ETV Bharat / state

અંકલેશ્વરના ઉદ્યોગકારોએ સરકારી નીતિનો કર્યો વિરોધ - અંકલેશ્વરમાં 1200 ઉદ્યોગો

અંકલેશ્વરઃ એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરવતા અંક્લેશ્વરમાં 3 બજાર ઉદ્યોગો બંધ થવાના આરે છે. ગુજરાત પ્રદૂષણ નિયત્રંણ બોર્ડના નિયમોના કારણે ઉદ્યોગકારો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. કારણ કે, તંત્રના નિયમોથી ઉદ્યોગોને ભારે નુકસાન વેઠવું પડે છે. વળી, કેટલાંક ઉદ્યોગો તો મંદીમાં સપડાઈ ગયા છે. જેથી ઉદ્યોગકારોએ આ અંગે તંત્રમાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે, અને સરકારની નિતીમાં સુધારો લાવવાની માગ કરી છે. જો આ માગ અંગે વહેલી તકે કોઈ પગલાં લેવામાં નહીં આવે, તો ઉદ્યોગકારોએ પલાયન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અંકલેશ્વરના ઉદ્યોગકારોનો રાજ્યસરકારની નીતિ સામે વિરોધ
author img

By

Published : Sep 20, 2019, 6:45 AM IST

અંકલેશ્વરમાં ઉદ્યોગપતિઓ સરકારની નિયમનો સામે વિરોધ નોંધાવી રહ્યાં છે. નિયમોના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું પડે છે. તો કેટલાક ઉદ્યોગો મંદીના ઝપાટે આવી બંધ થવાને આરે પહોંચી ગયા છે. જેથી ઉદ્યોગકારોએ સરકારની નીતિમાં સુઘારો કરવાની માગ કરી છે.

અંકલેશ્વરના ઉદ્યોગકારોએ સરકારી નીતિનો કર્યો વિરોધ

ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વરમાં 1200 ઉદ્યોગો છે. જે વર્ષોથી ક્રિટિકલી પોલ્યુટેડ ઝોનનો સામનો કરતા હતા. આ ઉદ્યોગિક વસાવતને 5 વર્ષ પહેલા પોલ્યુટેડ ઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરી એકવાર અંક્લેશ્વરએ પાનોલી ઔદ્યોગિક વસાહતનો ક્રિટિકલી પોલ્યુટેડ ઝોનમાં સમાવેશ કરાયો છે. જેના કારણે ઉદ્યોગોનું એક્સપાન્સ અટકી ગયું છે, અને નવા ઉદ્યોગોનો પ્રવેશ થઈ રહ્યો નથી. તો બીજી તરફ ઉદ્યોગો મંદીમાં સપડાઈ રહ્યાં છે. જેથી અંક્લેશ્વરના ઉદ્યોગકારો પ્રદૂષણ નિયત્રંણ બોર્ડના નિયમોથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે.

આ સમસ્યાના નિવારણ માટે અંકલેશ્વર પાનોલી ઉદ્યોગ મંડળના હોદ્દેદારોએ બેઠક કરી હતી. જેમાં ગુજરાત સરકારની નિતીનો વિરોધ કરી પોતાના હક માટે લડવાનો નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત ઉદ્યોગકારોએ સરકારના નિયમોમાં જરૂરી સુધારા કરવાની માગ કરી છે. જો આ માગ વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

આ અંગે ઉદ્યોગકારોએ આક્રોશ ઠાલવતાં જણાવી રહ્યાં છે કે, "સોમવારના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરવાના છે. જો રજૂઆત છતાં કોઈ પરીણામ નહીં આવે તો, 3 હજાર ઉદ્યોગોને સ્વયંભુ બંધ કરીને આવનારા દિવસોમાં અંકલેશ્વરમાં છોડી અન્ય રાજ્યમાં પલાયન કરીશું. જે સરકારને તેના ઉદ્યોગકારોની ચિંતા ન હોય ત્યાં રહીને કોઈ ફાયદો નથી " આમ, સરકારની નીતિથી ત્રસેલા ઉદ્યોગકારો રાજ્ય સરકારની ઉદાસીનતાના કારણે રાજ્ય છોડવા માટે મજબૂર થયાં છે.

અંકલેશ્વરમાં ઉદ્યોગપતિઓ સરકારની નિયમનો સામે વિરોધ નોંધાવી રહ્યાં છે. નિયમોના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું પડે છે. તો કેટલાક ઉદ્યોગો મંદીના ઝપાટે આવી બંધ થવાને આરે પહોંચી ગયા છે. જેથી ઉદ્યોગકારોએ સરકારની નીતિમાં સુઘારો કરવાની માગ કરી છે.

