ભારતીય નૌકાદળમાં વર્ષ 1987માં સામેલ થઇ અને 30 વર્ષ સુધી દેશની જળસીમાને સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવનાર આઈએનએસ વિરાટ 30 વર્ષ સુધી કાર્યરત રહી. 23 જુલાઈ 2016ના રોજ તેની અંતિમ સફર આપમેળે ખેડી મુંબઈથી કોચી પહોચ્યું હતું. જ્યાં તેને ડીકમીશન્ડ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 23થી 28મી ઓકટોબર 2016ના રોજ ફરી આ શીપને ટગથી ખેંચી કોચીથી મુંબઈ લાવવામાં આવ્યું હતું.
તારીખ 6 માર્ચ 2017ના રોજ ભારતીય નૌકાદળમાંથી આ જહાજને સેવાનિવૃત કરવામાં આવ્યું હતું. આ જહાજને સ્ક્રેપ કરવાના સરકારના નિર્ણય બાદ તેની ઓનલાઈન હરાજી કરવામાં આવી હતી, જેમાં અલંગમાં પ્લોટનં. 81 (શ્રીરામ શીપીંગ)ના મુકેશ પટેલે 26 કરોડ રૂ.માં ખરીદ કર્યું છે. આ જહાજ જીએસટી, કસ્ટમ સહિતની તમામ સરકારી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ટગ દ્વારા અલંગ તરફની અંતિમ સફર ખેડશે.