ETV Bharat / state

ફાયરના નિયમ બતાવતી ખુદ મનપા નિયમમાં નથી, શાસકનો લુલો બચાવ

રાજ્યમાં સુરતની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ફાયરના સાધનો નાખવા હાઇરાઈઝ બિલ્ડીંગને સૂચનાઓ આપવામાં આવી છે, ત્યારે ભાવનગર મનપાએ સમગ્ર શહેરમાં હાઇરાઈઝ બિલ્ડીંગોને નોટિસ આપી સાધનો નખાવ્યા છે, પરંતુ ખુદ મનપાનું બિલ્ડીંગ અને તેના નેજા હેઠળના બિલ્ડીંગોમાં ફાયરના સાધનો નથી. સવાલ મનપા સામે થતા શાસકો અને અધિકારી લુલો બચાવ કરવા લાગ્યા છે.

author img

By

Published : Feb 24, 2020, 7:31 PM IST

ફાયરના નિયમ બતાવતી ખુદ મનપા નિયમમાં નથી, શાસકનો લુલો બચાવ
ફાયરના નિયમ બતાવતી ખુદ મનપા નિયમમાં નથી, શાસકનો લુલો બચાવ

ભાવનગર : મહાનગરપાલિકાનો ઘાટ એવો છે કે તેનું ફાયર વિભાગ શહેરની હાઇરાઈઝ બીલ્ડીંગને ફાયરના નિયમ પ્રમાણે સાધનો નહી હોવાથી નોટિસો આપે છે, ત્યારે ભાવનગર મનપાનું બિલ્ડીંગ અને તેની શાળાઓ સહિતના બિલ્ડિંગમાં નિયમ પ્રમાણેના સાધનો નથી. અધિકારી અને શાસક બચાવમાં લાગી ગયા જ્યારે પ્રશ્ન તેમનો આવ્યો તો.

ફાયરના નિયમ બતાવતી ખુદ મનપા નિયમમાં નથી, શાસકનો લુલો બચાવ

ભાવનગરમાં આવેલી અસંખ્ય હાઇરાઇઝ બિલ્ડીંગઓમાં ફાયરના સાધનો તાત્કાલિક અસરથી નાખવા સુરતની ઘટના બાદ સરકારે આદેશ કર્યો પણ ભાવનગર મનપાએ સમગ્ર શહેરની હાઇરાઈઝ બિલ્ડીંગને નોટિસો આપી પાલન કરાવ્યુ પણ મનપાના બિલ્ડિંગમાં જ ન તો નોટિસ આપી કે ન તો પગલાં ભર્યા. વિપક્ષના આકરા પ્રહારથી મનપાના શાસકો બચાવમાં ઉતર્યા છે અને હવે પ્રોજેકટ હાથ પર હોઈ ટુંક સમયમાં થઈ જશે તેવી વાત કરી રહ્યા છે.

ફાયર સેફટીના સાધનોની વાત માત્ર મનપાના મુખ્ય બિલ્ડડિંગની નથી, પરંતુ મનપાના બિલ્ડીંગ બાદ પણ શાળાના અને અન્ય કચેરીને મળીને 45 જેવી બિલ્ડીંગ છે. જેમાં દરેક બિલ્ડિંગમાં હવે મનપા ગામને જગાડ્યા બાદ જાગશે અને ફાયરના સાધનો નિયમ પ્રમાણે મુકશે. જો કે મનપાના પાંચ માળના મુખ્ય બિલ્ડીંગને પગલે લેખિતમાં કમિશ્નરને જાણ કરાઈ છે. કોઈ નોટિસ આપી નથી. ફાયર અધિકારીના જણાવ્યાં અનુસાર ફાયરના સાધનોનો પ્રોજેકટ તૈયાર છે. જેમાં પાઇપ સાથે કરવામાં આવશે તો પોણા બે કરોડનો ખર્ચો થશે. ફાયરના સાધનો ટુંક સમયમાં નંખાઈ જશે તેમ જણાવી રહ્યા છે.

