અમરેલીઃ જિલ્લાના લાઠી શહેરમાં દીવાલ ધરાશાી થતાતેની નીચે દબાઈ જવાથી બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે, 3 લોકોનો આબાદ બચાવ થયો.
અમરેલીના લાઠી શહેરના નીલકંઠ શેરી વિસ્તારમાં દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેમાં દીવાલ નીચે દબાતા બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે, મકાન પાડવાની કામગીરી દરમિયાન આ સંપૂર્ણ ઘટના બની હતી.
દીવાલ ધરાશાયી થવાના સમયે 5 વ્યક્તિઓ કામ કરી રહ્યા હતા. સાફ સફાઈ કરતી વેળાએ અચાનક દીવાલ ધરાશાયી થતા બે લોકો નીચે દબાયા હતા, બંનેને સ્થાનિકો દ્વારા કાટમાળ નીચેથી બહાર કાઢી લાઠીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે બંન્નેને મૃત જાહેર કર્યા હતા.