ETV Bharat / state

આણંદના જયાબેનને અનેક બીમારીઓ હોવા છતાં કોરોનાને હરાવ્યો, જાણો મક્કમ મનોબળના જીવતા ઉદાહરણ વિશે...

author img

By

Published : Apr 24, 2021, 1:50 PM IST

Updated : Apr 25, 2021, 10:59 AM IST

આણંદના 58 વર્ષીય કોરોનાગ્રસ્ત મહિલા જયાબેન સુથારને બ્રેસ્ટ કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારી હોવા છતાં 24 દિવસ સુધી વેન્ટિલેટર ઉપર સારવાર બાદ લીધા બાદ, મક્કમ મનોબળ અને ડોક્ટર સહિત આરોગ્ય કર્મચારીઓના હકારાત્મક વલણના કારણે મજબૂત આત્મવિશ્વાસ ટકાવી રાખી મહામારીને મ્હાત આપી હતી.

બ્રેસ્ટ કેન્સર અને ડાયાબિટીસ હોવા છતાં દર્દી જયાબેને મક્કમતાથી કોરોનાને હરાવ્યો
બ્રેસ્ટ કેન્સર અને ડાયાબિટીસ હોવા છતાં દર્દી જયાબેને મક્કમતાથી કોરોનાને હરાવ્યો
  • ખંભાતમાં 58 વર્ષીય મહિલાએ 24 દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રહીને કોરોનાને મ્હાત આપી
  • ડોક્ટર સહિત આરોગ્યકર્મીઓનું હકારાત્મક વલણ અને દર્દીના મક્કમ મનોબળની જીત થઈ
  • દર્દી જયાબેન સુથારે કહ્યું હતું કે, પોઝિટિવ થિંકિંગ કોઈ પણ બીમારીના દર્દીને સાજા કરી શકે છે

આણંદ: જિલ્લામાં મહામારીમાં વધતા જતા કેસોને કારણે દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં, ખંભાતની 58 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થયા બાદ 24 દિવસ સુધી વેન્ટિલેટર ઉપર સારવાર મેળવીને મહામારી સામે જીત મેળવી છે. મહિલાને બ્રેસ્ટ કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારી હોવા છતાં કોરોનાની સારવાર, તેઓના મક્કમ મનોબળ અને ડોક્ટર સહિત આરોગ્ય કર્મચારીઓના હકારાત્મક વલણના કારણે મજબૂત આત્મવિશ્વાસ ટકાવી રાખ્યો હતો. આથી, તેઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આ પણ વાંચો: ભાવનગરમાં 102 વર્ષના વૃદ્ધાએ કોરોનાને આપી મ્હાત

ડાયાબીટીસની બિમારીના કારણે જયાબેનની તબિયત વધુ બગડી હતી

ખંભાતની માધવલાલ શાહ હાઈસ્કૂલમાં આચાર્ય રોહિત સુથારના ધર્મપત્ની જયાબેનને શરૂઆતમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતાં RTPCR રિપોર્ટ કરાવવાની જરૂર પડી હતી. આ રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને હોસ્પિટલમાં વોર્ડમાં દાખલ કરાયા હતા. જોકે, ડાયાબીટીસની બિમારી હોવાના કારણે જયાબેનની તબિયત વધુ બગડતા ઓક્સિજનનું લેવલ પણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું હતું. પરંતુ, પોતે સાજા થશે તેઓ ભરપૂર આત્મવિશ્વાસ ધરાવતા જયાબેનને ડોક્ટર સહિતના આરોગ્ય કર્મીઓ પણ સતત પ્રોત્સાહિત કરતા રહ્યા હતા. જોકે, ઓક્સિજન લેવલની સમસ્યાને કારણે જયાબેનને વેન્ટિલેટર ઉપર સારવાર કરવામાં આવી હતી.

