અમરેલીઃ અમરેલી જિલ્લામાં બાબરા બાદ સાવરકુંડલામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાવરકુંડલામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. આ સાથે જ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
સાવરકુંડલામાં અચાનક વાતાવરણમાંં પલટો આવતા ભારે વરસાદ પડ્યો હતો. આ સાથે જ ઝિંઝૂડા, પીઠવડી, વંડા, પિયાવા, ઠવી, વીરડી સહિતના ગામોમાં વરસાદે દસ્તક આપી હતી. અમરેલી જિલ્લામાં ખેડૂતો કેરીની ખેતી વધારે કરે છે. એવામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતાં કેરી પકવતા ખેડૂતોને વ્યાપક નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે.
એક બાજુ કોરોનાથી ખેડૂતો રોજી રોટી માટે ચિંતિત છે તો બીજી આજુ અચાનક આવી પડેલા વરસાદને કારણે પેટ પર પાટું પડવા જેવી સ્થિતિ ખેડૂતોની થઈ છે.