દબાણ કરીને ફી માગવામાં આવી રહી છે.

શાળાઓએ ફી લેવા માટે ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ કર્યો છે, જેના આધારે શિક્ષણ આપ્યા બાદ શાળાઓ ફી માગી રહી છે. એક તરફ ધંધા રોજગાર અને નોકરિયાતોને પગાર કપાત સુધીની હાડમારી સહન કરવી પડી રહી છે. આવી સ્થિતિમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને શાળાઓની મસમોટી ફી કેમ ભરવી મોટો પ્રશ્ન બની જાય છે.

છ મહિનાની ફી માફી આપો લોલીપોપ નહીં: ગુજરાત એકતા વાલી મંડળ

વાલીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, ફી નહીં ભરો તો શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ નહીં આપીએ અને તમારા બાળકનું ભવિષ્ય અંધકારમય બની જશે. આવી સ્થિતિમાં હજૂ સરકાર પોતાના મુખેથી એમ નથી કહ્યું કે, ત્રણ માસ બાદ પણ ફી માફ કરવામાં આવશે. આવી પરિસ્થિતિમાં અંતે ગુજરાત વાલી એકતા મંડળ મેદાનમાં આવી ગયું છે.

ભાવનગરના વાલી એકતા મંડળએ સોમવારે બહુમાળી ભવન ખાતે આવેલી શિક્ષણ અધિકારીની કચેરી ખાતે વિરોધ વ્યક્ત કરીને આવેદન આપ્યું હતું. વાલીઓ દ્વારા આવેદનપત્ર આપીને સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે, ત્રણ મહિના સરકારના જણાવ્યા છતા યેનકેન રીતે ફી માંગવામાં આવી રહી છે.

ગુજરાત એકતા વાલી મંડળ
છ મહિનાની ફી માફી આપો લોલીપોપ નહીં: ગુજરાત એકતા વાલી મંડળ

આ સાથે હાલ આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી દરેક મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી 6 માસ માટે ફી માફી આપવી જોઈએ. જેને લઈને સોમવારે ભાવનગર શિક્ષણ અધિકારીને આવેદન પાઠવીને માંગણી કરવામાં આવી છે.

શાળાઓ દ્વારા ફી માંગણી યેનકેન રીતે કરવામાં આવી રહી છે. તેવી શાળાઓ સામે સરકાર દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી તપાસ કરીને કરવામાં આવે તેવી માંગણી પણ ગુજરાત વાલી મંડળ દ્વારા કરવામાં આવી છે.

ફી બાબતે વાલીઓને જાગૃત કરવા NSUIએ ઝુંબેશ શરૂ કરી

પોરબંદરઃ કોરોનાની મહામારીમાં મોંઘવારીએ પણ માઝા મૂકી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ સ્કૂલોનું શિક્ષણ કાર્ય બંધ કરવાનું ફરમાન કરવામાં આવ્યું છે. આવામાં અનેક સ્કૂલો દ્વારા વાલીઓ પાસેથી બાળકોના ભણતરની અને અન્ય ફી ઉઘરાવવામાં આવી રહી છે. જેનો 5 દિવસ અગાઉ NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું.

શાળા-કોલેજોમાં છ માસ માટે ફીમાં રાહત આપવા વડાપ્રધાનને 5000 પત્ર લખાયા

શાળા-કોલેજોમાં છ માસ માટે ફીમાં રાહત આપવાની માગ સાથે NSUI અને સુરત શહેર વાલીમંડળના સભ્યો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 5000 જેટલા પત્રો લખી પોસ્ટ મારફતે મોકલવામાં આવ્યા હતા.

અંકલેશ્વરની કડકીયા કૉલેજના વિદ્યાર્થીઓ પર ફી ભરવા દબાણ કરાયું

ભરૂચ: કોરોના મહામારી વચ્ચે લાદવામાં આવેલા લોકડાઉનના કારણે વેપાર-રોજગાર મંદ પડ્યા છે. જેથી સરકારે શાળા અને કૉલેજોને વિદ્યાર્થીઓ પર ફી ભરવાનું દબાણ નહીં કરવાનો આદેશ આપ્યો છે. આમ છતાં અંકલેશ્વરની શ્રીમતી કુસુમબહેન કડકીયા આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજ દ્વારા ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે રૂપિયા 10,000ની માગ કરી છે. જેથી ભરૂચિજીલ્લા NSUIએ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં તેમણે વિદ્યાર્થીઓની ફી માફ કરવા માગ કરી હતી.

