ETV Bharat / state

થરાદમાં વિધાનસભા બેઠક પર કોગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની જીત - gulabsinh rajput won the election

બનાસકાંઠાઃ થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં થરાદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનો વિજય થયો છે. 18 વર્ષ બાદ થરાદ બેઠક પર કોંગ્રેસનો વિજય થતાં કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

થરાદમાં વિધાનસભા બેઠક પર કોગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની જીત
author img

By

Published : Oct 24, 2019, 4:18 PM IST

મત ગણતરીની શરૂઆતમાં 10 રાઉન્ડ સુધી ભાજપ આગળ રહ્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે તેજ રફતાર પકડી ભાજપથી આગળ નીકળી ગયા હતાં. 19માં રાઉન્ડમાં 6420 મતે તેમનો ભવ્ય વિજય થયો હતો. ખાસ કરીને આ ચૂંટણીની વાત કરીએ તો ભાજપે જીવરાજભાઈ પટેલને ટિકિટ આપતા શંકરભાઈ ચૌધરી જૂથ નારાજ થયો હતો. આ જુથે વિરોધ માટે અનેક ગામોમાં બેઠક યોજી ભાજપના ઉમેદવારને જાકારો આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાદમાં મોવડી મંડળના મનાવ્યાં બાદ આ જૂથ શાંત પડ્યું હતું. ચૂંટણીના પરિણામો પર શંકર ચૌધરી જૂથે મહત્વની ભૂમિકા ભજવી છે.

થરાદમાં વિધાનસભા બેઠક પર કોગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની જીત

છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ માત્રને માત્ર ચૌધરી પટેલ ઉમેદવારને મેદાનમાં ઉતારતો હોવાના કારણે અન્ય સમાજમાં પણ નારાજગી જોવા મળી હતી. તેના કારણે જ ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. 2001 બાદ એટલે કે 18 વર્ષ બાદ ફરીથી થરાદમાં કોંગ્રેસ ધારાસભ્ય બનતા કોંગ્રેસ કાર્યકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગુલાબસિંહ રાજપુતની જીત થતા તેમને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવી વિજય સરઘષ કાઢવામાં આવ્યુ હતું. થરાદના વિજેતા ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે ETV ભારત સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે, આ મારી જીત નથી પણ મારા થરાદની જીત છે. થરાદની જનતાએ મારા પર જે વિશ્વાસ રાખી મને વિજેતા બનાવ્યો છે. હું તેમનો આભારી છું.

ગુજરાતમાં ખાલી પડેલી સાત વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત બનાસકાંઠામાં પણ આજે વિધાનસભા બેઠકની મતગણતરી હાથ ધરાઇ હતી. પાલનપુર-અમદાવાદ હાઇવે પર આવેલ જગાણા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે સવારે આઠ વાગ્યે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં 1 એસઆરપીની ટુકડી, 1 ડીવાયએસપી, 2 પી.આઈ, પાંચ પીએસઆઈ સહિત 600 જવાનો તૈનાત કરાયા હતાં. જ્યારે 12 સીઆરપીએફની ટુકડી પણ તૈનાત રાખવામાં આવી હતી. કુલ 18 ટેબલ પર 22 રાઉન્ડમાં આ મતગણતરી પૂર્ણ કરાઇ હતી.

મત ગણતરીની શરૂઆતમાં 10 રાઉન્ડ સુધી ભાજપ આગળ રહ્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે તેજ રફતાર પકડી ભાજપથી આગળ નીકળી ગયા હતાં. 19માં રાઉન્ડમાં 6420 મતે તેમનો ભવ્ય વિજય થયો હતો. ખાસ કરીને આ ચૂંટણીની વાત કરીએ તો ભાજપે જીવરાજભાઈ પટેલને ટિકિટ આપતા શંકરભાઈ ચૌધરી જૂથ નારાજ થયો હતો. આ જુથે વિરોધ માટે અનેક ગામોમાં બેઠક યોજી ભાજપના ઉમેદવારને જાકારો આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાદમાં મોવડી મંડળના મનાવ્યાં બાદ આ જૂથ શાંત પડ્યું હતું. ચૂંટણીના પરિણામો પર શંકર ચૌધરી જૂથે મહત્વની ભૂમિકા ભજવી છે.

થરાદમાં વિધાનસભા બેઠક પર કોગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની જીત

છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ માત્રને માત્ર ચૌધરી પટેલ ઉમેદવારને મેદાનમાં ઉતારતો હોવાના કારણે અન્ય સમાજમાં પણ નારાજગી જોવા મળી હતી. તેના કારણે જ ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. 2001 બાદ એટલે કે 18 વર્ષ બાદ ફરીથી થરાદમાં કોંગ્રેસ ધારાસભ્ય બનતા કોંગ્રેસ કાર્યકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગુલાબસિંહ રાજપુતની જીત થતા તેમને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવી વિજય સરઘષ કાઢવામાં આવ્યુ હતું. થરાદના વિજેતા ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે ETV ભારત સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે, આ મારી જીત નથી પણ મારા થરાદની જીત છે. થરાદની જનતાએ મારા પર જે વિશ્વાસ રાખી મને વિજેતા બનાવ્યો છે. હું તેમનો આભારી છું.

