ETV Bharat / state

લાઈટમાં કાપ મૂકાતાં ઈકબાલગઢના ખેડૂતોએ UGVCL કચેરીએ આવેદનપત્ર આપ્યું - બનાસકાંઠાના ખેડૂતોની સમસ્યા

બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢમાં UGVCL દ્વારા લાઈટમાં કાપ મૂકવામાં આવ્યો હતો. જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ UGVCLની કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું. આ ઉપરાંત ખેડૂતોએ સમસ્યાનું સમાધાન નહીં થવા પર ઉગ્ર-આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

ETV BHARAT
લાઈટમાં કાપ મુકાતાં ઈકબાલગઢના ખેડૂતોએ UGVCL કચેરીએ આવેદનપત્ર આપ્યું
author img

By

Published : Jul 30, 2020, 8:16 PM IST

બનાસકાંઠાઃ ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. કૂવા, બોરવેલ, ચેકડેમો હાલ સુકાવાના આરે છે. કૂવાના તળ નીચા જવાના કારણે 8 કલાક ચાલતું વીજ કનેક્શન માત્ર 4-5 કલાક ચાલે છે. આવામાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા 8 કલાક વીજળી આપવામાં આવતી હતી, તેમાં કાપ મૂકી ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવે છે.

લાઈટમાં કાપ મુકાતાં ઈકબાલગઢના ખેડૂતોએ UGVCL કચેરીએ આવેદનપત્ર આપ્યું

ખેડૂતોના જણાવ્યા પ્રમાણે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ઇકબાલગઢના ખેડૂતોની કોઈ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવી હતી. જેથી ગુરુવારે તમામ પીડિત ખેડૂતો ઈકબાલગઢ UGVCLની કચેરીમાં પહોંચ્યા હતા અને કાર્યપાલક એન્જિનિયરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

અધિકારીઓની ઘોર-બેદરકારીના કારણે 4થી 5 કલાક જ વીજ પુરવઠો મળતાં ખેડૂતોને મુશ્કેલી પડે છે. એક તરફ કોરોનાની મહામારી અને વરસાદ ખેંચાયો છે, ત્યારે બીજી તરફ વીજ કંપનીના અધિકારીઓની બેજવાબદારીના કારણે ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી. જેથી સમયસર વીજળી નહીં મળવા પર ખેડૂતોએ ઉગ્ર-આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

બનાસકાંઠાઃ ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. કૂવા, બોરવેલ, ચેકડેમો હાલ સુકાવાના આરે છે. કૂવાના તળ નીચા જવાના કારણે 8 કલાક ચાલતું વીજ કનેક્શન માત્ર 4-5 કલાક ચાલે છે. આવામાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા 8 કલાક વીજળી આપવામાં આવતી હતી, તેમાં કાપ મૂકી ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવે છે.

લાઈટમાં કાપ મુકાતાં ઈકબાલગઢના ખેડૂતોએ UGVCL કચેરીએ આવેદનપત્ર આપ્યું

ખેડૂતોના જણાવ્યા પ્રમાણે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ઇકબાલગઢના ખેડૂતોની કોઈ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવી હતી. જેથી ગુરુવારે તમામ પીડિત ખેડૂતો ઈકબાલગઢ UGVCLની કચેરીમાં પહોંચ્યા હતા અને કાર્યપાલક એન્જિનિયરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

અધિકારીઓની ઘોર-બેદરકારીના કારણે 4થી 5 કલાક જ વીજ પુરવઠો મળતાં ખેડૂતોને મુશ્કેલી પડે છે. એક તરફ કોરોનાની મહામારી અને વરસાદ ખેંચાયો છે, ત્યારે બીજી તરફ વીજ કંપનીના અધિકારીઓની બેજવાબદારીના કારણે ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી. જેથી સમયસર વીજળી નહીં મળવા પર ખેડૂતોએ ઉગ્ર-આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.