45થી 50 લીટર ઓક્સીજનની જયાબેનને જરૂરિયાત રહી

જોકે, 24 દિવસ સુધી વેન્ટિલેટર ઉપર સારવાર અને 45થી 50 લીટર ઓક્સીજનની જયાબેનને જરૂરિયાત રહી હતી. આ બાદ, સારવારના સંઘર્ષ બાદ તેઓ સાજા થઈને ઘરે જશે તેઓ મક્કમ નિર્ધાર સાથે કોરોનાને મ્હાત આપવામાં તેઓ સફળ રહ્યા હતા.

હોસ્પિટલના કર્મચારીગણનો તેઓએ આભાર વ્યક્ત કર્યો

ખંભાત સહિત પંથકમાં કોરોનાની સારવાર મેળવનાર દર્દીઓ માટે જયાબેન પોઝિટિવ દ્રષ્ટાંત રૂપ બન્યા છે. તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે, કાર્ડિયાક હોસ્પિટલના પ્રમુખ જીગ્નેશ પટેલ, કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પ્રદીપ જાદવ, ડોક્ટર દીપ વાસુ, ડોક્ટર ઉજ્જવલ પટેલ, ડોક્ટર હર્ષલ સોની, ડોક્ટર મોહિત પટેલ સહિતના ડોક્ટરોની ટીમ સાથે ટ્રસ્ટીગણ અને પેરામેડિકલ સહિત હોસ્પિટલના કર્મચારીગણનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.

બ્રેસ્ટ કેન્સર અને ડાયાબિટીસ હોવા છતાં દર્દી જયાબેને મક્કમતાથી કોરોનાને હરાવ્યો

આ પણ વાંચો: ડભોઈના 93 વર્ષીય વૃદ્ધ મહિલાએ કોરોનાને મ્હાત આપી

પોઝીટીવ વિચારોથી કોઈપણ દર્દને દુર કરી શકાય: દર્દી જયાબેન

વેન્ટિલેટર ઉપર 24 દિવસ સુધી સારવાર મેળવ્યા બાદ કોરોનાની પકડમાંથી સ્વસ્થ થયેલા જયાબેને જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ પોઝિટિવ આવે તો તેમણે સમયે ગભરાવવું કે ચિંતિત થવું જોઈએ નહીં. પરંતુ, આવી પડેલી સ્થિતિનો આત્મવિશ્વાસ અને મક્કમતાથી સામનો કરવો જોઈએ. સાથોસાથ પોઝિટિવ થિંકિંગ કોઈ પણ બીમારી દર્દીને સાજા કરી શકે છે. જોકે, કોરોના સંક્રમણથી બચવા સૌએ માસ્ક સહિત કોરોના ગાઇડલાઇનનો સંપૂર્ણપણે પાલન કરવું હિતાવહ છે.

  • ખંભાતમાં 58 વર્ષીય મહિલાએ 24 દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રહીને કોરોનાને મ્હાત આપી
  • ડોક્ટર સહિત આરોગ્યકર્મીઓનું હકારાત્મક વલણ અને દર્દીના મક્કમ મનોબળની જીત થઈ
  • દર્દી જયાબેન સુથારે કહ્યું હતું કે, પોઝિટિવ થિંકિંગ કોઈ પણ બીમારીના દર્દીને સાજા કરી શકે છે

આણંદ: જિલ્લામાં મહામારીમાં વધતા જતા કેસોને કારણે દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં, ખંભાતની 58 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થયા બાદ 24 દિવસ સુધી વેન્ટિલેટર ઉપર સારવાર મેળવીને મહામારી સામે જીત મેળવી છે. મહિલાને બ્રેસ્ટ કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારી હોવા છતાં કોરોનાની સારવાર, તેઓના મક્કમ મનોબળ અને ડોક્ટર સહિત આરોગ્ય કર્મચારીઓના હકારાત્મક વલણના કારણે મજબૂત આત્મવિશ્વાસ ટકાવી રાખ્યો હતો. આથી, તેઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આ પણ વાંચો: ભાવનગરમાં 102 વર્ષના વૃદ્ધાએ કોરોનાને આપી મ્હાત

