બનાસકાંઠાઃ પહેલાના જમાનામાં માહિતીના પ્રચાર માટે પરંપરાગત ભવાઈ એક મહત્વનું માધ્યમ ગણવામાં આવતું હતું. જોકે, સમય જતાં આ ભવાઈ ભૂલાવવા (Bhavai is on the verge of extinction) લાગી છે અને હવે તો ભવાઈ લુપ્ત થવાના આરે પહોંચી ગઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક એવું ગામ (Bhavai in Akhol village of Deesa taluka) આવ્યું છે, જ્યાં આજે પણ આ પરંપરાગત ભવાઈ જીવંત (Bhavai in Banaskantha) છે. આ ગામનું નામ છે આખોલ અને તે ડીસા તાલુકામાં આવેલું છે. એટલે અહીં અત્યારની યુવા પેઢી પણ ભવાઈના મહત્વને સમજી શકે છે. સામાન્ય રીતે શહેરના યુવાનો કદાચ ભવાઈથી પરિચિત નહીં હોય, પરંતુ બનાસકાંઠાના આ ગામમાં એક પણ એવો યુવાન નહીં હોય જેને ભવાઈ વિશે ખબર નહીં હોય. અહીં ભજવાતી ભવાઈને જોવા માટે દૂરદૂરથી લોકો આવતા હોય છે.
250 વર્ષથી ભજવાય છે ભવાઈ - આખોલ ગામમાં એક બે નહીં, પરંતુ 250 વર્ષથી આ પ્રાચીન ભવાઈ ભજવી લોકોનું મનોરંજન કરવામાં આવી રહ્યું છે. વર્તમાન આધુનિક યુગમાં જ્યારે મોટા ભાગના લોકો ભવાઈને ભૂતકાળ કહી રહ્યા છે. ત્યારે ભવાઈ આજે પણ મનોરંજન અને માહિતીના પ્રચાર માટેનું મહત્વનું સાધન (Bhavai, Medium of information dissemination) છે. તે આ ગામના ભવાઈ ભજવનારા કલાકારોએ સાબિત કરી બતાવ્યું છે. એક સમયે જ્યારે સંચારના સાધનો મર્યાદિત હતા. ત્યારે લોકો માટે સંચાર વ્યવસ્થાનું કામ ભવાઈના માધ્યમથી કરતા હતા.
ભૂતકાળમાં ભવાઈનો ઉપયોગ માહિતી આપવામાં થતો હતો - એક પ્રદેશની સંસ્કૃતિ બીજા પરદેશમાં ભવાઈના માધ્યમથી પરિચિત કરાવવામાં આવતી હતી, પરંતુ ટીવી અને ઈન્ટરનેટના યુગમાં આ ભવાઇ ભૂલાવવા લાગી છે. અને આ પ્રાચીન અને પરંપરાગત ભવાઈ આવનારી પેઢીમાં પણ જીવંત રહે. તે હેતુથી આખોલ ગામમાં દર વર્ષે ચૈત્ર મહિનામાં ભવાઈ ભજવવામાં આવે છે. તે દરમિયાન અલગ અલગ પ્રકારના નાટક રજૂ કરવામાં આવે છે. અહીં સંવાદ અને વેશભૂષાની મદદથી લોકોને અન્ય સંસ્કૃતિથી અવગત કરાવવામાં આવે છે. સાથે જ અન્ય વિસ્તારનો ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિચય પણ ભવાઈ ભજવીને આપવામાં આવે છે.