ભગવાન બુદ્ધે કહ્યું છે કે પહેલા કોઈ પોતાની કુટેવ હોઈ તો તેને કાઢીને બીજાને સલાહ આપવી જોઈએ, પરંતુ અહીંયા તો સલાહ દૂર હુકમ કરવામાં આવે છે અને દંડ પણ ત્યારે શું કાયદો બતાવતા પહેલા કાયદામાં શું કાયદો બતાવનારે ના રહેવું જોઈએ.

ભાવનગર : મહાનગરપાલિકાનો ઘાટ એવો છે કે તેનું ફાયર વિભાગ શહેરની હાઇરાઈઝ બીલ્ડીંગને ફાયરના નિયમ પ્રમાણે સાધનો નહી હોવાથી નોટિસો આપે છે, ત્યારે ભાવનગર મનપાનું બિલ્ડીંગ અને તેની શાળાઓ સહિતના બિલ્ડિંગમાં નિયમ પ્રમાણેના સાધનો નથી. અધિકારી અને શાસક બચાવમાં લાગી ગયા જ્યારે પ્રશ્ન તેમનો આવ્યો તો.

ફાયરના નિયમ બતાવતી ખુદ મનપા નિયમમાં નથી, શાસકનો લુલો બચાવ

ભાવનગરમાં આવેલી અસંખ્ય હાઇરાઇઝ બિલ્ડીંગઓમાં ફાયરના સાધનો તાત્કાલિક અસરથી નાખવા સુરતની ઘટના બાદ સરકારે આદેશ કર્યો પણ ભાવનગર મનપાએ સમગ્ર શહેરની હાઇરાઈઝ બિલ્ડીંગને નોટિસો આપી પાલન કરાવ્યુ પણ મનપાના બિલ્ડિંગમાં જ ન તો નોટિસ આપી કે ન તો પગલાં ભર્યા. વિપક્ષના આકરા પ્રહારથી મનપાના શાસકો બચાવમાં ઉતર્યા છે અને હવે પ્રોજેકટ હાથ પર હોઈ ટુંક સમયમાં થઈ જશે તેવી વાત કરી રહ્યા છે.

ફાયર સેફટીના સાધનોની વાત માત્ર મનપાના મુખ્ય બિલ્ડડિંગની નથી, પરંતુ મનપાના બિલ્ડીંગ બાદ પણ શાળાના અને અન્ય કચેરીને મળીને 45 જેવી બિલ્ડીંગ છે. જેમાં દરેક બિલ્ડિંગમાં હવે મનપા ગામને જગાડ્યા બાદ જાગશે અને ફાયરના સાધનો નિયમ પ્રમાણે મુકશે. જો કે મનપાના પાંચ માળના મુખ્ય બિલ્ડીંગને પગલે લેખિતમાં કમિશ્નરને જાણ કરાઈ છે. કોઈ નોટિસ આપી નથી. ફાયર અધિકારીના જણાવ્યાં અનુસાર ફાયરના સાધનોનો પ્રોજેકટ તૈયાર છે. જેમાં પાઇપ સાથે કરવામાં આવશે તો પોણા બે કરોડનો ખર્ચો થશે. ફાયરના સાધનો ટુંક સમયમાં નંખાઈ જશે તેમ જણાવી રહ્યા છે.

ભગવાન બુદ્ધે કહ્યું છે કે પહેલા કોઈ પોતાની કુટેવ હોઈ તો તેને કાઢીને બીજાને સલાહ આપવી જોઈએ, પરંતુ અહીંયા તો સલાહ દૂર હુકમ કરવામાં આવે છે અને દંડ પણ ત્યારે શું કાયદો બતાવતા પહેલા કાયદામાં શું કાયદો બતાવનારે ના રહેવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.