સુરતની એસ.ડી.જૈન સ્કૂલ ફરી વિવાદમાં, પ્રસાશને કહ્યું- ફી નહીં ભરનારા વિદ્યાર્થીનું ઓનલાઈન શિક્ષણ થશે બંધ

સુરત: વેસુ વિસ્તારમાં આવેલી એસ.ડી. જૈન સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સ્કૂલ પ્રસાશન દ્વારા વાલીઓને ફી માટે દબાણ કરવામાં આવતું હોવાનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઓડિયોમાં સ્કૂલ પ્રસાશન કહી રહ્યું છે કે, 20 તારીખ સુધીમાં ફી નહીં ભરનારા વિદ્યાર્થીનું ઓનલાઈન શિક્ષણ બંધ કરવામાં આવશે. જેથી એક વાલીએ આ અંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ પ્રધાનને રજૂઆત કરી હતી.

પાટણમાં ફી મામલે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો, કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવી

પાટણમાં ખાનગી શાળાના સંચાલકો દ્વારા વાલીઓ પાસે ફીની ઉઘરાણી કરનામાં આવી હતી અને ફી ભરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓનું ઓનલાઈન ભણતર બંધ કરવામાં આવશે. તેવી ધમકીઓ આપતા આજે ગુરુવારે વિદ્યાર્થી યુવા સંગઠન, પાસ સમિતિ અને યુનિવર્સિટી બચાવો સંઘર્ષ સમિતિએ કલેક્ટર કચેરી ખાતે ભારે હોબાળો મચાવી શાળાના સંચાલકો સામે વિરોધ દર્શાવી અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી ખાનગી શાળાના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ભાવનગરઃ શહેરમાં લોકડાઉન બાદ અનલોક 1 અને 2માં શાળાઓ હજૂ બંધ રાખવામાં આવી છે. આગામી 3 માસ સુધી સરકાર દ્વારા શાળાઓ નહીં ખોલવાના આદેશ કર્યા છે. 3 માસ સુધી કોઈ પણ શાળાઓએ ફી માંગણી કરવાની નથી તેવી સ્પષ્ટ સૂચનાઓ હોવા છતાં લોકડાઉનમાં આર્થિક રીતે પીસાતી પ્રજાના માથે શાળાઓ દ્વારા યેનકેન રીતે દબાણ કરીને ફી માગવામાં આવી રહી છે.

શાળાઓએ ફી લેવા માટે ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ કર્યો છે, જેના આધારે શિક્ષણ આપ્યા બાદ શાળાઓ ફી માગી રહી છે. એક તરફ ધંધા રોજગાર અને નોકરિયાતોને પગાર કપાત સુધીની હાડમારી સહન કરવી પડી રહી છે. આવી સ્થિતિમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને શાળાઓની મસમોટી ફી કેમ ભરવી મોટો પ્રશ્ન બની જાય છે.

છ મહિનાની ફી માફી આપો લોલીપોપ નહીં: ગુજરાત એકતા વાલી મંડળ

વાલીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, ફી નહીં ભરો તો શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ નહીં આપીએ અને તમારા બાળકનું ભવિષ્ય અંધકારમય બની જશે. આવી સ્થિતિમાં હજૂ સરકાર પોતાના મુખેથી એમ નથી કહ્યું કે, ત્રણ માસ બાદ પણ ફી માફ કરવામાં આવશે. આવી પરિસ્થિતિમાં અંતે ગુજરાત વાલી એકતા મંડળ મેદાનમાં આવી ગયું છે.

ભાવનગરના વાલી એકતા મંડળએ સોમવારે બહુમાળી ભવન ખાતે આવેલી શિક્ષણ અધિકારીની કચેરી ખાતે વિરોધ વ્યક્ત કરીને આવેદન આપ્યું હતું. વાલીઓ દ્વારા આવેદનપત્ર આપીને સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે, ત્રણ મહિના સરકારના જણાવ્યા છતા યેનકેન રીતે ફી માંગવામાં આવી રહી છે.

