અરવલ્લીઃ પ્રાસંગીક પ્રવચનમાં રમણભાઈ પાટકરે જણાવ્યું હતુ કે, આંબલીયા ખાતે નવા બનેલા આ ભવન પાછળ 14 લાખ જેટલી રકમ ખર્ચીને બનાવેલ જેનાથી ગ્રામજનોને પોતાના ગામમાં નવીન સગવડ ઉભી કરવામાં આવી છે. સરકાર દ્વારા અનેક વિકાસના કામો કરી પ્રગતિના પંથે આગળ વધી રહી છે. ગામમાં શહેરીમા સ્વચ્છતા જાળવવીએ આપણા સૌની જવાબદારી છે. સરકાર દ્વારા અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. જેનાથી લોકોની સુખાકારીમાં વધારો થઈ રહ્યો છે અને ગુજરાત વિકાસના કામોમાં અગ્રેસર રહ્યું છે.
રમણભાઈ પાટકરએ ચાંદરેજ ગ્રામપંચાયત તથા તલાટી મંત્રીના રહેણાંકના મકાન નવીન બનાવવા માટેના મકાનનું ભૂમિપુજન કરતા ગામના લોકોને ગામમાં જ સગવડ મળી રહેશે. રમણભાઈ પાટકરે ગામના રસ્તા બનવાના બાકી છે. જેના પૂરા કરવાની ખાત્રી આપી હતી અને માજૂમની કેનાલથી ગામનું તળાવ ભરવા માટેનું જણાવ્યું છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા, નાયબ પશુપાલન અધિકારી, જિલ્લા પંચાયતની સદસ્ય અદેસિંહ ચૌહાણ, તાલુકા પંચાયતના પ્રમુખ અલ્પેશ પટેલ, તાલુકા અને જિલ્લાના સદસ્યઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.