ETV Bharat / bharat

દિલ્હી ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી, હરિયાણામાં FIR નોંધાઈ - FIR ON ARVIND KEJRIWAL

દિલ્હી ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા જ કુરુક્ષેત્રના શાહબાદમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

અરવિંદ કેજરીવાલ પર FIR
અરવિંદ કેજરીવાલ પર FIR (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 5, 2025, 7:54 AM IST

કુરુક્ષેત્ર : દિલ્હીમાં આજે 5 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. વોટિંગના એક દિવસ પહેલા જ હરિયાણાના કુરુક્ષેત્રમાં દિલ્હીના પૂર્વ સીએમ અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

દિલ્હી અને હરિયાણા વચ્ચે વિવાદ : દિલ્હી અને હરિયાણા વચ્ચે યમુના જળને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ સતત વધી રહ્યો છે. દિલ્હી ચૂંટણીને કારણે યમુનાના પાણીને લઈને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈની વચ્ચે તલવારો ખેંચાઈ છે. યમુનાના પાણીમાં ઝેર ભેળવવાને લઈને ઘણી રાજનીતિ ચાલી રહી છે. હુમલા અને વળતા હુમલા કરવામાં આવી રહ્યા છે.

શાહબાદમાં નોંધાયેલ FIR
શાહબાદમાં નોંધાયેલ FIR (Etv Bharat)

અરવિંદ કેજરીવાલ પર FIR : આ દરમિયાન દિલ્હી ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના શાહબાદ પોલીસ સ્ટેશનમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ શાહબાદ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

યમુનામાં ઝેર ભેળવવા અંગે નિવેદન : તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલે હરિયાણા સરકાર પર યમુનાના પાણીમાં ઝેર ભેળવીને દિલ્હી મોકલવા અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું, જેના કારણે શાહબાદના વકીલ જગમોહન મનચંદાએ ફરિયાદ નોંધાવી હતી. આ જ મામલે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ વિરુદ્ધ કેજરીવાલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

શાહબાદમાં નોંધાયેલ FIR : એડવોકેટ જગમોહન મનચંદાએ આ નિવેદનને પક્ષની રાજનીતિ ગણાવીને કેજરીવાલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી હતી, ત્યારબાદ હવે પોલીસે આ મામલે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ BNSની કલમ 192, 196(1), 197(1), 248(a), 299 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

  1. અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી, લિકર પોલીસી કૌભાડમાં ગૃહ મંત્રાલયે આપી મંજૂરી
  2. કોંગ્રેસ સાથે ગઠબંધનની કોઈ શક્યતા નથી, એકલા ચૂંટણી લડીશું: અરવિંદ કેજરીવાલ

કુરુક્ષેત્ર : દિલ્હીમાં આજે 5 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. વોટિંગના એક દિવસ પહેલા જ હરિયાણાના કુરુક્ષેત્રમાં દિલ્હીના પૂર્વ સીએમ અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

દિલ્હી અને હરિયાણા વચ્ચે વિવાદ : દિલ્હી અને હરિયાણા વચ્ચે યમુના જળને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ સતત વધી રહ્યો છે. દિલ્હી ચૂંટણીને કારણે યમુનાના પાણીને લઈને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈની વચ્ચે તલવારો ખેંચાઈ છે. યમુનાના પાણીમાં ઝેર ભેળવવાને લઈને ઘણી રાજનીતિ ચાલી રહી છે. હુમલા અને વળતા હુમલા કરવામાં આવી રહ્યા છે.

શાહબાદમાં નોંધાયેલ FIR
શાહબાદમાં નોંધાયેલ FIR (Etv Bharat)

અરવિંદ કેજરીવાલ પર FIR : આ દરમિયાન દિલ્હી ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના શાહબાદ પોલીસ સ્ટેશનમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ શાહબાદ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

યમુનામાં ઝેર ભેળવવા અંગે નિવેદન : તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલે હરિયાણા સરકાર પર યમુનાના પાણીમાં ઝેર ભેળવીને દિલ્હી મોકલવા અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું, જેના કારણે શાહબાદના વકીલ જગમોહન મનચંદાએ ફરિયાદ નોંધાવી હતી. આ જ મામલે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ વિરુદ્ધ કેજરીવાલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

શાહબાદમાં નોંધાયેલ FIR : એડવોકેટ જગમોહન મનચંદાએ આ નિવેદનને પક્ષની રાજનીતિ ગણાવીને કેજરીવાલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી હતી, ત્યારબાદ હવે પોલીસે આ મામલે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ BNSની કલમ 192, 196(1), 197(1), 248(a), 299 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

  1. અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી, લિકર પોલીસી કૌભાડમાં ગૃહ મંત્રાલયે આપી મંજૂરી
  2. કોંગ્રેસ સાથે ગઠબંધનની કોઈ શક્યતા નથી, એકલા ચૂંટણી લડીશું: અરવિંદ કેજરીવાલ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.