ETV Bharat / state

Tista Discharge Petition : તિસ્તા સેતલવાડની ડિસ્ચાર્જ અરજી પર બંને પક્ષની દલીલો પૂર્ણ, 20 જુલાઈએ ચૂકાદો આવશે

સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની ડિસ્ચાર્જ અરજી પર અમદાવાદ સેશન્સ કોર્ટમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ચૂકી છે. આજે સરકાર દ્વારા ડિસ્ચાર્જ અરજી મંજૂર ન કરવા રજૂઆત કરવામાં આવી હતી. તિસ્તાની ડિસ્ચાર્જ અરજી પર 20 જુલાઈએ ચુકાદો આવશે.

author img

By

Published : Jul 12, 2023, 9:32 PM IST

Tista Discharge Petition : તિસ્તા સેતલવાડની ડિસ્ચાર્જ અરજી પર બંને પક્ષની દલીલો પૂર્ણ, 20 જુલાઈએ ચૂકાદો આવશે
Tista Discharge Petition : તિસ્તા સેતલવાડની ડિસ્ચાર્જ અરજી પર બંને પક્ષની દલીલો પૂર્ણ, 20 જુલાઈએ ચૂકાદો આવશે

અમદાવાદ : સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડે અમદાવાદ સેશન્સ કોર્ટમાં 2002ના રમખાણ કેસમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી છે. છેલ્લા ચાર દિવસથી આ કેસમાં સુનાવણી ચાલી રહી છે. આજે આ કેસમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે તિસ્તાના એડવોકેટ તરફથી સુનાવણી પૂર્ણ થઈ હતી અને આજે રાજ્ય સરકાર તરફથી પણ દલીલો પૂર્ણ થઈ ગઈ છે ત્યારે હવે 20 જુલાઈએ આ કેસમાં ચૂકાદો આવશે.

શું થયું અત્યાર સુધીની સુનાવણીમાં : તિસ્તા દ્વારા કરવામાં આવેલી આ અરજીમાં સરકારી વકીલે વિરોધ કર્યો હતો. આરોપી સામે મળેલા પુરાવાઓ અને ગંભીર ગુનાને ધ્યાનમાં રાખીને તેમને કેસમાંથી ડિસ્ચાર્જ આપી શકાય નહીં. જ્યારે તિસ્તાના વકીલ તરફથી ડિસ્ચાર્જ અરજીને મંજૂર કરવાની રજૂઆત કરવામાં આવી હતી. તેમના તરફથી દલીલ કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટ દ્વારા ઓર્ડર કરાયો હતો કે એસઆઈટી તિસ્તા સેતલવાડના 2006 પહેલાંના રોલ પર ઇન્વેસ્ટિગેશન નહીં કરી શકે. આ સાથે જ રમખાણોના કેસોમાં પીડિતો અને સાક્ષીઓ દ્વારા જે નિવેદનો આપ્યાં હતાં તે તેમની મરજીપૂર્વક આપવામાં આવ્યા હતાં. સાક્ષી ઉપર કોઈપણ પ્રકારનું નિવેદન આપવા માટે દબાણ આપવામાં આવ્યું ન હતું.

ડિસ્ચાર્જ અરજી મંજૂર ન કરવા રજૂઆત : સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટ બચાવ પક્ષ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે સરકારે તિસ્તાની ડિસ્ચાર્જ અરજી મંજૂર ન કરવા રજૂઆત કરી હતી. જ્યારે સંજીવ ભટ્ટના એડવોકેટ મનીષ ઓઝાએ કોર્ટમાં કહ્યું હતું કે, સંજીવ ભટ્ટના કેસમાં પબ્લિક પ્રોસિક્યુટરે કેટલાક સિલેક્ટેડ ડોક્યુમેન્ટ પર આધાર રાખ્યો છે. જે તેમને પણ પ્રોવાઈડ કરવામાં આવે. આ મુદ્દે સંજીવ ભટ્ટ દ્વારા એસઆઇટી અને નાણાવટી કમિશનને ફૅક્સ કરીને તમામ ડોક્યુમેન્ટસ મંગાવવામાં આવ્યા હતાં.

20 જુલાઈએ ચૂકાદો :અત્રે નોંધનીય છે કે 20 જુલાઈએ જ્યારે ચૂકાદો આવશે ત્યારે એ જાણવું અત્યંત રસપ્રદ બની રહેશે કે તિસ્તાને સેશન્સ કોર્ટમાંથી રાહત મળે છે કે નહીં. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વર્ષ 2002 નાં રમખાણો બાદ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરનાર તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર. બી. શ્રીકુમાર અને પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સામે એસઆઈટીની તપાસ ચાલી રહી છે.