ગુજરાત એકતા વાલી મંડળ
છ મહિનાની ફી માફી આપો લોલીપોપ નહીં: ગુજરાત એકતા વાલી મંડળ

આ સાથે હાલ આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી દરેક મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી 6 માસ માટે ફી માફી આપવી જોઈએ. જેને લઈને સોમવારે ભાવનગર શિક્ષણ અધિકારીને આવેદન પાઠવીને માંગણી કરવામાં આવી છે.

શાળાઓ દ્વારા ફી માંગણી યેનકેન રીતે કરવામાં આવી રહી છે. તેવી શાળાઓ સામે સરકાર દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી તપાસ કરીને કરવામાં આવે તેવી માંગણી પણ ગુજરાત વાલી મંડળ દ્વારા કરવામાં આવી છે.

ફી બાબતે વાલીઓને જાગૃત કરવા NSUIએ ઝુંબેશ શરૂ કરી

પોરબંદરઃ કોરોનાની મહામારીમાં મોંઘવારીએ પણ માઝા મૂકી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ સ્કૂલોનું શિક્ષણ કાર્ય બંધ કરવાનું ફરમાન કરવામાં આવ્યું છે. આવામાં અનેક સ્કૂલો દ્વારા વાલીઓ પાસેથી બાળકોના ભણતરની અને અન્ય ફી ઉઘરાવવામાં આવી રહી છે. જેનો 5 દિવસ અગાઉ NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું.

શાળા-કોલેજોમાં છ માસ માટે ફીમાં રાહત આપવા વડાપ્રધાનને 5000 પત્ર લખાયા

શાળા-કોલેજોમાં છ માસ માટે ફીમાં રાહત આપવાની માગ સાથે NSUI અને સુરત શહેર વાલીમંડળના સભ્યો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 5000 જેટલા પત્રો લખી પોસ્ટ મારફતે મોકલવામાં આવ્યા હતા.

અંકલેશ્વરની કડકીયા કૉલેજના વિદ્યાર્થીઓ પર ફી ભરવા દબાણ કરાયું

ભરૂચ: કોરોના મહામારી વચ્ચે લાદવામાં આવેલા લોકડાઉનના કારણે વેપાર-રોજગાર મંદ પડ્યા છે. જેથી સરકારે શાળા અને કૉલેજોને વિદ્યાર્થીઓ પર ફી ભરવાનું દબાણ નહીં કરવાનો આદેશ આપ્યો છે. આમ છતાં અંકલેશ્વરની શ્રીમતી કુસુમબહેન કડકીયા આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજ દ્વારા ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે રૂપિયા 10,000ની માગ કરી છે. જેથી ભરૂચિજીલ્લા NSUIએ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં તેમણે વિદ્યાર્થીઓની ફી માફ કરવા માગ કરી હતી.

સુરતની એસ.ડી.જૈન સ્કૂલ ફરી વિવાદમાં, પ્રસાશને કહ્યું- ફી નહીં ભરનારા વિદ્યાર્થીનું ઓનલાઈન શિક્ષણ થશે બંધ

સુરત: વેસુ વિસ્તારમાં આવેલી એસ.ડી. જૈન સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સ્કૂલ પ્રસાશન દ્વારા વાલીઓને ફી માટે દબાણ કરવામાં આવતું હોવાનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઓડિયોમાં સ્કૂલ પ્રસાશન કહી રહ્યું છે કે, 20 તારીખ સુધીમાં ફી નહીં ભરનારા વિદ્યાર્થીનું ઓનલાઈન શિક્ષણ બંધ કરવામાં આવશે. જેથી એક વાલીએ આ અંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ પ્રધાનને રજૂઆત કરી હતી.

પાટણમાં ફી મામલે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો, કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવી

પાટણમાં ખાનગી શાળાના સંચાલકો દ્વારા વાલીઓ પાસે ફીની ઉઘરાણી કરનામાં આવી હતી અને ફી ભરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓનું ઓનલાઈન ભણતર બંધ કરવામાં આવશે. તેવી ધમકીઓ આપતા આજે ગુરુવારે વિદ્યાર્થી યુવા સંગઠન, પાસ સમિતિ અને યુનિવર્સિટી બચાવો સંઘર્ષ સમિતિએ કલેક્ટર કચેરી ખાતે ભારે હોબાળો મચાવી શાળાના સંચાલકો સામે વિરોધ દર્શાવી અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી ખાનગી શાળાના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.