ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં વધુ એક રોડ બન્યો લોહિયાળ, થરા પાસે કાર અકસ્માતમાં એકનું મોત

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરામાંથી પસાર થતો નેશનલ હાઇવે પર આવેલ રીલાયન્સ પંપની નજીક શિહોરી તરફથી આવી રહેલ કાર ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જ્યાં કારમાં સવાર વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

author img

By

Published : Oct 5, 2020, 10:32 PM IST

બનાસકાંઠા જિલ્લામાં વધુ એક રોડ બન્યો લોહિયાળ, થરા પાસે કાર અકસ્માતમાં એકનું મોત
બનાસકાંઠા જિલ્લામાં વધુ એક રોડ બન્યો લોહિયાળ, થરા પાસે કાર અકસ્માતમાં એકનું મોત

બનાસકાંઠાઃ જિલ્લામાં અકસ્માત જાણે નામ લેવાનું મુકતા નથી, તેમ રોજબરોજ એક પછી એક નાના-મોટા અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં મોટા વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે અત્યાર સુધી અનેક બાઇક સવારોએ મોતને ભેટવાનો વારો આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં વધુ એક રોડ બન્યો લોહિયાળ, થરા પાસે કાર અકસ્માતમાં એકનું મોત
બનાસકાંઠા જિલ્લામાં વધુ એક રોડ બન્યો લોહિયાળ, થરા પાસે કાર અકસ્માતમાં એકનું મોત

છેલ્લા એક મહિનામાં વાહનની ટક્કરે મોતને ભેટેલા અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સોમવારના રોજ કાંકરેજ તાલુકાના થરામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર આવેલ રીલાયન્સ પંપની નજીક શિહોરી તરફથી પોતાની કાર નંબર GJ-12-CP-7743 નંબરની કાર ગાંધીધામ તરફ જતા હતી. ત્યારે આગળ જઇ રહેલા ટ્રેલર નંબર RJ-52-GA-2852 નંબરના ટ્રેલરના પાછળના ભાગે અચાનક ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. લોકોએ 108 અને પોલિસને જાણ કરાતા થરા પી.એસ.આઇ એમ.બી.દેવડા અને પોલિસ સ્ટાફ ઘટના સ્થળે આવી પહોચ્યો હતો અને કારચાલકને કારમાંથી બહાર કાઢી થરા રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતા. ત્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં વધુ એક રોડ બન્યો લોહિયાળ, થરા પાસે કાર અકસ્માતમાં એકનું મોત
બનાસકાંઠા જિલ્લામાં વધુ એક રોડ બન્યો લોહિયાળ, થરા પાસે કાર અકસ્માતમાં એકનું મોત

અકસ્માતમાં મૃત્યુ પામનાર કારચાલક રતનલાલ મીણા ભારત સરકારના કસ્ટમ વિભાગમાં ગાંધીધામ ખાતે કસ્ટમ સુપ્રિટેન્ડન્ટ તરીકે સેવા આપતા હતા. આ ઘટના અંગે થરા PSIએ જણાવ્યું કે થરા નજીક સવારમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં પોતાની કાર લઇને ગાંધીધામ તરફ જતા કસ્ટમ સુપ્રિટેન્ડન્ટ રતનલાલ મીણાનું અકસ્માતમાં મોત નિપજતા તેમના સંબંધિત વિભાગ અને તેમના વાલીવારસોને જાણ કરતા તેઓના આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં વધુ એક રોડ બન્યો લોહિયાળ, થરા પાસે કાર અકસ્માતમાં એકનું મોત

બનાસકાંઠાઃ જિલ્લામાં અકસ્માત જાણે નામ લેવાનું મુકતા નથી, તેમ રોજબરોજ એક પછી એક નાના-મોટા અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં મોટા વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે અત્યાર સુધી અનેક બાઇક સવારોએ મોતને ભેટવાનો વારો આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં વધુ એક રોડ બન્યો લોહિયાળ, થરા પાસે કાર અકસ્માતમાં એકનું મોત
બનાસકાંઠા જિલ્લામાં વધુ એક રોડ બન્યો લોહિયાળ, થરા પાસે કાર અકસ્માતમાં એકનું મોત

છેલ્લા એક મહિનામાં વાહનની ટક્કરે મોતને ભેટેલા અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સોમવારના રોજ કાંકરેજ તાલુકાના થરામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર આવેલ રીલાયન્સ પંપની નજીક શિહોરી તરફથી પોતાની કાર નંબર GJ-12-CP-7743 નંબરની કાર ગાંધીધામ તરફ જતા હતી. ત્યારે આગળ જઇ રહેલા ટ્રેલર નંબર RJ-52-GA-2852 નંબરના ટ્રેલરના પાછળના ભાગે અચાનક ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. લોકોએ 108 અને પોલિસને જાણ કરાતા થરા પી.એસ.આઇ એમ.બી.દેવડા અને પોલિસ સ્ટાફ ઘટના સ્થળે આવી પહોચ્યો હતો અને કારચાલકને કારમાંથી બહાર કાઢી થરા રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતા. ત્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં વધુ એક રોડ બન્યો લોહિયાળ, થરા પાસે કાર અકસ્માતમાં એકનું મોત
બનાસકાંઠા જિલ્લામાં વધુ એક રોડ બન્યો લોહિયાળ, થરા પાસે કાર અકસ્માતમાં એકનું મોત

અકસ્માતમાં મૃત્યુ પામનાર કારચાલક રતનલાલ મીણા ભારત સરકારના કસ્ટમ વિભાગમાં ગાંધીધામ ખાતે કસ્ટમ સુપ્રિટેન્ડન્ટ તરીકે સેવા આપતા હતા. આ ઘટના અંગે થરા PSIએ જણાવ્યું કે થરા નજીક સવારમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં પોતાની કાર લઇને ગાંધીધામ તરફ જતા કસ્ટમ સુપ્રિટેન્ડન્ટ રતનલાલ મીણાનું અકસ્માતમાં મોત નિપજતા તેમના સંબંધિત વિભાગ અને તેમના વાલીવારસોને જાણ કરતા તેઓના આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં વધુ એક રોડ બન્યો લોહિયાળ, થરા પાસે કાર અકસ્માતમાં એકનું મોત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.