ETV Bharat / state

ભાવનગરમાં કોરોનાના કેસમાં સતત વધારો, રોજનો આંકડો 50ની આસપાસ

author img

By

Published : Sep 18, 2020, 1:47 PM IST

ભાવનગરમાં કોરોનાના આંકડામાં ઘટાડો જોવા મળતો નથી. લોકોને અનલોકમાં મળેલી છૂટમાં બેદરકારી હોય તેમ રોજનો કોરોનાનો આંકડો 50 ની આસપાસ રહે છે. ત્યારે હકીકતમાં આંકડો 50 કે, તેનાથી વધુ આવા સવાલો પણ લોકો કરી રહ્યા છે. ભાવનગરમાં લોકોમાં ડર ઘટી રહ્યો છે, તો કેસનો આંકડો પણ વધી રહ્યો છે.

bhavnagar
ભાવનગરમાં કોરોના

  • ભાવનગરમાં રોજના કોરોનાના કેસનો આંકડો 50ની આસપાસ
  • શહેરમાં અનલોકનો પ્રારંભ છતાં કેસમાં વધારો
  • કોરોના કેસોમાં વધારો થતાં લોકોમાં ચિંતા અને ભય
  • ભાવનગર શહેરમાં કોરોનાના કેસો 3658 આજદિન સુધી નોંધાયા

ભાવનગર : શહેરમાં કોરોનાના આંકડામાં ઘટાડો જોવા મળતો નથી. શહેરમાં કોરોના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે શહેરમાં તા. 17 સપ્ટેમ્બરના રોજ કોરોનાના 55 કેસો આવ્યા છે. મુખ્યપ્રધાને ભાવનગરમાં તંત્ર સાથે બેઠક યોજી હતી. છતાં તંત્ર દ્વારા માત્ર નામ જાહેર નહિ કરવાની રણનીતિ બનાવી છે. જોકે, આંકડા ઘટવા પાછળ કારણ શું છે ? અને આઇસોલેશન વોર્ડ ધીરે ધીરે ભરાઈ રહ્યો છે. ભાવનગર શહેરમાં અનલોકનો પ્રારંભ થયો હોવા છતાં કેસોની સંખ્યા વધી રહી છે. તેમજ જિલ્લાનો આંકડો 3658 પહોંચી ગયો છે. કોરોનાના કેસો દિવસમાં 20 ઓછામાં ઓછા છેલ્લા ઘણા સમયથી આવી રહ્યા છે. 20 થી લઈને 30 સુધી તો ક્યારેક 30ને પાર પોઝિટિવ દર્દીઓનો આંકડો વટી ચુકેલો છે.

શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસોથી લોકોમાં ચિંતા અને ભય પણ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. તા. 17 સપ્ટેમ્બરના દિવસે 55 કેસ સાંજ સુધીમાં નોંધાઇ ચુક્યા હતા, તો શહેરમાં ઘટતા આંકડા પાછળ તંત્ર સામે લોકો ગોલમાલની શંકા વ્યક્ત કરી રહ્યા છે. નામ જાહેર નહિ કરીને તંત્રએ લોકોની ચિંતા વધારી દીધી છે.

ભાવનગર શહેરમાં કોરોના કેસો 3658 આજદિન સુધી નોંધાઇ ચૂક્યા છે. ત્યારે ભાવનગર સર ટી હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા ત્રણ માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓને સ્વસ્થ કર્યા છે. ભાવનગરમાં આજદિન સુધીમાં 3175 દર્દીઓ સ્વસ્થ થયા છે, તો 55 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. સર ટી હોસ્પિટલ સહિત ખાનગીમાં આવેલા આઇસોલેશનમાં હાલમાં આશરે 421 જેટલા દર્દીઓ હજુ પણ સારવાર લઈ રહ્યા છે. ત્યારે સ્વસ્થ થવાનો આંકડો 3175 પર પહોંચી ગયો છે.

ભાવનગરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે લોકોને અંતર રાખવા અને હાથ વારંવાર સાફ કરતા રહેવાની સલાહો આપવામાં આવી રહી છે.

  • ભાવનગરમાં રોજના કોરોનાના કેસનો આંકડો 50ની આસપાસ
  • શહેરમાં અનલોકનો પ્રારંભ છતાં કેસમાં વધારો
  • કોરોના કેસોમાં વધારો થતાં લોકોમાં ચિંતા અને ભય
  • ભાવનગર શહેરમાં કોરોનાના કેસો 3658 આજદિન સુધી નોંધાયા

ભાવનગર : શહેરમાં કોરોનાના આંકડામાં ઘટાડો જોવા મળતો નથી. શહેરમાં કોરોના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે શહેરમાં તા. 17 સપ્ટેમ્બરના રોજ કોરોનાના 55 કેસો આવ્યા છે. મુખ્યપ્રધાને ભાવનગરમાં તંત્ર સાથે બેઠક યોજી હતી. છતાં તંત્ર દ્વારા માત્ર નામ જાહેર નહિ કરવાની રણનીતિ બનાવી છે. જોકે, આંકડા ઘટવા પાછળ કારણ શું છે ? અને આઇસોલેશન વોર્ડ ધીરે ધીરે ભરાઈ રહ્યો છે. ભાવનગર શહેરમાં અનલોકનો પ્રારંભ થયો હોવા છતાં કેસોની સંખ્યા વધી રહી છે. તેમજ જિલ્લાનો આંકડો 3658 પહોંચી ગયો છે. કોરોનાના કેસો દિવસમાં 20 ઓછામાં ઓછા છેલ્લા ઘણા સમયથી આવી રહ્યા છે. 20 થી લઈને 30 સુધી તો ક્યારેક 30ને પાર પોઝિટિવ દર્દીઓનો આંકડો વટી ચુકેલો છે.

શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસોથી લોકોમાં ચિંતા અને ભય પણ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. તા. 17 સપ્ટેમ્બરના દિવસે 55 કેસ સાંજ સુધીમાં નોંધાઇ ચુક્યા હતા, તો શહેરમાં ઘટતા આંકડા પાછળ તંત્ર સામે લોકો ગોલમાલની શંકા વ્યક્ત કરી રહ્યા છે. નામ જાહેર નહિ કરીને તંત્રએ લોકોની ચિંતા વધારી દીધી છે.

ભાવનગર શહેરમાં કોરોના કેસો 3658 આજદિન સુધી નોંધાઇ ચૂક્યા છે. ત્યારે ભાવનગર સર ટી હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા ત્રણ માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓને સ્વસ્થ કર્યા છે. ભાવનગરમાં આજદિન સુધીમાં 3175 દર્દીઓ સ્વસ્થ થયા છે, તો 55 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. સર ટી હોસ્પિટલ સહિત ખાનગીમાં આવેલા આઇસોલેશનમાં હાલમાં આશરે 421 જેટલા દર્દીઓ હજુ પણ સારવાર લઈ રહ્યા છે. ત્યારે સ્વસ્થ થવાનો આંકડો 3175 પર પહોંચી ગયો છે.

ભાવનગરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે લોકોને અંતર રાખવા અને હાથ વારંવાર સાફ કરતા રહેવાની સલાહો આપવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.