ETV Bharat / state

દાંતીવાડા કેનાલમાંથી મગરનું રેસ્ક્યુ કરાયું

બનાસકાંઠા: જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાં મગર દેખાતા ગામ લોકોએ વનવિભાગને જાણ કરી હતી. જેથી વનવિભાગની ટીમ અને પ્રાણી બચાવો અભિયાનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં મગરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત દાંતીવાડા ડેમમાં છોડવામાં આવ્યો હતો.

author img

By

Published : Nov 10, 2019, 2:34 AM IST

etv bharat

બનાસકાંઠા જિલ્લામાં અનેક મોટા જંગલો આવેલા છે. જેના કારણે અવારનવાર વન્ય પ્રાણીઓ ઠેર-ઠેર જોવા મળતા હોય છે. કેટલીકવાર પોતાના ખોરાકની શોધમાં વન્ય પ્રાણીઓ જંગલની બહાર આવી જતા હોય છે. જેના કારણે અવારનવાર આવા જંગલી પ્રાણીઓ લોકોને નુકસાન પણ કરતા હોય છે. ત્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી અનેકવાર મગરો બહાર નીકળી આજુબાજુના ગામોમાં તેમજ શહેરોમાં જોવા મળતા હોય છે. જેના કારણે ગામલોકોમાં આવા જંગલી પ્રાણીઓ અને મગર દેખાતા ભયનો માહોલ જોવા મળે છે.

ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં દાંતીવાડા તાલુકાના આજુબાજુના વિસ્તારમાંથી બે અલગ અલગ જગ્યાએથી મગર મળી આવતા ગામલોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં રાત્રીના સમયે દાંતીવાડાની મુખ્ય કેનાલમાં મગર દેખાતા ગામ લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જ્યાં છેલ્લા ઘણા સમયથી પ્રાણી બચાવો અભિયાન ચલાવતા ઉર્વીશ સોલંકી અને તેમની ટીમને દાંતીવાડા તાલુકામાંથી મગર પકડવા માટેનો કોલ આવતા તાત્કાલિક તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી મગરની શોધખોળ હાથ ધરી હતી.

દાંતીવાડા કેનાલમાંથી રેસ્ક્યુ કરી મગર ઝડપી પાડ્યો

જ્યાં મોડી રાત્રે દાંતીવાડા ડેમની કેનાલમાં મગર દેખાતા પ્રાણી બચાવો અભિયાનની ટીમ દ્વારા મગર પકડવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભારે જહેમત બાદ સાડા ચાર ફૂટના મગરને પકડવામાં આવ્યો હતો. જે બાદ આ મગરને દાંતીવાડા ખાતે આવેલ વનવિભાગની કચેરીએ લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં આ મગરને સુરક્ષિત દાંતીવાડા ડેમમાં છોડી દેવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં અનેક મોટા જંગલો આવેલા છે. જેના કારણે અવારનવાર વન્ય પ્રાણીઓ ઠેર-ઠેર જોવા મળતા હોય છે. કેટલીકવાર પોતાના ખોરાકની શોધમાં વન્ય પ્રાણીઓ જંગલની બહાર આવી જતા હોય છે. જેના કારણે અવારનવાર આવા જંગલી પ્રાણીઓ લોકોને નુકસાન પણ કરતા હોય છે. ત્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી અનેકવાર મગરો બહાર નીકળી આજુબાજુના ગામોમાં તેમજ શહેરોમાં જોવા મળતા હોય છે. જેના કારણે ગામલોકોમાં આવા જંગલી પ્રાણીઓ અને મગર દેખાતા ભયનો માહોલ જોવા મળે છે.

ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં દાંતીવાડા તાલુકાના આજુબાજુના વિસ્તારમાંથી બે અલગ અલગ જગ્યાએથી મગર મળી આવતા ગામલોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં રાત્રીના સમયે દાંતીવાડાની મુખ્ય કેનાલમાં મગર દેખાતા ગામ લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જ્યાં છેલ્લા ઘણા સમયથી પ્રાણી બચાવો અભિયાન ચલાવતા ઉર્વીશ સોલંકી અને તેમની ટીમને દાંતીવાડા તાલુકામાંથી મગર પકડવા માટેનો કોલ આવતા તાત્કાલિક તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી મગરની શોધખોળ હાથ ધરી હતી.

