અમરેલી-અમરેલીના બગસરાના કોથમી અને મેથીની ખેતી કરતાં ખેડૂતો રોષમાં (Amreli Farmers Grudge ) છે. આ અંગે વાત કરીએ તો કોથમીરનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે થાય છે પરંતુ અહીં ખેડૂતનો જ સ્વાદ બગડી ગયો છે. કારણ કે બજારમાં કોથમીર ખૂબ મોંઘી વેચાઇ રહી હતી. ઘણી વખત તેનો ભાવ ત્રણસોથી ચારસો રૂપિયા પ્રતિ કિલો હોય છે. સામાન્ય રીતે ધાણાં વાવ્યાં બાદ તેના પાંદડા દેખાવામાં લગભગ એકથી દોઢ મહિનાનો (Crops of coriander and fenugreek)સમય લાગે છે.
ખેડૂતો ધાણાને મેથી વાવીને પછતાણા - આ વિશેે ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેને મેથી અને ધાણા વાવવામાં સખત મહેનત લાગે છે. મોંઘા ભાવના બિયારણો ખાતર વાપરીયા એક દોઢ મહિને ધાણા અને મેથી તૈયાર થાય છે . આવી 42 43 ડિગ્રીમાં ધાણાના પાકને પૂરતા પ્રમાણમાં પાણી (Crops of coriander and fenugreek)આપવું પડે છે, નહીં તો પાક બળી જાય છે, ત્યારબાદ તેને વેચવા જવા માટે તૈયાર થાય છે.
આ પણ વાંચોઃ Wheat Prices Rise In Gujarat: યુક્રેન-રશિયાના યુદ્ધની અસર ઘઉં પર, જાણો કેટલો વધ્યો ભાવ
યાર્ડમાં ભાવ ન મળતાં પસ્તાયાં ખેડૂતો - ખેડૂતો તેને યાર્ડમાં વેચવા માટે લઈ જાય છે ત્યારે તેનો કોથમીરનો ભાવ કિલોના 15 થી 20 રૂપિયા (Amreli farmers angry over not geting of crop price)હોય છે અને મેથી 20 રૂપિયા ભાવ મળે છે. જ્યારે ખેડૂતે ધાણાને મેથી (Crops of coriander and fenugreek)વાવ્યાં હતાં ત્યારે કોથમીરના 150 કિલોના ભાવ હતાં.
આ પણ વાંચોઃ ત્રણ વર્ષથી બાજરીના ભાવ ન વધતાં ખેડૂતો થયાં નિરાશ
ગાયોને ખવડાવી દીધી - ભાવ નીચો મળતાં પોતાનું મહેનતાણું પણ ન મળતા ખેડૂતોએ મેથી અને કોથમીર ગાયને ખવડાવીને રોષ (Amreli Farmers Grudge ) વ્યક્ત કર્યો હતો. ખેડૂતોએ સારા પ્રમાણમાં મેથી અને કોથમીરનું વાવેતર કર્યું છે. પણ પોષણક્ષમ ભાવ ન મળતાં ગાયને (Amreli farmers angry over not geting of crop price)ખવડાવી દેવામાં આવી હતી. ખેડૂતોને સરકાર દ્વારા આવા પાક (Crops of coriander and fenugreek) માટે કંઈક વિચાર કરવો જોઈએ. જેથી કરીને ખેડૂતોને આવી નુકસાની ભોગવવી ન પડે.