ETV Bharat / state

અરવલ્લીમાં કોરોનાથી બે દિવસમાં ત્રણનાં મોત

author img

By

Published : Jun 26, 2020, 9:33 PM IST

રાજ્યમાં કોરોનાના કેસ સતત્ત વધી રહ્યા છે. ત્યારે અરવલ્લીમાં કોરોનાથી 2 દિવસમાં 3 લોકોના મોત નિપજ્યા છે.જેથી જિલ્લામાં હવે મૃતકોની સંખ્યા 18 પર પહોંચી ગઇ છે.

અરવલ્લીમાં કોરોનાથી બે દિવસમાં 3 લોકોના મોત
અરવલ્લીમાં કોરોનાથી બે દિવસમાં 3 લોકોના મોત

મોડાસા : અરવલ્લી જિલ્લામાં કોરોના કહેર યથાવત રહેતા છેલ્લા બે દિવસમાં ત્રણ દર્દીઓના મોત નિપજતા હતા, જેથી મૃતકોની સંખ્યા18 થઇ ગઇ છે. જયારે શુક્રવારે વધુ ત્રણ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાતા દર્દીઓનો આંક 207 પર પહોંચ્યો છે, જે પૈકી કુલ 159 દર્દીની સારવાર પૂર્ણ થતા તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

સંક્રમણનું જોખમને અટકાવવા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.જેના ભાગરૂપે ગઇકાલે COVID-19 ના સૌથીવધુ કેસ નોંધાયેલા વિસ્તારોમાં આરોગ્યની ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યું હતું.હાલમાં હોમ કોરોન્ટાઇન થયેલા લોકોની સંખ્યા 33 છે. તેમજ પોઝીિટિવ દર્દીના સંપર્કમાં આવેલા કુલ-425 વ્યક્તિઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. હાલમાં વાત્રક કોવિડ હોસ્પિટલમાં આઈસોલેશનમાં 2 તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં આઇસોલેશનમાં 9 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ અરવલ્લી જિલ્લાના 10 પોઝીટીવ કેસ હિમતનગર સિવિલ હોસ્પિટલમાં,1 કેસ મેડીસ્ટાર હીંમતનગર,અમદાવાદની હોસ્પિટલમાં 5 તેમજ ગાંધીનગરની હોસ્પિટલમાં 1 દર્દી સારવાર હેઠળ છે.

મોડાસા : અરવલ્લી જિલ્લામાં કોરોના કહેર યથાવત રહેતા છેલ્લા બે દિવસમાં ત્રણ દર્દીઓના મોત નિપજતા હતા, જેથી મૃતકોની સંખ્યા18 થઇ ગઇ છે. જયારે શુક્રવારે વધુ ત્રણ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાતા દર્દીઓનો આંક 207 પર પહોંચ્યો છે, જે પૈકી કુલ 159 દર્દીની સારવાર પૂર્ણ થતા તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

સંક્રમણનું જોખમને અટકાવવા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.જેના ભાગરૂપે ગઇકાલે COVID-19 ના સૌથીવધુ કેસ નોંધાયેલા વિસ્તારોમાં આરોગ્યની ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યું હતું.હાલમાં હોમ કોરોન્ટાઇન થયેલા લોકોની સંખ્યા 33 છે. તેમજ પોઝીિટિવ દર્દીના સંપર્કમાં આવેલા કુલ-425 વ્યક્તિઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. હાલમાં વાત્રક કોવિડ હોસ્પિટલમાં આઈસોલેશનમાં 2 તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં આઇસોલેશનમાં 9 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ અરવલ્લી જિલ્લાના 10 પોઝીટીવ કેસ હિમતનગર સિવિલ હોસ્પિટલમાં,1 કેસ મેડીસ્ટાર હીંમતનગર,અમદાવાદની હોસ્પિટલમાં 5 તેમજ ગાંધીનગરની હોસ્પિટલમાં 1 દર્દી સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.