અરવલ્લી: જિલ્લા ઉપરાંત દરેક તાલુકા અને ગામડાઓમાં પણ કોરોનાની ચપેટમાં અનેક લોકો આવી રહ્યા છે. ત્યારે, કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા આરોગ્ય તંત્ર તેમજ સરકાર દ્વારા અનેકવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.
કોરોના સામેની જંગમાં લોકોમાં રોગપ્રતિકાર શક્તિ જળવાય રહે તે માટે ગળો, અરડુસી, તુલસી અને ફૂદીના સહિતના ઔષધિય વનસ્પતિઓનો રસને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. ત્યારે માલપુરની વૃક્ષ ઉછેર ગ્રામવન વિકાસ મંડળના દિનેશભાઇ ઉપાધ્યાય અને સરકારી આયુર્વેદ દવાખાનાના ર્ડો. અમિતાબેન પટેલ સહિત વનમંડળીના સંયોજક યશ પંડયા, હેરીક ઉપાધ્યાય, ડંકીત પંડયા, વિવેક ગોર દ્વારા માલપુરમાં જયાં કોરોના કેસ આવ્યા છે, તેવા નિયત્રિત વિસ્તારના વલ્લભફળી, દરબારગઢ, ખાડીયા ચાર રસ્તા અને અંધારીફળીના 750 થી વધુ લોકો અને ઉભરાણના 600થી વધુ લોકોને ઔષધિય આયુર્વેદ ઉકાળાનું વિતરણ કરાયું હતું.