ડાયાબીટીસની બિમારીના કારણે જયાબેનની તબિયત વધુ બગડી હતી

ખંભાતની માધવલાલ શાહ હાઈસ્કૂલમાં આચાર્ય રોહિત સુથારના ધર્મપત્ની જયાબેનને શરૂઆતમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતાં RTPCR રિપોર્ટ કરાવવાની જરૂર પડી હતી. આ રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને હોસ્પિટલમાં વોર્ડમાં દાખલ કરાયા હતા. જોકે, ડાયાબીટીસની બિમારી હોવાના કારણે જયાબેનની તબિયત વધુ બગડતા ઓક્સિજનનું લેવલ પણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું હતું. પરંતુ, પોતે સાજા થશે તેઓ ભરપૂર આત્મવિશ્વાસ ધરાવતા જયાબેનને ડોક્ટર સહિતના આરોગ્ય કર્મીઓ પણ સતત પ્રોત્સાહિત કરતા રહ્યા હતા. જોકે, ઓક્સિજન લેવલની સમસ્યાને કારણે જયાબેનને વેન્ટિલેટર ઉપર સારવાર કરવામાં આવી હતી.

45થી 50 લીટર ઓક્સીજનની જયાબેનને જરૂરિયાત રહી

જોકે, 24 દિવસ સુધી વેન્ટિલેટર ઉપર સારવાર અને 45થી 50 લીટર ઓક્સીજનની જયાબેનને જરૂરિયાત રહી હતી. આ બાદ, સારવારના સંઘર્ષ બાદ તેઓ સાજા થઈને ઘરે જશે તેઓ મક્કમ નિર્ધાર સાથે કોરોનાને મ્હાત આપવામાં તેઓ સફળ રહ્યા હતા.

હોસ્પિટલના કર્મચારીગણનો તેઓએ આભાર વ્યક્ત કર્યો

ખંભાત સહિત પંથકમાં કોરોનાની સારવાર મેળવનાર દર્દીઓ માટે જયાબેન પોઝિટિવ દ્રષ્ટાંત રૂપ બન્યા છે. તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે, કાર્ડિયાક હોસ્પિટલના પ્રમુખ જીગ્નેશ પટેલ, કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પ્રદીપ જાદવ, ડોક્ટર દીપ વાસુ, ડોક્ટર ઉજ્જવલ પટેલ, ડોક્ટર હર્ષલ સોની, ડોક્ટર મોહિત પટેલ સહિતના ડોક્ટરોની ટીમ સાથે ટ્રસ્ટીગણ અને પેરામેડિકલ સહિત હોસ્પિટલના કર્મચારીગણનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.

બ્રેસ્ટ કેન્સર અને ડાયાબિટીસ હોવા છતાં દર્દી જયાબેને મક્કમતાથી કોરોનાને હરાવ્યો

આ પણ વાંચો: ડભોઈના 93 વર્ષીય વૃદ્ધ મહિલાએ કોરોનાને મ્હાત આપી

પોઝીટીવ વિચારોથી કોઈપણ દર્દને દુર કરી શકાય: દર્દી જયાબેન

વેન્ટિલેટર ઉપર 24 દિવસ સુધી સારવાર મેળવ્યા બાદ કોરોનાની પકડમાંથી સ્વસ્થ થયેલા જયાબેને જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ પોઝિટિવ આવે તો તેમણે સમયે ગભરાવવું કે ચિંતિત થવું જોઈએ નહીં. પરંતુ, આવી પડેલી સ્થિતિનો આત્મવિશ્વાસ અને મક્કમતાથી સામનો કરવો જોઈએ. સાથોસાથ પોઝિટિવ થિંકિંગ કોઈ પણ બીમારી દર્દીને સાજા કરી શકે છે. જોકે, કોરોના સંક્રમણથી બચવા સૌએ માસ્ક સહિત કોરોના ગાઇડલાઇનનો સંપૂર્ણપણે પાલન કરવું હિતાવહ છે.

Last Updated : Apr 25, 2021, 10:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.