ગુજરાતમાં ખાલી પડેલી સાત વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત બનાસકાંઠામાં પણ આજે વિધાનસભા બેઠકની મતગણતરી હાથ ધરાઇ હતી. પાલનપુર-અમદાવાદ હાઇવે પર આવેલ જગાણા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે સવારે આઠ વાગ્યે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં 1 એસઆરપીની ટુકડી, 1 ડીવાયએસપી, 2 પી.આઈ, પાંચ પીએસઆઈ સહિત 600 જવાનો તૈનાત કરાયા હતાં. જ્યારે 12 સીઆરપીએફની ટુકડી પણ તૈનાત રાખવામાં આવી હતી. કુલ 18 ટેબલ પર 22 રાઉન્ડમાં આ મતગણતરી પૂર્ણ કરાઇ હતી.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. થરાદ.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા..24 10 2019

સ્લગ..થરાદમાં વિધાનસભામાં કોગ્રેસના ગુલાબસિંગ રાજપૂતની ભવ્ય જીત..

એન્કર...બનાસકાંઠામાં થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ આજે મતગણતરી હાથ ધરાઇ હતી પાલનપુર-અમદાવાદ હાઇવે એન્જિનિયર કોલેજ ખાતે સવારે આઠ વાગ્યે શરૂ થયેલી. 18 વર્ષ બાદ થરાદ બેઠક પર કોંગ્રેસનો વિજય થતાં કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો હતો જ્યારે ભાજપે પોતાનો કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડું પડ્યું હતું
Body:
વી ઓ ...... ગુજરાતમાં ખાલી પડેલી સાત વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત બનાસકાંઠામાં પણ આજે વિધાનસભા બેઠકની મતગણતરી હાથ ધરાઇ હતી પાલનપુર-અમદાવાદ હાઇવે પર આવેલ જગાણા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે સવારે આઠ વાગ્યે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો એક એસઆરપીની ટુકડી, એક ડીવાયએસપી, બે પી.આઈ, પાંચ પીએસઆઈ સહિત 600 જવાનો તેનાત કરાયા હતા જ્યારે એક સીઆરપીએફની ટુકડી પણ તેનાત રાખવામાં આવી હતી કુલ 18 ટેબલ પર 22 રાઉન્ડમાં આ મતગણતરી પૂર્ણ કરાઇ હતી શરૂઆતમાં 10 રાઉન્ડ સુધી ભાજપ આગળ રહ્યા બાદ રેસની જેમ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબ સિંહ રાજપૂતે તેજ રફતાર પકડી ભાજપથી આગળ નીકળી ગયા હતા અને અંતે ૧૯માં રાઉન્ડમાં 6420 મતે તેમનો ભવ્ય વિજય થયો હતો ખાસ કરીને આ ચૂંટણીની વાત કરીએ તો શરૂઆતમાં જ ભાજપે જીવરાજભાઈ પટેલને ટિકિટ આપતા શંકરભાઈ ચૌધરી જૂથ નારાજ થયો હતો અને શરૂઆતથી જ તેઓએ નોટ આપી વિરોધ દર્શાવવા ની શરૂઆત કરી હતી તેમજ અનેક ગામોમાં બેઠક યોજી ભાજપના ઉમેદવાર ને જાકારો આપવાનો પ્રયાસ કર્યો હતો જોકે બાદમાં મહુડી મંડળના મનાવ્યાં બાદ આ જૂથ શાંત પડ્યો હતો તેમ છતાં પણ પરિણામ શંકર ચૌધરી જૂથે મહત્વની ભૂમિકા ભજવી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે બીજી તરફ ચૌધરી સમાજ વિશિસ ઈતર સમાજ જેવી સ્થિતિ સર્જાઈ હોય તેમ બન્યું છે કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપ માત્ર ને માત્ર ચૌધરી પટેલ ઉમેદવારને મેદાનમાં ઉતારતો હોવાના કારણે અન્ય સમાજમાં પણ નારાજ જોવા મળી રહી હતી અને તેના કારણે જ ભાજપે હાર નો સામનો કરવામાં આવ્યો છે 2001 બાદ એટલે કે ૧૮ વર્ષ બાદ ફરીથી થરાદમાં કોંગ્રેસ ધારાસભ્ય બનતા કોંગ્રેસ કાર્યકારી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ગુલાબસિંહ રાજપુત જીત થતા તેમને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવી ઝુલુસ નિકાલ્યું હતું.ત્યારે થરાદના વિજેતા ઉમેદવાર ગુલાબસિંગ રાજપુતે જણાવ્યું હતું કે આ મારી જીત નથી પણ મારા થરાદની જીત છે અને આજે થરાદની જનતાએ મારા પર જે વિશ્વાસ રાખી મને વિજેતા બનાવ્યા છે તેમનો આભાર માન્યો હતો..

વિજેતા ઉમેદવાર વન ટુ વન

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ..વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.