શામળાજી ચેકપોસ્ટ પર RTO ઇન્સ્પેક્ટર દેવસીભાઈ આંબલીયા ફરજ પર હતા. તે દરમ્યાન “ઈશ્વર ટ્રાવેલ્સ”ની લકઝરી નં.RJ 30 PB 0711 બસ આવી હતી. અધિકારીએ ટેક્ષની પાવતી રજુ કરવા જણાવતા ડ્રાઇવરે ટેક્ષ ભરેલી રસીદની ઝેરોક્ષ આપી હતી. જેના કારણે અધિકારીને શંકા થતા વધુ તપાસ કરતા આ પાવતી નકલી હોવાની ખબર પડી હતી.
જોકે આ દરમ્યન લકઝરી બસનો ડ્રાઈવર સુખદેવસીંગ મદનસિંહ રાવત ફરાર થઈ ગયો હતો પરંતુ બસનો ક્લીનર રાજેન્દ્રસિંગ મોતિસિંગ રાવત હાથ લાગી ગયો હતો. પુછપરછમાં નકલી પાવતી કૌભાંડમાં લકઝરી બસનો માલિક મીઠુંસિંહ રાજુસિંહ ચૌહાણ અને વેણપુર નજીક આવેલી ભોલેનાથ હોટલનો માલિક દિનેશની સંડોવણી બહાર આવી છે.
સમગ્ર કૌભાંડ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા શામળાજી પોલીસે 4 ઇસમો સામે સરકાર સાથે છેતરપિંડીનો અને વિશ્વાસઘાતનો ગુનો ઇફકો કલમ- 406,420,465,467,468,471,474 અને 120B મુજબ ફરિયાદ નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.