પુરૂષો સ્ત્રીનો વેશ ધારણ કરે છે - પ્રાચીન સમયથી ચાલી આવતી આ પરંપરાગત ભવાઈમાં અનેક કૃતિઓ રજૂ કરવામાં આવે છે. આ કૃતિઓ અભિનયના માધ્યમથી લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે, પરંતુ ખાસ વાત એ છે કે, ભવાઈમાં સ્ત્રીઓ ભાગ નથી લઈ શક્તી. આવા સંજોગોમાં સ્ત્રીઓના જે પાત્ર હોય છે .તે તમામ પાત્રોમાં પુરૂષો જ અભિનય કરતાં હોય છે. એટલું જ નહીં પુરૂષો સ્ત્રીઓના પાત્ર ભજવવા સ્ત્રીઓના વેશ પરિધાન કરવા ઉપરાંત સ્ત્રીઓની જેમ તૈયાર થાય છે. ત્યારબાદ તેઓ રંગમંચ પર પહોંચી અભિનય કરે છે. અને અભિનય પણ કેવો? આબેહૂબ સ્ત્રીઓનો વેશ પરિધાન કરીને સ્ત્રીઓ જેવો જ અભિનય કરતાં હોય છે અને હજારો લોકો વચ્ચે પણ પુરૂષો મહિલાના વેશ પરિધાન કરીને અભિનય કરતાં ક્ષોભ નથી અનુભવતા. આવા જ એક પુરૂષ સાથે અમે વાત કરી કે, જેને સ્ત્રીનો વેશ પરિધાન કરીને પાત્ર ભજવ્યું હતું. શું કહેવું હતું આ યુવકનું આવો સાંભળીએ.
આ પણ વાંચો- Tana RiRI Mahotsav 2021: 112 ભૂંગળ વાદકોએ સતત 5 મિનિટ વગાડવાનો વિક્રમ સર્જ્યો
યુવા પેઢીએ પણ ભવાઈમાં જોડાઈ પરંપરા જાળવી - આખોલ ગામમાં ભજવાતી ભવાઈનો ઈતિહાસ સદીઓ (Bhavai in Akhol village of Deesa taluka) જૂનો છે અને સદીઓ બાદ સંસ્કૃતિઓમાં પરિવર્તન જોવા મળતું હોય છે, પરંતુ આખોલ ગામમાં જાણે સમય થંભી ગયો હોય. તેમ આજે આધુનિક યુગમાં પણ ભવાઈનું પ્રાચીન સમયની જેમ જ આયોજન થાય છે અને નવી પેઢી પણ એટલા જ જોમ અને જૂસ્સાથી ભવાઈ ભજવે છે. આજે પણ પ્રાચીન વાંજિંત્રનો ઉપયોગ (Use of ancient musical instruments in Bhavai) કરે છે. પ્રાચીન ભવાઈમાં અભિનય કરતા કિશોર વયના લોકો સાથે અમે ખાસ મુલાકાત કરી હતી. ત્યારે આ કિશોર વયના લોકો પણ ભવાઈને લઈ ખૂબ જ જાગૃત જોવા મળ્યા હતા અને પોતાના ગામમાં ચાલી આવી રહેલી પરંપરાગત ભવાઈ આવનારી પેઢીમાં પણ સજીવન રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો- મોરબી ખાતે રંગભૂમિ અને ભવાઈના 120 કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા
આખોલ ગામના લોકોએ 250 વર્ષ જૂની પરંપરા જીવંત રાખી છે - છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વ આધુનિકતાના રંગે રંગાઈ રહ્યું છે. અને તેની અસર હવે ભારત અને ભારતના ગામડાઓમાં પણ જોવા મળી રહી છે.ત્યારે આ બદલાવ વચ્ચે પણ આખોલ ગામમાં જે રીતે ભવાઈ (Bhavai in Akhol village of Deesa taluka) ભજવાઈ રહી છે તે ખરેખર સરાહનિય કહેવાય. કારણ કે ભૂલાતી જતી સંસ્કૃતિને જો નાનકડા ગામના લોકો પણ ગંભીર સમજીને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા હોય ત્યારે શિક્ષિત અને શહેરી લોકો પણ ભારતની ભૂલાતી જતી સંસ્કૃતિને જીવંત બનાવવા માટે આગળ આવવું જરૂરી (Bhavai is on the verge of extinction) છે. આથી ભૂલાતી જતી ભવ્ય ભારતીય સંસ્કૃતિને એકવાર ફરી જીવંત કરી શકાય.! આપને જણાવી દઈએ કે, ભવાઈની સૌપ્રથમ શરૂઆત અસાઈત ઠાકરે કરી હતી. તે સમયે તેમણે ભવાઈના અનેક નવા વેશ આપ્યા હતા, પરંતુ સમયાંતરે આ તમામ વેશ ભૂલાતા ગયા અને હવે તો થોડાક જ વેશ ભજવવામાં આવી રહ્યા છે.