આણંદઃ સમાજમાં વસતા નિરાધાર બાળકોને વિવિધ સંસ્થા ટ્રસ્ટ વ્યક્તિઓ દ્વારા સહાયક બનવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે, પરંતુ જયપુરના નિવાસી મનન ચતુર્વેદીએ એક દિવસ કચરાના ઢગલામાં ગરીબ બાળકને કંઈક શોધતા નિહાળીને ગરીબ નિરાધાર બાળકોનો આધાર બનાવવાનું બીડું ઝડપ્યું હતું.
પોતાના સંકલ્પો સિદ્ધ કરવા રાજસ્થાન સરકારના બાળ સંરક્ષણ આયોગ અધ્યક્ષ પદેથી દેવાય રાજીનામું આપ્યું હતું. ચિત્રકલાના હસ્તગત કલાકાર મનન ચતુર્વેદી પોતાના હાથની આંગળીઓ વડે અદભુત ચિત્ર તૈયાર કરી શકે છે, ત્યારે 200થી વધુ નિરાધાર બાળકોની માતા ગણાથી મનન ચતુર્વેદીને આજે દેશ મધર ઈન્ડિયાના નામથી ઓળખે છે.
આણંદ ખાતે મનન ચતુર્વેદી સતત 24 કલાક સુધી વિરામ વગર પેઈન્ટિંગ કરી આણંદવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા, તો બીજી તરફ આણંદના રહેવાસીઓએ પણ મનન ચતુર્વેદીની કલા અને ઉમદા ઉદ્દેશને માન આપી તેમની અમૂલ્ય કલાને બિરદાવી હતી.