અમરેલી જિલ્લામાં પીપાવાવ પોર્ટ નજીકના સમુદ્રની વચ્ચે શિયાળ બેટ નામનો ટાપુ આવેલ છે. જ્યાં વસવાટ કરતા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે. તેમજ આ જગ્યાના લોકો હાલ પીપાવાવ થઈ શિયાળ બેટ સુધી બોટમાં બેસીને પોતાના ગામ સુધી પહોચે છે. આ ગામ સમુદ્ર વચ્ચે આવેલું છે.
અમરેલી જિલ્લામાં વાયુ વાવઝોડાની અસર વધુ જોવા મળે તેવી શક્યતા છે. જેથી આ વિસ્તારમાં તમામ પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગામના સરપંચ અને વહીવટી તંત્ર દ્વારા પીવાનું પાણી, પાકા મકાનમાં રહેવાની સુવિધા ,જરૂરિયાત મુજબ ખાવા પીવાનો જથ્થો તેમજ માછીમારી કરતા લોકોને પાછા બોલાવી લેવામાં આવ્યા છે. હાલ તો અહીં સમુદ્ર શાંત છે, તેમજ કોઈ હિલચાલ જોવા મળી નથી.