  1. Tista Discharge Petition : તિસ્તાની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરવા તિસ્તાના વકીલની સેસન્સ કોર્ટમાં રજૂઆત
  2. Tista setalvad case in Sessions Court : ગુજરાત વિરોધી ષડયંત્રમાં તીસ્તાએ ઝાકિયા જાફરીનો ઉપયોગ કર્યો
  3. દેવી-દેવતાના વાંધાજનક ફોટો અપલોડ કરવા બદલ તિસ્તા સેતલવાડ સામેની ફરિયાદ હાઈકોર્ટે રદ્દ કરી

અમદાવાદ : સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડે અમદાવાદ સેશન્સ કોર્ટમાં 2002ના રમખાણ કેસમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી છે. છેલ્લા ચાર દિવસથી આ કેસમાં સુનાવણી ચાલી રહી છે. આજે આ કેસમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે તિસ્તાના એડવોકેટ તરફથી સુનાવણી પૂર્ણ થઈ હતી અને આજે રાજ્ય સરકાર તરફથી પણ દલીલો પૂર્ણ થઈ ગઈ છે ત્યારે હવે 20 જુલાઈએ આ કેસમાં ચૂકાદો આવશે.

શું થયું અત્યાર સુધીની સુનાવણીમાં : તિસ્તા દ્વારા કરવામાં આવેલી આ અરજીમાં સરકારી વકીલે વિરોધ કર્યો હતો. આરોપી સામે મળેલા પુરાવાઓ અને ગંભીર ગુનાને ધ્યાનમાં રાખીને તેમને કેસમાંથી ડિસ્ચાર્જ આપી શકાય નહીં. જ્યારે તિસ્તાના વકીલ તરફથી ડિસ્ચાર્જ અરજીને મંજૂર કરવાની રજૂઆત કરવામાં આવી હતી. તેમના તરફથી દલીલ કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટ દ્વારા ઓર્ડર કરાયો હતો કે એસઆઈટી તિસ્તા સેતલવાડના 2006 પહેલાંના રોલ પર ઇન્વેસ્ટિગેશન નહીં કરી શકે. આ સાથે જ રમખાણોના કેસોમાં પીડિતો અને સાક્ષીઓ દ્વારા જે નિવેદનો આપ્યાં હતાં તે તેમની મરજીપૂર્વક આપવામાં આવ્યા હતાં. સાક્ષી ઉપર કોઈપણ પ્રકારનું નિવેદન આપવા માટે દબાણ આપવામાં આવ્યું ન હતું.

ડિસ્ચાર્જ અરજી મંજૂર ન કરવા રજૂઆત : સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટ બચાવ પક્ષ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે સરકારે તિસ્તાની ડિસ્ચાર્જ અરજી મંજૂર ન કરવા રજૂઆત કરી હતી. જ્યારે સંજીવ ભટ્ટના એડવોકેટ મનીષ ઓઝાએ કોર્ટમાં કહ્યું હતું કે, સંજીવ ભટ્ટના કેસમાં પબ્લિક પ્રોસિક્યુટરે કેટલાક સિલેક્ટેડ ડોક્યુમેન્ટ પર આધાર રાખ્યો છે. જે તેમને પણ પ્રોવાઈડ કરવામાં આવે. આ મુદ્દે સંજીવ ભટ્ટ દ્વારા એસઆઇટી અને નાણાવટી કમિશનને ફૅક્સ કરીને તમામ ડોક્યુમેન્ટસ મંગાવવામાં આવ્યા હતાં.

20 જુલાઈએ ચૂકાદો :અત્રે નોંધનીય છે કે 20 જુલાઈએ જ્યારે ચૂકાદો આવશે ત્યારે એ જાણવું અત્યંત રસપ્રદ બની રહેશે કે તિસ્તાને સેશન્સ કોર્ટમાંથી રાહત મળે છે કે નહીં. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વર્ષ 2002 નાં રમખાણો બાદ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરનાર તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર. બી. શ્રીકુમાર અને પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સામે એસઆઈટીની તપાસ ચાલી રહી છે.

  1. Tista Discharge Petition : તિસ્તાની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરવા તિસ્તાના વકીલની સેસન્સ કોર્ટમાં રજૂઆત
  2. Tista setalvad case in Sessions Court : ગુજરાત વિરોધી ષડયંત્રમાં તીસ્તાએ ઝાકિયા જાફરીનો ઉપયોગ કર્યો
  3. દેવી-દેવતાના વાંધાજનક ફોટો અપલોડ કરવા બદલ તિસ્તા સેતલવાડ સામેની ફરિયાદ હાઈકોર્ટે રદ્દ કરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.