ભાવનગર : સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા શરૂ કરવામાં આવી હતી. સ્વચ્છતા પખવાડિયાના અંતિમ દિવસે ભાવનગર રેલવે ડિવિઝનના DRM પ્રતીક ગૌસ્વામીએ લોકોને હવે સ્વચ્છતાને આદત બનાવવા માટે જણાવ્યું છે.

પત્રકાર પરિષદમાં ભાવનગર DRMએ જણાવ્યું હતું કે, રેલવેના દરેક ખૂણે સ્વચ્છતા માટે પગલા લેવામાં આવી રહ્યા છે અને કોવિડ-19ની મહામારીને પગલે રેલવે દ્વારા સંપૂર્ણ કાળજી રાખવામાં આવી રહી છે. રેલવે ડિવિઝનમાં ચાલતા પખવાડિયાને લઈને રેલવેએ દરેક ખૂણામાં સ્વચ્છતા કરવામાં આવી છે. જેમાં રેલવે કોલોની, રેલવે ઓફિસ અને રેલવે સ્ટેશનો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યા હતા.
આ સાથે તેમને જણાવ્યું હતું કે, હવે રેલવે સહિત દરેક ભારતવાસીઓને DRMએ સ્વચ્છતા માટે સ્વયંભૂ સમજીને આદત સ્વચ્છતાની પાડવી પડશે, તેવી હાકલ કરી છે. જેથી કરીને કોવિડ જેવી મહામારી અને સ્વાસ્થ્યને લઈને ભારત સક્ષમ બની શકે.