ETV Bharat / state

અમરેલીની લીલાપાણી નેસમાં માલધારી સમાજની સ્થિતિ જાણવા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી બાઈક લઈને પહોંચ્યા

author img

By

Published : Jun 5, 2021, 2:57 PM IST

અમરેલી જિલ્લામાં વાવાઝોડું ત્રાટક્યું ત્યારે અમરલી જિલ્લામાં આવેલા ગીર જંગલની હાલત પણ ખરાબ છે. તૌકતે વાવાઝોડાની અસર પામેલા લીલાપાણી નેસડામાં વસતા માલધારીઓની સ્થિતિ અત્યંત ખરાબ છે. તેમની સ્થિતિ જાણવા માટે વિપક્ષ નેતા પરેશ ધાનાણી પહોંચ્યા હતા અને માલધારીઓ સાથે નેસની મુલાકાત લઈ પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

અમરેલીની લીલાપાણી નેસમાં માલધારી સમાજની સ્થિતિ જાણવા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી બાઈક લઈને પહોંચ્યા
અમરેલીની લીલાપાણી નેસમાં માલધારી સમાજની સ્થિતિ જાણવા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી બાઈક લઈને પહોંચ્યા
  • અમરેલીમાં લીલાપાણી નેસડામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી મુલાકાત
  • જિલ્લાના ગીર જંગલમાં નેસડામાં તમામ માલધારીઓના ઝૂંપડાને નુકસાન થયું
  • ચારણ પરિવારના યુવકે ભજાન ગાઈને લોકોનું મનોરંજન પણ કર્યું હતું

અમરેલીઃ લીલાપાણી નેસ જંગલ મધ્યમાં આવેલા સૌથી મોટા નેસડાઓ પૈકીની એક નેસ છે. અહીં વસવાટ કરતા માલધારીઓને વાવાઝોડાએ હેરાન દીધા છે. તેમના ઝૂંપડાઓ પડી ગયા છે. પશુઓનો ચારો પાણીમાં પલળીને સડી ગયો છે. અનાજ પણ પલળી જતા અનાજને તડકામાં સુકવીને ખાવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. માલધારીની હાલત અતિ કફોડી બની ગઈ છે. જિલ્લાના ગીર જંગલમાં આવેલા નેસડાઓમાં લગભગ તમામ માલધારીઓ ઝૂંપડાઓ બાંધીને રહે છે ત્યારે ભયંકર વાવાઝોડામાં તેમના ઝૂંપડાઓ નષ્ટ થઈ ગયા છે. આવા સંજોગોમાં સરકાર આ માલધારીઓની પડખે ઉભા રહી તેમનું જીવન ફરી થાળે પાડે એવી માગ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પણ કરી છે.
આ પણ વાંચો- બનાસકાંઠા જિલ્લામાં પવન સાથે વરસાદ, અનેક ખેડૂતોને પાકમાં નુકશાન

ઝૂંપડા પડી ગયા પણ કોઈ સહાય ન મળી

વાવાઝોડામાં ઝૂંપડા પડી ગયા હતા ત્યારે સરકારની કોઈ સહાય આવી નથી. પશુને ઘાસચારો નથી. અમારે ખાવાનું બધું પલળી ગયું છે. કોઈ પ્રકારની સહાય આવી નથી. હજારો પશુ અહીં નેસડામાં છે. બધા પશુ પણ ભૂખ્યા છે. રસ્તા હજી બંધ છે અમારા પશુ ક્યાં ચરવા જાય.

આ પણ વાંચો- Surat Textile Industry - કોરોનાની બીજી લહેરમાં સુરત કાપડ ઉદ્યોગને દૈનિક 300થી 350 કરોડ રૂપિયાનું નુકસાન


નેસડામાં મુલાકાત લઈ નેતાએ સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો

વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા નેસડામાં મુલાકાત લઈ પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરાયો હતો ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ચા પીવડાવી હતી અને સાથે ચારણ પરિવારના યુવક દ્વારા ભજન ગાઈ મનોરંજન પણ કરાવ્યું હતું. માલધારીઓની વેદના સાંભળવા માટે વિપક્ષ નેતા અહીં બાઇક લઈ પહોંચ્યા હતા.

