અમરેલીમાં છેલ્લા 4 વર્ષથી ચાલતી ભુગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ ભૂગર્ભ ગટરને કારણે તૂટેલા રોડ-રસ્તાઓ માટે 10 કરોડની ગ્રાન્ટ પણ આવી ગઈ છે, પરંતુ તંત્ર દ્વારા રોડ રસ્તાઓ બનવવાને બદલે થિંગડા મારવામાં આવ્યા છે. મોટેભાગે તો ભૂગર્ભ ગટર બન્યા બાદ તૂટેલા રોડ રસ્તાઓની હાલત જેની તે જ રહી છે. જે કારણે કોંગ્રેસના પાલિકાના સદસ્યોએ તૂટેલા રોડ રસ્તાઓ પર ફૂલ, અબીલ ગુલાલ ઉડાડીને મંત્રોચ્ચારના ઝાપ સાથે ભાજપ શાસિત પાલિકાને ભગવાન સદબુદ્ધિ આપે તેવા સુત્રોચાર કરવામાં આવ્યા હતા.
સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ 'હાય રે ભાજપ હાય હાય' ના નારાઓ લગાવી અમરેલી પાલિકાના ચીફ ઓફિસરને પ્રજાને પડતી યાતનાઓ મુદ્દે આવેદનપત્ર આપીને કોંગી સદસ્યોએ ચીફ ઓફિસરને ખખડાવી નાખ્યા હતા. વધુમાં મુખ્યમાર્ગો મરામત કરવાને બદલે થિંગડા મારીને ભષ્ટાચાર કરવાનો આરોપ પાલિકા પર વિપક્ષે લગાવ્યો હતો. ત્યારે પાલિકાના ચીફ ઓફિસરે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા ફળવાયેલી 10 કરોડની ગ્રાન્ટ માર્ગ એન્ડ મકાન વિભાગને ફાળવી હોવાનું કહીને પાલિકા તંત્રની પોલ પર પડદો પાડી રહ્યાનું ફલિત થઈ રહ્યું છે.