અંકલેશ્વરના ઉદ્યોગકારોએ સરકારી નીતિનો કર્યો વિરોધ

ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વરમાં 1200 ઉદ્યોગો છે. જે વર્ષોથી ક્રિટિકલી પોલ્યુટેડ ઝોનનો સામનો કરતા હતા. આ ઉદ્યોગિક વસાવતને 5 વર્ષ પહેલા પોલ્યુટેડ ઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરી એકવાર અંક્લેશ્વરએ પાનોલી ઔદ્યોગિક વસાહતનો ક્રિટિકલી પોલ્યુટેડ ઝોનમાં સમાવેશ કરાયો છે. જેના કારણે ઉદ્યોગોનું એક્સપાન્સ અટકી ગયું છે, અને નવા ઉદ્યોગોનો પ્રવેશ થઈ રહ્યો નથી. તો બીજી તરફ ઉદ્યોગો મંદીમાં સપડાઈ રહ્યાં છે. જેથી અંક્લેશ્વરના ઉદ્યોગકારો પ્રદૂષણ નિયત્રંણ બોર્ડના નિયમોથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે.

આ સમસ્યાના નિવારણ માટે અંકલેશ્વર પાનોલી ઉદ્યોગ મંડળના હોદ્દેદારોએ બેઠક કરી હતી. જેમાં ગુજરાત સરકારની નિતીનો વિરોધ કરી પોતાના હક માટે લડવાનો નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત ઉદ્યોગકારોએ સરકારના નિયમોમાં જરૂરી સુધારા કરવાની માગ કરી છે. જો આ માગ વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

આ અંગે ઉદ્યોગકારોએ આક્રોશ ઠાલવતાં જણાવી રહ્યાં છે કે, "સોમવારના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરવાના છે. જો રજૂઆત છતાં કોઈ પરીણામ નહીં આવે તો, 3 હજાર ઉદ્યોગોને સ્વયંભુ બંધ કરીને આવનારા દિવસોમાં અંકલેશ્વરમાં છોડી અન્ય રાજ્યમાં પલાયન કરીશું. જે સરકારને તેના ઉદ્યોગકારોની ચિંતા ન હોય ત્યાં રહીને કોઈ ફાયદો નથી " આમ, સરકારની નીતિથી ત્રસેલા ઉદ્યોગકારો રાજ્ય સરકારની ઉદાસીનતાના કારણે રાજ્ય છોડવા માટે મજબૂર થયાં છે.

Intro:એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગોનો રાજ્ય સરકારની નીતિઓ સામે વિરોધ

અંકલેશ્વર છોડી અન્ય રાજ્યમાં જવાની આપી ચીમકી

જીપીસીબી સામે આંદોલનના એંધાણ,મુખ્યમંત્રીને કરાશે રજુઆત

3હજાર ઉધોગો બંધ પાળશે!!!
Body:એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ સરકારની વિવિધ નીતિઓ સામે વિરોધ નોંધાવી રહ્યા છે અને જો સરકાર નીતિ નહીં સુધારે તો અંકલેશ્વર છોડી અન્ય રાજ્યમાં જવાની ચમકી આપી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છેConclusion:એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં 1200 ઉદ્યોગો આવેલા છે વર્ષોથી ક્રિટિકલી પોલ્યુટેડ ઝોનનો સામનો કરી રહેલી આ ઔદ્યોગિક વસાહતને 5 વર્ષ પહેલા પોલ્યુટેડ ઝોનમાંથી બહાર કઢાયા બાદ તાજેતરમાં ફરીએકવાર અંકલેશ્વએ પાનોલી ઔદ્યોગિક વસાહતનો ક્રીટીકલી પોલ્યુટેડ ઝોનમાં સમાવેશ કરવામાંઆ આવ્યો છે જેના કારણે ઉદ્યોગોનું એક્સપાન્સન અટકી ગયું છે અને નવા ઉદ્યોગો આવી નથી રહ્યા તો બીજીતરફ મંદીના માહોલ વચ્ચે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અટપટા નિયમોથી કેમિકલ ક્લસ્ટર અંકલેશ્વરના ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આર્થિક ખોટનો સામનો કરી રહ્યા છે.આ બાબતે અંકલેશ્વર અને પાનોલી ઉદ્યોગ મંડળના હોદ્દેદારોની બેઠક મળી હતી જેમાં ગુજરાત સરકારની નિતિઓનો વિરોધ કરાયો હતો અને જીપીસીબી સામે આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી છે.સોમવારના રોજ મુખ્યપ્રધા વિજય રૂપાણીને રજુઆત કરવાનો પણ તખ્તો ઘડાઈ રહ્યો છે જો આમ છતાં નીતિઓ નહીં સુધરે તો 3 હજાર ઉદ્યોગો સ્વયંભુ બંધ પાળશે અને આવનારા દિવસોમાં અંકલેશ્વર છોડી અન્ય રાજ્યમાં પલાયન થવાનું ઉદ્યોગપતિઓ વિચારી રહ્યા છે.

બાઈટ
મહેશ પટેલ-પ્રમુખ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.