અરવલ્લીઃ રાજ્યમાં કોરોના મહામારી સામે જંગમાં પોલીસકર્મીઓ કોરોના વોરિયર્સની ભૂમિકા જીવના જોખમે ખડેપગે નિભાવી રહ્યાં છે. ત્યારે અમદાવાદના કૃષ્ણનગરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરતજી સોમાજીનું કોરોનાથી મોત નિપજતા સમગ્ર રાજ્યના પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ છે. અરવલ્લી જિલ્લા પોલીસ અધ્યક્ષ મયુર પાટીલે જિલ્લા પોલીસભવન ખાતે અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
![Tribute to Corona Warrior at Aravalli District Police Bhavan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-02-police-tribute-photo1-gj10013jpeg_19052020165728_1905f_1589887648_278.jpeg)
- 2 મીનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરતજી સોમાજીનો 16 તારીખે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની સારવાર દરમિયાન સોમવારે વહેલી સવારે તેમનું મોત નિપજતા ગુજરાતમાં પોલીસ કર્મચારીનું સૌપ્રથમ મોત કોરોનાથી થતા પોલીસતંત્રમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. અરવલ્લી જિલ્લા એસપી મયુર પાટીલે પોલીસ અધિક્ષક કચેરીમાં ફરજ બજાવતા કર્મીઓ સાથે પોલીસભવન પરિસરમાં ૨ મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
![Tribute to Corona Warrior at Aravalli District Police Bhavan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-02-police-tribute-photo1-gj10013jpeg_19052020165728_1905f_1589887648_364.jpeg)