ETV Bharat / state

પાલનપુર નગરપાલિકાએ વધુ 29 દુકાનોને કરી સીલ

પાલનપુર નગરપાલિકાએ હવે બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. મંગળવારે પાલિકાની ટીમે એક દિવસમાં શહેરનાં આબુરોડ વિસ્તારની 29 દુકાનો સીલ કરી દેતાં બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.

author img

By

Published : Mar 9, 2021, 4:39 PM IST

પાલનપુર નગરપાલિકા
પાલનપુર નગરપાલિકા
  • અનેક દુકાનદારોનું ત્રણથી ચાર વર્ષોનું ભાડું બાકી
  • ભાડાની રકમ બાકી હોવાથી નગરપાલિકા આવ્યું એક્શન મોડમાં
  • હાઈવે વિસ્તારમાં એક જ દિવસમાં 29 દુકાનોને કરી સીલ

બનાસકાંઠા: જિલ્લાની પાલનપુર નગરપાલિકાએ સૌથી મોટી નગરપાલિકા છે, પરંતુ બાકી લેણાંની બાબતમાં પણ પાલનપુર નગરપાલિકા અવ્વલ નંબરે જ છે. શહેરની કુલ 1239 દુકાનો નગરપાલિકાની માલિકીની છે. જેને પાલિકાએ લીઝ પર વેપારીઓને ભાડા પટ્ટાથી આપેલી છે. જેનું દર મહિના પ્રમાણે ભાડું નિયત કરેલું છે, પરંતુ શહેરમાં અનેક દુકાનદારો એવા છે જેમનું લાખો રૂપિયાનું ભાડું છેલ્લાં કેટલાંય વર્ષોથી બાકી છે. આવા બાકીદારોને અનેક નોટિસો આપી હોવા છતાં તેમનાં દ્વારા બાકી લેણાંની રકમ ભરપાઈ નહી કરાતાં પાલિકાએ દુકાનોને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જે હેઠળ મંગળવારે શહેરના બિહારીબાગ વિસ્તારમાં આવેલી સ્વસ્તિક કોમ્પ્લેક્ષની 29 દુકાનોને સીલ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: રાજકોટ મનપા દ્વારા 8 હોસ્પિટલો ‘સીલ’ કરશે

3 લાખ 52 હજારનું ભાડું હતું બાકી

સૂત્રોના જણાવ્યા મુજબ, આ 29 દુકાનોનું કુલ 3 લાખ 52 હજારનું ભાડું બાકી બોલે છે. જેથી આ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે મોડી સાંજે ત્રણ દુકાનદારોએ દંડ સહિતની રકમ ભરપાઈ કરી હોવાની માહિતી મળી છે.

આ પણ વાંચો: AMC દ્વારા અડચણરૂપ પાર્કિંગ કરાવનાર કોમ્પલેક્ષ, હોટલો અને દુકાનોને સીલ

  • અનેક દુકાનદારોનું ત્રણથી ચાર વર્ષોનું ભાડું બાકી
  • ભાડાની રકમ બાકી હોવાથી નગરપાલિકા આવ્યું એક્શન મોડમાં
  • હાઈવે વિસ્તારમાં એક જ દિવસમાં 29 દુકાનોને કરી સીલ

બનાસકાંઠા: જિલ્લાની પાલનપુર નગરપાલિકાએ સૌથી મોટી નગરપાલિકા છે, પરંતુ બાકી લેણાંની બાબતમાં પણ પાલનપુર નગરપાલિકા અવ્વલ નંબરે જ છે. શહેરની કુલ 1239 દુકાનો નગરપાલિકાની માલિકીની છે. જેને પાલિકાએ લીઝ પર વેપારીઓને ભાડા પટ્ટાથી આપેલી છે. જેનું દર મહિના પ્રમાણે ભાડું નિયત કરેલું છે, પરંતુ શહેરમાં અનેક દુકાનદારો એવા છે જેમનું લાખો રૂપિયાનું ભાડું છેલ્લાં કેટલાંય વર્ષોથી બાકી છે. આવા બાકીદારોને અનેક નોટિસો આપી હોવા છતાં તેમનાં દ્વારા બાકી લેણાંની રકમ ભરપાઈ નહી કરાતાં પાલિકાએ દુકાનોને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જે હેઠળ મંગળવારે શહેરના બિહારીબાગ વિસ્તારમાં આવેલી સ્વસ્તિક કોમ્પ્લેક્ષની 29 દુકાનોને સીલ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: રાજકોટ મનપા દ્વારા 8 હોસ્પિટલો ‘સીલ’ કરશે

3 લાખ 52 હજારનું ભાડું હતું બાકી

સૂત્રોના જણાવ્યા મુજબ, આ 29 દુકાનોનું કુલ 3 લાખ 52 હજારનું ભાડું બાકી બોલે છે. જેથી આ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે મોડી સાંજે ત્રણ દુકાનદારોએ દંડ સહિતની રકમ ભરપાઈ કરી હોવાની માહિતી મળી છે.

આ પણ વાંચો: AMC દ્વારા અડચણરૂપ પાર્કિંગ કરાવનાર કોમ્પલેક્ષ, હોટલો અને દુકાનોને સીલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.