મોડાસા: ઉનાળો શરૂ થતાં જ અરવલ્લી જિલ્લામાં દાવાનળની ઘટનાઓ સર્જાય છે. તાજેતરમાં માલપુર અને મોડાસામાં જંગલમાં (forest area of Modasa)આગની ઘટના બની હાતી ત્યારે વધુ એક વાર મોડાસાના ડુઘરવાડાના જંગલમાં દાવાનળ (forest fire in Dugarwada) થતાં અફરા - તફરી મચી જવા પામી હતી. આગે વિકરાળ સ્વારૂપ ધારણ કરતાં વનરાજી બળીને ખાક થઇ ગયા હતા અને હવામાં આગના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.
Somnath Trust Secretory: સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી તરીકે યોગેન્દ્ર દેસાઈની નિમણૂક
આગ લાગવાનું કારણ: સામાન્ય રીતે આગ લાગવાનું કારણ ઉનાળાની ગરમી જાહેર કરવામાં આવે છે પરંતુ ઉનાળાની આડમાં જંગલ ખાતાના અધિકારીઓ કંઇક બીજો જ ખેલ ખેલી રહ્યા હોય તેવુ જણાય રહ્યુ છે કેમ કે આગ લાગવાની ઘટના ઘટવા છતાં વનવિભાગનો એકપણ અધિકારી કે કર્મચારી ઘટનાસ્થળે પહોંચ્યો નહોતો. તેથી આગ લાગ છે કે લગાવામાં આવે છે તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે.