ETV Bharat / state

ભરૂચમાં કોરોના વાઈરસ પોઝિટિવ કેસનો આંકડો 21 પર પહોંચ્યો

author img

By

Published : Apr 17, 2020, 1:51 PM IST

ભરૂચ કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છે અને દિન-પ્રતિદિન પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે જીલ્લામાં બે દિવસમાં કોરોનાના વધુ 8 પોઝિટિવ કેસ નોધાયા છે. જેથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 21 પર પહોંચતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે.

ભરૂચમાં કોરોના વાઈરસ પોઝિટિવ કેસનો આંકડો પહોંચ્યો 21 પર
In Bharuch, the number of Corona positive cases reached 21

ભરૂચઃ જીલ્લામાં કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છે અને દિનપ્રતિદિન પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે ભરૂચમાં બે દિવસમાં કોરોનાના વધુ 8 પોઝિટિવ કેસ નોધાયા છે. સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી સગર્ભા મહિલા, અસ્થમાથી પીડિત 16 વર્ષીય કિશોર, નાગરવાડાથી ભરૂચ આવેલા વિદ્યાર્થી સહિત 4 લોકોના રિપોર્ટ 16 એપ્રિલે પોઝિટિવ આવ્યા હતા ત્યાર બાદ 17 એપ્રિલે ચાર પોઝિટિવ કેસ નોધાયા છે.

આ ચારેય કેસ ભરૂચ સિવિલ હોસ્પિટલનાં સ્વાસ્થ્ય કર્મીઓના જ છે. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી વાલિયાની બે તેમજ આલ્ફા સોસાયટીની એક લેબ ટેકનીશીયનને અને ભરૂચ સિવિલ હોસ્પિટલના ક્વાટર્સમાં રહેતા પુરૂષ ગાયનેકોલોજીસ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ લોકોને સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશ્યલ કોવીડ જયા બહેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ભરૂચ જીલ્લામાં 8 દિવસમાં કોરોના વાઈરસના 21 કેસ નોધાયા છે. જેના પર એક નજર કરીએ તો...

  • 9 એપ્રિલ-ઇખરમાં રેહતા તમિલનાડુના 4 લોકો
  • 10 એપ્રિલ-ઇખરનો વધુ એક દેવલામાં હરિયાણાના 2 લોકો
  • 11 એપ્રિલ-ભાવનગર ગયેલા પારખેતના મૌલવી
  • 13 એપ્રિલ-ભાવનગર ધાર્મિક કાર્યક્રમમાં ગયેલ વાતરસાના 3 વ્યક્તિના
  • 14 એપ્રિલ-સિવિલ હોસ્પિટલની બે નર્સ
  • 16 એપ્રિલ-સિવિલ હોસ્પિટલની મહિલા સિક્યુરી ટી, નર્મદા બંગ્લોઝનો ૧૬ વર્ષીય કિશોર, મુક્તાનંદ સોસાયટીનો એક વિદ્યાર્થી અને રાઝી સ્ટ્રીટમાં રહેતો એક વ્યક્તિ
  • 17 એપ્રિલ-સિવિલ હોસ્પિટલના ત્રણ લેબ ટેકનીશીયન અને એક ગાયનેકોલોજીસ્ટનો

ભરૂચઃ જીલ્લામાં કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છે અને દિનપ્રતિદિન પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે ભરૂચમાં બે દિવસમાં કોરોનાના વધુ 8 પોઝિટિવ કેસ નોધાયા છે. સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી સગર્ભા મહિલા, અસ્થમાથી પીડિત 16 વર્ષીય કિશોર, નાગરવાડાથી ભરૂચ આવેલા વિદ્યાર્થી સહિત 4 લોકોના રિપોર્ટ 16 એપ્રિલે પોઝિટિવ આવ્યા હતા ત્યાર બાદ 17 એપ્રિલે ચાર પોઝિટિવ કેસ નોધાયા છે.

આ ચારેય કેસ ભરૂચ સિવિલ હોસ્પિટલનાં સ્વાસ્થ્ય કર્મીઓના જ છે. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી વાલિયાની બે તેમજ આલ્ફા સોસાયટીની એક લેબ ટેકનીશીયનને અને ભરૂચ સિવિલ હોસ્પિટલના ક્વાટર્સમાં રહેતા પુરૂષ ગાયનેકોલોજીસ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ લોકોને સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશ્યલ કોવીડ જયા બહેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ભરૂચ જીલ્લામાં 8 દિવસમાં કોરોના વાઈરસના 21 કેસ નોધાયા છે. જેના પર એક નજર કરીએ તો...

  • 9 એપ્રિલ-ઇખરમાં રેહતા તમિલનાડુના 4 લોકો
  • 10 એપ્રિલ-ઇખરનો વધુ એક દેવલામાં હરિયાણાના 2 લોકો
  • 11 એપ્રિલ-ભાવનગર ગયેલા પારખેતના મૌલવી
  • 13 એપ્રિલ-ભાવનગર ધાર્મિક કાર્યક્રમમાં ગયેલ વાતરસાના 3 વ્યક્તિના
  • 14 એપ્રિલ-સિવિલ હોસ્પિટલની બે નર્સ
  • 16 એપ્રિલ-સિવિલ હોસ્પિટલની મહિલા સિક્યુરી ટી, નર્મદા બંગ્લોઝનો ૧૬ વર્ષીય કિશોર, મુક્તાનંદ સોસાયટીનો એક વિદ્યાર્થી અને રાઝી સ્ટ્રીટમાં રહેતો એક વ્યક્તિ
  • 17 એપ્રિલ-સિવિલ હોસ્પિટલના ત્રણ લેબ ટેકનીશીયન અને એક ગાયનેકોલોજીસ્ટનો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.