વિપક્ષ નેતા ધાનાણી દ્વારા પેકેજની માગ કરાઈ

વિપક્ષના નેતા પરેશ ધાનાણીની માગ છે કે, આ માલધારીની પડખે સરકાર આવે તે જરૂરી છે. માલધારીના નેસડા ભાંગી ગયા છે. ઘાસચારાની મોટી અછત છે. માલધારીઓ માટે રાહત પેકેજ આપી મદદ કરવાની માગણી કરું છું.

  • અમરેલીમાં લીલાપાણી નેસડામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી મુલાકાત
  • જિલ્લાના ગીર જંગલમાં નેસડામાં તમામ માલધારીઓના ઝૂંપડાને નુકસાન થયું
  • ચારણ પરિવારના યુવકે ભજાન ગાઈને લોકોનું મનોરંજન પણ કર્યું હતું

અમરેલીઃ લીલાપાણી નેસ જંગલ મધ્યમાં આવેલા સૌથી મોટા નેસડાઓ પૈકીની એક નેસ છે. અહીં વસવાટ કરતા માલધારીઓને વાવાઝોડાએ હેરાન દીધા છે. તેમના ઝૂંપડાઓ પડી ગયા છે. પશુઓનો ચારો પાણીમાં પલળીને સડી ગયો છે. અનાજ પણ પલળી જતા અનાજને તડકામાં સુકવીને ખાવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. માલધારીની હાલત અતિ કફોડી બની ગઈ છે. જિલ્લાના ગીર જંગલમાં આવેલા નેસડાઓમાં લગભગ તમામ માલધારીઓ ઝૂંપડાઓ બાંધીને રહે છે ત્યારે ભયંકર વાવાઝોડામાં તેમના ઝૂંપડાઓ નષ્ટ થઈ ગયા છે. આવા સંજોગોમાં સરકાર આ માલધારીઓની પડખે ઉભા રહી તેમનું જીવન ફરી થાળે પાડે એવી માગ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પણ કરી છે.
આ પણ વાંચો- બનાસકાંઠા જિલ્લામાં પવન સાથે વરસાદ, અનેક ખેડૂતોને પાકમાં નુકશાન

ઝૂંપડા પડી ગયા પણ કોઈ સહાય ન મળી

વાવાઝોડામાં ઝૂંપડા પડી ગયા હતા ત્યારે સરકારની કોઈ સહાય આવી નથી. પશુને ઘાસચારો નથી. અમારે ખાવાનું બધું પલળી ગયું છે. કોઈ પ્રકારની સહાય આવી નથી. હજારો પશુ અહીં નેસડામાં છે. બધા પશુ પણ ભૂખ્યા છે. રસ્તા હજી બંધ છે અમારા પશુ ક્યાં ચરવા જાય.

આ પણ વાંચો- Surat Textile Industry - કોરોનાની બીજી લહેરમાં સુરત કાપડ ઉદ્યોગને દૈનિક 300થી 350 કરોડ રૂપિયાનું નુકસાન


નેસડામાં મુલાકાત લઈ નેતાએ સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો

વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા નેસડામાં મુલાકાત લઈ પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરાયો હતો ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ચા પીવડાવી હતી અને સાથે ચારણ પરિવારના યુવક દ્વારા ભજન ગાઈ મનોરંજન પણ કરાવ્યું હતું. માલધારીઓની વેદના સાંભળવા માટે વિપક્ષ નેતા અહીં બાઇક લઈ પહોંચ્યા હતા.

વિપક્ષ નેતા ધાનાણી દ્વારા પેકેજની માગ કરાઈ

વિપક્ષના નેતા પરેશ ધાનાણીની માગ છે કે, આ માલધારીની પડખે સરકાર આવે તે જરૂરી છે. માલધારીના નેસડા ભાંગી ગયા છે. ઘાસચારાની મોટી અછત છે. માલધારીઓ માટે રાહત પેકેજ આપી મદદ કરવાની માગણી કરું છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.