ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લાની કેનાલમાં થયેલા ભ્રષ્ટાચારના કારણે ગાબડાનો સિલસિલો યથાવત - બનાસકાંઠાના તાજા સમાચાર

બનાસકાંઠા જિલ્લામાં કેનાલના ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. જ્યારે પણ કેનાલમાં પાણી છોડવામાં આવે છે, ત્યારે કેનાલમાં મસમોટા ગાબડા પડે છે. તેના કારણે ખેડૂતોનો ઊભો પાક નાશ પામે છે અને ખેતરો બેટમાં ફેરવાય છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ભ્રષ્ટાચારના ગાબડાના કારણે પાણીનો વેડફાટ થાય છે અને તેની સાથે જ ખેડૂતોના ઉભા પાકનો પણ નાશ થાય છે.

ETV BHARAT
બનાસકાંઠા જિલ્લાની કેનાલમાં થયેલા ભ્રષ્ટાચારના કારણે ગાબડાનો સિલસિલો યથાવત
author img

By

Published : Jan 23, 2020, 11:55 PM IST

બનાસકાંઠા: જિલ્લામાં બનેલી નર્મદાની કેનાલો વારંવાર તૂટે છે. જ્યારે પણ વાવેતર વિસ્તારમાં પાણી છોડવામાં આવે છે, ત્યારે કેનાલમાં મસમોટા ગાબડા પડે છે અને ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો, કેનાલમાં રવિ સિઝન દરમિયાન 15થી વધુ ગાબડા પડી ચૂક્યા છે. જેના કારણે અનેક ખેતરો ધોવાયા છે.

બનાસકાંઠા જિલ્લાની કેનાલમાં થયેલા ભ્રષ્ટાચારના કારણે ગાબડાનો સિલસિલો યથાવત

નર્મદા નદીથી છેક બનાસકાંઠા સુધી પહોંચેલા પાણી થકી ખેતરો નવ સર્જિત થતા હોય છે, પરંતુ ભ્રષ્ટાચારની કેનાલો આ મહામૂલા પાણીનો વેડફાટ કરાવે છે. ગાબડાના કારણે ખેતરમાં ઊભેલો પાક નિષ્ફળ કરે છે. વારંવાર રજૂઆત પણ થાય છે અને વારંવાર મીડિયાના અહેવાલો પ્રસ્તુત થાય છે, પરંતુ તેમ છતાં નર્મદા નિગમ કે ગુજરાત સરકાર આ મામલે કોઈપણ નક્કર પગલાં ભરતી નથી. ભોરોલ માઈનોર કેનાલમાં ગાબડું પડ્યાને 24 કલાકથી વધુનો સમય થયો છે, તેમ છતાં હજૂ પાણીનો પ્રવાહ પણ બંધ કરાયો નથી, જેને કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

ETV BHARAT
બનાસકાંઠા જિલ્લાની કેનાલમાં થયેલા ભ્રષ્ટાચારના કારણે ગાબડાનો સિલસિલો યથાવત

બનાસકાંઠા જિલ્લાના 6 તાલુકાઓમાં સિંચાઈ માટે નર્મદા કેનાલનું માળખું છે. જ્યારે આ કેનાલ આવી ત્યારે ખેડૂતોની અનેક આશા અપેક્ષાઓ હતી, પરંતુ કેનાલમાં થયેલા ભ્રષ્ટાચાર આજે કેનાલ રૂપી અભિશાપ બન્યો છે. કેનાલમાં ગાબડું પડતા જ લાખો લીટર પાણીનો વેડફાટ થાય છે.

ETV BHARAT
બનાસકાંઠા જિલ્લાની કેનાલમાં થયેલા ભ્રષ્ટાચારના કારણે ગાબડાનો સિલસિલો યથાવત

આ સરહદી વિસ્તાર કે જેમાં લોકો એક બુંદ પાણી માટે પણ તરસતા હતા. આ કેનાલોએ તેમની પાણીની તંગી ઓછી કરી અને બંજર જમીનને જીવનદાન આપ્યું હતું, પરંતુ આજે ભ્રષ્ટાચારના પાપે જે ગાબડા પડ્યા છે તેના કારણે પાણીનો વેડફાટ થાય છે. પાણી વેડફાય નહીં તે માટે ખેડૂતો જ્યાં પાણી ભરાય છે, ત્યાંથી પાણી ઉલેચી પાઇપલાઇન દ્વારા અન્ય ખેતરોમાં લઈ જઈને વેડફાયેલા પાણીનો ઉપયોગ કરી રહ્યા છે.

