અમરેલી : હાલ જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉન છે, ત્યારે ખેડૂતોને પોતાનો પાક વહેંચવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં બગસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડવાથી ખેડૂતોની ચિંતામા વધારો થયો છે.
અચાનક વાતાવરણમાં પલટો આવતા બગસરાના કડાયા, વાવડી, સુડાવડ સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે ખેડૂતોને ઉનાળુ મગફળી, ઘઉં, ચણાની ખેતીને નુકશાન થવાની ભીતિ સર્જાઇ છે.