ETV Bharat / state

રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ ભારતીબેન શિયાળે મથાવડા બેઠક પરથી મતદાન કર્યું - National Vice President of BJP Bhartiben Shiyal

ભાવનગરના તળાજાના મથાવડા ગામ ખાતે આવેલા મતદાન મથકે સાંસદ ભારતીબેન શિયાળે મતદાન કર્યું હતું. જ્યારે લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે તળાજાના બોરડાથી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

મથાવડા બેઠક પરથી સાંસદ ભારતીબેન શિયાળે મતદાન કર્યું
મથાવડા બેઠક પરથી સાંસદ ભારતીબેન શિયાળે મતદાન કર્યું
author img

By

Published : Mar 1, 2021, 12:23 PM IST

  • બોરડા કેન્દ્રવર્તી શાળામાંથી લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે મતદાન કર્યું
  • ભાવનગર જિલ્લામાં અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાયું
  • ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારો વિજય બનશેઃ ભારતીબેન શિયાળ

ભાવનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી 28 ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી. જેમાં ભાવનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાયેલા જેમાં મતાધિકારનો ઉપયોગ કરવા ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ તેમના પરિવાર સાથે તેમના વતન મથાવડા આવી પહોંચ્યા હતા અને તેઓએ તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, મતદાન કરવું એ દરેક લોકોની ફરજ છે એટલે અવશ્ય મતદાન કરો અને આ તમામ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારો વિજય બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. જ્યારે પ્રસિદ્ધ સાહિત્યકાર માયાભાઈ આહીરે પોતાના વતન બોરડા ખાતે જઇને પરિવાર સાથે મતદાન કર્યું હતું અને માયાભાઈ દ્વારા પણ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.

બોરડા કેન્દ્રવર્તી શાળામાથી લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે મતદાન કર્યું
બોરડા કેન્દ્રવર્તી શાળામાથી લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે મતદાન કર્યું

  • બોરડા કેન્દ્રવર્તી શાળામાંથી લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે મતદાન કર્યું
  • ભાવનગર જિલ્લામાં અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાયું
  • ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારો વિજય બનશેઃ ભારતીબેન શિયાળ

ભાવનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી 28 ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી. જેમાં ભાવનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાયેલા જેમાં મતાધિકારનો ઉપયોગ કરવા ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ તેમના પરિવાર સાથે તેમના વતન મથાવડા આવી પહોંચ્યા હતા અને તેઓએ તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, મતદાન કરવું એ દરેક લોકોની ફરજ છે એટલે અવશ્ય મતદાન કરો અને આ તમામ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારો વિજય બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. જ્યારે પ્રસિદ્ધ સાહિત્યકાર માયાભાઈ આહીરે પોતાના વતન બોરડા ખાતે જઇને પરિવાર સાથે મતદાન કર્યું હતું અને માયાભાઈ દ્વારા પણ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.

બોરડા કેન્દ્રવર્તી શાળામાથી લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે મતદાન કર્યું
બોરડા કેન્દ્રવર્તી શાળામાથી લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે મતદાન કર્યું
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.