ETV BHARAT
બનાસકાંઠા જિલ્લાની કેનાલમાં થયેલા ભ્રષ્ટાચારના કારણે ગાબડાનો સિલસિલો યથાવત

કેનાલમાં પડતા ગાબડા બાબતે થરાદના નવનિયુક્ત ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી કોઈ પરિણામ મળ્યું નથી. ધારાસભ્યનો આક્ષેપ છે કે, જયારે કેનાલનું બાંધકામ થયું ત્યારે કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં આવી નથી. કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગતથી બનાસકાંઠામાં માત્ર ભ્રષ્ટાચાર જ થયો છે. આ કેનાલમાં પડતાં ગાબડા તે ભ્રષ્ટાચારના પૂરાવા છે.

બનાસકાંઠા: જિલ્લામાં બનેલી નર્મદાની કેનાલો વારંવાર તૂટે છે. જ્યારે પણ વાવેતર વિસ્તારમાં પાણી છોડવામાં આવે છે, ત્યારે કેનાલમાં મસમોટા ગાબડા પડે છે અને ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો, કેનાલમાં રવિ સિઝન દરમિયાન 15થી વધુ ગાબડા પડી ચૂક્યા છે. જેના કારણે અનેક ખેતરો ધોવાયા છે.

બનાસકાંઠા જિલ્લાની કેનાલમાં થયેલા ભ્રષ્ટાચારના કારણે ગાબડાનો સિલસિલો યથાવત

નર્મદા નદીથી છેક બનાસકાંઠા સુધી પહોંચેલા પાણી થકી ખેતરો નવ સર્જિત થતા હોય છે, પરંતુ ભ્રષ્ટાચારની કેનાલો આ મહામૂલા પાણીનો વેડફાટ કરાવે છે. ગાબડાના કારણે ખેતરમાં ઊભેલો પાક નિષ્ફળ કરે છે. વારંવાર રજૂઆત પણ થાય છે અને વારંવાર મીડિયાના અહેવાલો પ્રસ્તુત થાય છે, પરંતુ તેમ છતાં નર્મદા નિગમ કે ગુજરાત સરકાર આ મામલે કોઈપણ નક્કર પગલાં ભરતી નથી. ભોરોલ માઈનોર કેનાલમાં ગાબડું પડ્યાને 24 કલાકથી વધુનો સમય થયો છે, તેમ છતાં હજૂ પાણીનો પ્રવાહ પણ બંધ કરાયો નથી, જેને કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

ETV BHARAT
બનાસકાંઠા જિલ્લાની કેનાલમાં થયેલા ભ્રષ્ટાચારના કારણે ગાબડાનો સિલસિલો યથાવત

બનાસકાંઠા જિલ્લાના 6 તાલુકાઓમાં સિંચાઈ માટે નર્મદા કેનાલનું માળખું છે. જ્યારે આ કેનાલ આવી ત્યારે ખેડૂતોની અનેક આશા અપેક્ષાઓ હતી, પરંતુ કેનાલમાં થયેલા ભ્રષ્ટાચાર આજે કેનાલ રૂપી અભિશાપ બન્યો છે. કેનાલમાં ગાબડું પડતા જ લાખો લીટર પાણીનો વેડફાટ થાય છે.

ETV BHARAT
બનાસકાંઠા જિલ્લાની કેનાલમાં થયેલા ભ્રષ્ટાચારના કારણે ગાબડાનો સિલસિલો યથાવત

આ સરહદી વિસ્તાર કે જેમાં લોકો એક બુંદ પાણી માટે પણ તરસતા હતા. આ કેનાલોએ તેમની પાણીની તંગી ઓછી કરી અને બંજર જમીનને જીવનદાન આપ્યું હતું, પરંતુ આજે ભ્રષ્ટાચારના પાપે જે ગાબડા પડ્યા છે તેના કારણે પાણીનો વેડફાટ થાય છે. પાણી વેડફાય નહીં તે માટે ખેડૂતો જ્યાં પાણી ભરાય છે, ત્યાંથી પાણી ઉલેચી પાઇપલાઇન દ્વારા અન્ય ખેતરોમાં લઈ જઈને વેડફાયેલા પાણીનો ઉપયોગ કરી રહ્યા છે.

ETV BHARAT
બનાસકાંઠા જિલ્લાની કેનાલમાં થયેલા ભ્રષ્ટાચારના કારણે ગાબડાનો સિલસિલો યથાવત

કેનાલમાં પડતા ગાબડા બાબતે થરાદના નવનિયુક્ત ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી કોઈ પરિણામ મળ્યું નથી. ધારાસભ્યનો આક્ષેપ છે કે, જયારે કેનાલનું બાંધકામ થયું ત્યારે કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં આવી નથી. કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગતથી બનાસકાંઠામાં માત્ર ભ્રષ્ટાચાર જ થયો છે. આ કેનાલમાં પડતાં ગાબડા તે ભ્રષ્ટાચારના પૂરાવા છે.

Intro:એપ્રુવલ..બાય.. અસાઇમેન્ટ ડેસ્ક

લોકેશન.. વાવ.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.23 01 2020

સ્લગ... બનાસકાંઠા જિલ્લામાં કેનાલમાં ભ્રષ્ટાચાર થતા ગામડાના સિલસિલા યથાવત..

