ETV Bharat / state

પાલનપુર ઓવરબ્રિજ ક્ષતિગ્રસ્ત, જીવના જોખમે લોકો થઈ રહ્યાં છે પુલ પરથી પસાર

પાલનપુર શહેરના હાર્દસમાન રેલવે ઓવરબ્રિજનું સમારકામ છેલ્લાં 8 મહિનાઓથી ચાલી રહ્યું છે.જેને લીધે પુલનો એક ભાગ જ વાહનવ્યવહારના અવરજવર માટે ચાલુ છે. ત્યારે આજે પુલના એક ભાગમાં ક્ષતિ સર્જાતાં વાહનચાલકો જીવના જોખમે પુલ પરથી પસાર થઈ રહ્યાં છે. તેને લીધે ભારે ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાઈ છે.

author img

By

Published : Mar 12, 2021, 5:18 PM IST

પાલનપુર ઓવરબ્રિજ ક્ષતિગ્રસ્ત, જીવના જોખમે લોકો થઈ રહ્યાં છે પુલ પરથી પસાર
પાલનપુર ઓવરબ્રિજ ક્ષતિગ્રસ્ત, જીવના જોખમે લોકો થઈ રહ્યાં છે પુલ પરથી પસાર
  • પાલનપુરનો હાર્દસમાન ઓવરબ્રિજ એક બાજુથી થયો ક્ષતિગ્રસ્ત
  • ઓવરબ્રિજનું સમારકામ ચાલુ હોઇ એક ભાગ થયો ક્ષતિગ્રસ્ત
  • 8 મહિનાઓથી ચાલે છે પુલના એક ભાગને ઊંચો કરવાની કામગીરી


    પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં ગુરુ નાનક ચોકથી હાઇવે તરફ જતાં મુખ્ય રેલવે ઓવરબ્રિજ આવેલો છે. આ રેલવે ઓવરબ્રિજને ઊંચો લેવા માટે પુલનું કામકાજ છેલ્લાં 8 મહિનાઓથી ચાલી રહ્યું છે. જેને લીધે પુલના એક ભાગ પરથી જ બન્ને તરફના વાહનો અવરજવર કરે છે,જ્યારે બીજો ભાગ સદંતર બંધ કરી દેવાયો છે. પરંતુ આ બંધ કરાયેલા પુલની સાઈડમાં મોટા મોટા બ્લોક લગાવી બીજી તરફના પુલ પરથી વાહનો અવરજવર કરતાં હોય છે. તેમાંથી એક બ્લોક નીચે પડી ગયો હોવાથી પુલ જોખમભરી સ્થિતિમાં મુકાઈ ગયો છે. જેથી જે ભાગમાં ક્ષતિ સર્જાઈ છે તે ભાગ નજીક માણસો મૂકી બેરિકેડ લગાવી એક -એક વાહનને જ પુલ પરથી પસાર કરાય છે. જેને પરિણામે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. લોકોને અત્યારે જીવના જોખમે પુલ પરથી પસાર થવું પડી રહ્યું છે.

આ પણ વાંચોઃ નવસારીમાં વર્ષોથી અટવાયેલો રેલવે ઓવરબ્રિજ 114 કરોડના ખર્ચે થશે સાકાર

કામકાજ હજુ એકથી દોઢ વર્ષ ચાલે તેવી સંભાવના

પાલનપુર રેલવે ઓવરબ્રિજને ઊંચું કરવાની કામગીરી 8 મહિનાઓથી ચાલુ છે તેમ છતાં હજુ પુલના એક ભાગનું કામ પણ પૂર્ણ થયું નથી. ત્યારે આ પુલનું કામકાજ હજુ ઓછામાં ઓછું એકથી દોઢ વર્ષ ચાલે તેવી શક્યતાઓ રહેલી છે તેમ રેલવે ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું હતું.

  • પાલનપુરનો હાર્દસમાન ઓવરબ્રિજ એક બાજુથી થયો ક્ષતિગ્રસ્ત
  • ઓવરબ્રિજનું સમારકામ ચાલુ હોઇ એક ભાગ થયો ક્ષતિગ્રસ્ત
  • 8 મહિનાઓથી ચાલે છે પુલના એક ભાગને ઊંચો કરવાની કામગીરી


    પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં ગુરુ નાનક ચોકથી હાઇવે તરફ જતાં મુખ્ય રેલવે ઓવરબ્રિજ આવેલો છે. આ રેલવે ઓવરબ્રિજને ઊંચો લેવા માટે પુલનું કામકાજ છેલ્લાં 8 મહિનાઓથી ચાલી રહ્યું છે. જેને લીધે પુલના એક ભાગ પરથી જ બન્ને તરફના વાહનો અવરજવર કરે છે,જ્યારે બીજો ભાગ સદંતર બંધ કરી દેવાયો છે. પરંતુ આ બંધ કરાયેલા પુલની સાઈડમાં મોટા મોટા બ્લોક લગાવી બીજી તરફના પુલ પરથી વાહનો અવરજવર કરતાં હોય છે. તેમાંથી એક બ્લોક નીચે પડી ગયો હોવાથી પુલ જોખમભરી સ્થિતિમાં મુકાઈ ગયો છે. જેથી જે ભાગમાં ક્ષતિ સર્જાઈ છે તે ભાગ નજીક માણસો મૂકી બેરિકેડ લગાવી એક -એક વાહનને જ પુલ પરથી પસાર કરાય છે. જેને પરિણામે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. લોકોને અત્યારે જીવના જોખમે પુલ પરથી પસાર થવું પડી રહ્યું છે.

આ પણ વાંચોઃ નવસારીમાં વર્ષોથી અટવાયેલો રેલવે ઓવરબ્રિજ 114 કરોડના ખર્ચે થશે સાકાર

કામકાજ હજુ એકથી દોઢ વર્ષ ચાલે તેવી સંભાવના

પાલનપુર રેલવે ઓવરબ્રિજને ઊંચું કરવાની કામગીરી 8 મહિનાઓથી ચાલુ છે તેમ છતાં હજુ પુલના એક ભાગનું કામ પણ પૂર્ણ થયું નથી. ત્યારે આ પુલનું કામકાજ હજુ ઓછામાં ઓછું એકથી દોઢ વર્ષ ચાલે તેવી શક્યતાઓ રહેલી છે તેમ રેલવે ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.