દાંતીવાડા કેનાલમાંથી રેસ્ક્યુ કરી મગર ઝડપી પાડ્યો

જ્યાં મોડી રાત્રે દાંતીવાડા ડેમની કેનાલમાં મગર દેખાતા પ્રાણી બચાવો અભિયાનની ટીમ દ્વારા મગર પકડવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભારે જહેમત બાદ સાડા ચાર ફૂટના મગરને પકડવામાં આવ્યો હતો. જે બાદ આ મગરને દાંતીવાડા ખાતે આવેલ વનવિભાગની કચેરીએ લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં આ મગરને સુરક્ષિત દાંતીવાડા ડેમમાં છોડી દેવામાં આવ્યો હતો.

Intro:એપ્રુવલ..બાય..કલ્પેશ સર

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.09 11 2019

સ્લગ... દાંતીવાડા કેનાલમાંથી રેસ્ક્યુ કરી મગર ઝડપી પાડ્યો...

એન્કર... બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ માંથી પસાર થતી મુખ્ય કેનાલમાં મગર દેખાતા ગામ લોકોએ વનવિભાગને જાણ કરી હતી જેથી વનવિભાગની ટીમ અને પ્રાણી બચાવો અભિયાન ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં મગરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત દાંતીવાડા ડેમમાં છોડવામાં આવ્યો હતો...

Body:વિઓ... બનાસકાંઠા જિલ્લામાં અનેક મોટા જંગલો આવેલા છે જેના કારણે અવારનવાર વન્ય પ્રાણીઓ ઠેર-ઠેર જોવા મળતા હોય છે. કેટલીકવાર પોતાના ખોરાકની શોધમાં વન્ય પ્રાણીઓ જંગલની બહાર આવી જતા હોય છે જેના કારણે અવારનવાર આવા જંગલી પ્રાણીઓ લોકોને નુકસાન પણ કરતા હોય છે ત્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં થી અનેકવાર મગરો બહાર નીકળી આજુબાજુના ગામોમાં તેમજ શહેરોમાં જોવા મળતા હોય છે જેના કારણે ગામલોકોમાં આવા જંગલી પ્રાણીઓ અને મગર દેખાતા ભયનો માહોલ જોવા મળતો હોય છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં દાંતીવાડા તાલુકાના આજુબાજુના વિસ્તારમાંથી બે અલગ અલગ જગ્યાએથી મગર મળી આવતા ગામલોકોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ગત મોડી રાત્રીએ દાંતીવાડા ની મુખ્ય કેનાલમાં મગર દેખાતા ગામ લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી જ્યાં છેલ્લા ઘણા સમય થી પ્રાણી બચાવો અભિયાન ચલાવતા ઉર્વીશ સોલંકી અને તેમની ટીમને દાંતીવાડા તાલુકામાંથી મગર પકડવા માટે નો કોલ આવતા તાત્કાલિક તેમની ટિમ ઘટના સ્થળે પહોંચી મગર ની શોધખોળ હાથ ધરી હતી જ્યાં મોડી રાત્રે દાંતીવાડા ડેમની મેન કેનાલમાં મગર દેખાતા પ્રાણી બચાવો અભિયાન ની ટીમે મગર પકડવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં ભારે જહેમત બાદ સાડા ચાર ફૂટ ના મગર ને પકડવામાં આવ્યો હતો. જે બાદ આ મગર ને દાંતીવાડા ખાતે આવેલ વનવિભાગ ની કચેરીએ લઈ જવામાં આવ્યો હતો અને જે બાદ આ મગર ને સુરક્ષિત દાંતીવાડા ડેમ માં વન વિભાગની ટિમ અને પ્રાણી બચાવો ટિમ દ્વારા છોડી દેવામાં આવ્યો હતો...

બાઈટ... ઉર્વીશ સોલંકી
( મગર નું રેસ્ક્યુ કરનાર )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ..વિસુઅલ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.