એન્કર...બનાસકાંઠા જિલ્લામાં કેનાલની ગામડા પડવાનો સિલસિલો યથાવત્ છે. જ્યારે પણ કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે કેનાલમાં મસમોટા ગાબડા પડે છે. તેના કારણે ખેડૂતોનો ઊભો પાક નાશ પામે છે અને ખેતરો બેટમાં ફેરવાય છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. ભ્રષ્ટાચારના ગાબડા ના કારણે પાણીનો વેડફાટ થાય છે તેની સાથે સાથે ખેડૂતોના ઉભા પાકનો નાશ થાય છે.
Body:
વી.ઓ....બનાસકાંઠા જિલ્લામાં બનેલી નર્મદાની કેનાલો કાગળની જેમ તૂટે છે. જ્યારે પણ વાવેતર વિસ્તારમાં પાણી છોડવામાં આવે છે ત્યારે કેનાલ માં મસમોટા ગાબડા પડે છે અને ખેડૂતોને મોટું નુકસાન થાય છે. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો કેનાલમાં રવી સીઝન દરમિયાન 15 થી વધુ ગાબડાં પડી ચૂક્યા છે. જેના કારણે અનેક ખેતરો ધોવાયા છે. નર્મદા નદીથી છેક બનાસકાંઠા સુધી પહોંચેલું મહામુલુ પાણી કે જેના થકી ખેતરો નવ સર્જિત થવાના હોય છે પરંતુ ભ્રષ્ટાચારની ચેનલોએ આ મહામૂલા પાણીનો વેડફાટ કરાવે છે. ગાબડાં ના કારણે ખેતર માં ઊભેલો પાક નિષ્ફળ કરે છે. વારંવાર રજૂઆતો થાય છે વારંવાર મીડિયાના અહેવાલો પ્રસ્તુત થાય છે પરંતુ તેમ છતાં નર્મદા નિગમ કે ગુજરાત સરકાર આ મામલે કોઈપણ નક્કર પગલાં ભરતું નથી. ભોરોલ માઈનોર કેનાલમાં ગાબડું પડ્યા ને 24 કલાક થી વધુનો સમય થયો છે તેમ છતાં હજુ પાણીનો પ્રવાહ પણ બંધ કરાયો નથી. જેને કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે..

બાઈટ...મફાજી બારોટ
( ખેડૂત )

બાઈટ...નાગજીભાઈ ચૌધરી
( ખેડૂત )

બનાસકાંઠા જિલ્લાના 6 તાલુકાઓમાં સિંચાઈ માટે નર્મદા કેનાલનું માળખું છે. જ્યારે આ કેનાલ આવી ત્યારે ખેડૂતોની અનેક આશા અપેક્ષાઓ હતી. પરંતુ કેનાલમાં થયેલો ભ્રષ્ટાચાર આજે કેનાલ રૂપી અભિશાપ બન્યો છે. કેનાલમાં ગાબડું પડતા જ લાખો લીટર પાણી નો વેડફાટ થાય છે. પરંતુ આ સરહદી વિસ્તાર કે જેમાં લોકો એક બુંદ પાણી પાણી માટે તરસતા હતા. પરંતુ આ કેનાલોએ તેમની પાણીની તંગી ઓછી કરી અને બંજર જમીન ને જીવનદાન આપ્યું. પરંતુ આજે ભ્રષ્ટાચાર ના પાપે જે ગાબડાં પડ્યા છે તેના કારણે પાણીનો વેડફાટ થયો છે. પાણી જ્યાં ભરાય છે તે વેડફાય નહીં તે માટે ખેડૂતો જ્યાં પાણી ભરાય છે ત્યાંથી પાણી ઉલેચી પાઇપલાઇન દ્વારા અન્ય ખેતરોમાં લઈ જઈ ગાબડાં ના કારણે વેડફાયેલા પાણીનો ઉપયોગ કરી રહ્યા છે.

બાઈટ... બાબુભાઈ ભાટિયા
( ખેડૂત )
Conclusion:
વી.ઓ...કેનાલમાં પડતા ગાબડાં બાબતે થરાદ ના નવનિયુક્ત ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી. પરંતુ આજદિન સુધી કોઈ પરિણામ મળ્યું નથી. ધારાસભ્ય નો આક્ષેપ છે કે જયારે કેનાલનું બાંધકામ થયું ત્યારે કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં આવી નથી. કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગત થી માત્ર ભ્રષ્ટાચાર જ થયો છે. આ કેનાલ માં પડતાં ગાબડાં ભ્રષ્ટાચાર ના પુરાવા છે.

બાઈટ :- ગુલાબસિંહ રાજપૂત (ધારાસભ્ય, થરાદ)

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.