અમદાવાદ : શહેરના અમરાઈવાડીના સત્યનારાયણ નગરમાં આવેલી રાવજી પટેલની ચાલી ખાતે મોડી રાતથી વહેલી સવારના સમય વચ્ચે ભોલા નામના એક યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરતા આ હત્યા કરનાર દિલીપ ઉર્ફે ટાઇગર અને તેની સાથે અન્ય શખ્સો હતા.
અમદાવાદમાં યુવતીની બાબતે તલવારના ઘા મારી યુવકની હત્યા કરાઇ
શહેરનાં અમરાઈવાડી વિસ્તારમાં એક યુવકને અંગત અદાવતમાં તલવારના 10થી વધુ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ મામલે પરિવારનો આક્ષેપ છે કે, હત્યા કરનાર દિલીપ ઉર્ફે ટાઇગરનો આ વિસ્તારમાં ત્રાસ હતો અને અંગત અદાવતમાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે.
યુવતીની બાબતે યુવકની તલવારના 10થી વધુ ઘા મારી હત્યા
અમદાવાદ : શહેરના અમરાઈવાડીના સત્યનારાયણ નગરમાં આવેલી રાવજી પટેલની ચાલી ખાતે મોડી રાતથી વહેલી સવારના સમય વચ્ચે ભોલા નામના એક યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરતા આ હત્યા કરનાર દિલીપ ઉર્ફે ટાઇગર અને તેની સાથે અન્ય શખ્સો હતા.