બનાસકાંઠાઃ ભગવાન સ્વામિનારાયણએ આ પૃથ્વી પર આવી ઉત્સવોના નવા સ્વરૂપ આપ્યા, જેમાનું એક શાકોત્સવ સામેલ છે. આ ઉત્સવ બનાસકાંઠાના ડીસા ખાતે જી. જી. માળી વિદ્યા સંકુલમાં યોજવામાં આવ્યો હતો. આ શાકોત્સવની ઉજવણીમાં સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રવચન આપવા સારંગપુરથી સાધુ વિવેકાનિષ્ઠ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.
વિવેકાનિષ્ઠ સ્વામીએ કૃષ્ણ યુગ અને અત્યારના યુગના તફાવત વિશે ભક્તોને માહીતગાર કર્યા હતા. આ શાકોત્સવમાં જિલ્લાભરમાંથી દસ હજારથી વધુ ભક્તોએ પ્રવચન સાંભળ્યું હતું. જ્યારે વિવિધ શાકભાજીમાંથી બનાવેલા શાક અને રોટલાનો પ્રસાદ દશ હજાર ભક્તોએ લીધો હતો. આ શાકોત્સવમાં યજમાન તરીકે સ્વ. ગોરધનજી ગીગાજી પરિવાર રહ્યું હતું. આ પરિવારે તમામ ખર્ચ ઉપાડી સમગ્ર શાકોત્સવનું આયોજન કર્યું હતું. આ શાકોત્સવનું મહત્વ સ્વામિનારાયણ સંસ્થાના સાધુ ઉત્તમપ્રિયદાસજી મહારાજએ સમજાવ્યું હતું.