ETV Bharat / state

ભાડાના પૈસા લઈ કંડક્ટરે ટિકિટ ન આપી, હાઈકોર્ટે કંડકટરને બે સ્કેલ ઓછા પગારમાં કાયમી ફિક્સ પગાર પર નોકરીનો આદેશ યથાવત રાખ્યો

અમદાવાદઃ સામાન્ય રીતે બસમાં મુસાફરી દરમ્યાન છુટ્ટા પૈસાના અભાવને લીધે આપણે એકાદ કે બે રૂપિયા જત કરીએ છીએ ત્યારે GSTRCના કંડકટરને યાત્રી પાસેથી પૈસા લઈ ટિકિટ ન ફાળવાનો ગુનો ભારે પડયો છે. 16 વર્ષ પહેલાં GSRTCના કંડકટરે ભાડા પેટે પેંસેંન્જર પાસે 9 રૂપિયા લઈ ટિકિટ ન આપતા હાઈકોર્ટે કંડકટરના વર્તમાન પગાર-ધોરણમાંથી બે સ્કેલ ઓછા પગાર ધોરણમાં કાયમી ફિક્સ પગાર પર નોકરી કરવાના સિંગલ જજ અને નીચલી કોર્ટના આદેશને યથાવત રાખ્યો છે.

author img

By

Published : Jul 20, 2019, 11:46 PM IST

Updated : Jul 21, 2019, 12:10 PM IST

16 વર્ષ પહેલાના કેસના આદેશને હાઈકોર્ટે યથાવત રાખ્યો

કાર્યકારી ચીફ જસ્ટીસ અંનત દવે અને બિરેન વૈષ્ણવની ડિવિઝન બેન્ચે નીચલી કોર્ટના આદેશને યથાવત રાખતા મહત્વનું અવલોકન કર્યું હતું કે, આરોપી કંડક્ટર ચંદ્રકાંત પટેલ વિરૂદ્ધ આ કેસ સિવાય પણ પૈસા લઈ યાત્રીઓને ટિકિટ ન આપવાના 35 જેટલા ગુના નોંધાયેલા હોવાથી હાઈકોર્ટે રાહત ન આપી અગાઉ હાઈકોર્ટના સિંગલ જજ સી.એલ સોની અને ઈન્ડિસ્ટ્રિયલ ટ્રિબિયુનલ દ્વારા ફટકરાવામાં આવેલી સજાને યથાવત રાખી છે.

નીચલી કોર્ટ અને હાઈકોર્ટના સિંગલ જજના ચુકાદાને હાઈકોર્ટની ડબલ બેન્ચ સમક્ષ પડકારતા અરજદાર કંડેક્ટરના વકીલ સતીષ પંડ્યાએ દલીલ કરી હતી કે અરજદાર વિરૂદ્ધ પૈસા લઈ ટિકિટ ન આપવાના 35 જેટલા ગુના નોંધાયેલા છે. જેમાં સતાધિશ વિભાગ દ્વારા હળવી સજા કરવામાં આવી છે. જેથી માત્ર 9 રૂપિયાની ટિકિટ માટે આટલી કપરી સજા ન કરવામાં આવે. ફટકરાવામાં આવેલી સજાથી અરજદારને જીવનકાળની નોકરી દરમિયાન આશરે 15 લાખ રૂપિયાનો આર્થિક નુકસાન થશે. યાત્રી હસમુખ પટેલે ચેંકિગ ઈન્સપેક્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે તેમણે 9 રૂપિયા ભાડા પેટે કંડક્ટરને ચુકવ્યા હોવા છતાં ટિકિટ મળી નથી અને બાદમાં થયેલી તપાસ દરમિયાન ટિકિટ રજુ કરી હતી.

જેને લઇને હાઈકોર્ટે નોંધ કરી છે કે કંડેક્ટરની હાજરીમાં જ યાત્રી હસમુખ પટેલનું નિવેદન લેવામાં આવ્યું અને તેવી જ રીતે ચેકિંગ ઈન્સપેક્ટર દ્વારા કંડક્ટરનો નિવેદન લેવામાં આવ્યું હતું. યાત્રી હસમુખ પટેલે નિવેદનમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે ભાડા પેટે 9 રૂપિયા ચુકવ્યા છતાં કંડેક્ટર દ્વારા ટિકિટ આપવામાં આવી નથી. અરજદાર કંડેક્ટરે પણ નિવેદનમાં જણાવ્યું હતું કે યાત્રી અભણ હોવાથી લેખિત નિવેદન વાંચી અને તેને સંભળાવ્યા બાદ તેમનો અંગુઠો લઇ લેવામાં આવ્યો હતો. એટલું જ નહિ ચેકિંગ ઈન્સપેક્ટર અને તપાસ અધિકારીને આપેલા નિવેદનમાં એક મહિના જેટલો તફાવત હોવાથી યાત્રી દ્વારા તપાસ અધિકારી સમક્ષ ટિકિટ રજુ કરાઈ હોવા છતાં અરજદાર કંડક્ટર પોતાના નિવેદનથી ફરી શકતા નથી. હાઈકોર્ટે ચેકિંગ ઈન્સપેક્ટરની તપાસને ખરી અને યોગ્ય હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ કેસમાં ખાતાકીય તપાસ બાદ વર્ષ 2014માં ઈન્ડિસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ દ્વારા કંડક્ટરને વર્તમાન પગાર-ધોરણમાંથી બે સ્કેલ ઓછા પગાર ધોરણમાં કાયમી ફિક્સ પગાર પર નોકરી કરવાનો આદેશ આપ્યો હતો. જેને 4 વર્ષ બાદ હાઈકોર્ટના સિંગલ જજ સમક્ષ બાદ ડબલ બેન્ચે પણ યથાવત રાખ્યો હતો.

આ સમગ્ર કેસની વિગત મુજબ વર્ષ 2003માં યાત્રી હસમુખ ભાઈ GSRTCની બસમાં બીલીમોરા પાસે આવેલા ચીખલીથી અંબાચ જઈ રહ્યાં હતા. ત્યારે કંડક્ટર ચંદ્રકાંત પટેલને ભાડા પેટે 9 રૂપિયા ચુકવ્યા હોવા છતાં ટિકિટ આપી ન હતી અને એટલામાં ખુદવેલ નામની જગ્યા પાસેથી ટિકિટ ચેકિંગ ઈન્સપેક્ટર બસમાં આવતા ટિકિટની તપાસ કરવામાં આવી હતી અને યાત્રી હસમુખભાઈ પાસેથી ટિકિટની માગ કરવામાં આવી હતી. જોકે ટિકિટ ન મળતા સમગ્ર સ્થિતિનો ભાંઠો ફુટ્યો હતો. યાત્રી હસમુખ ભાઈના નિવેદન બાદ કંડક્ટર વિરૂધ ખાતાકીય તપાસ શરૂ થઈ હતી અને વર્ષ 2009માં ઈન્ડસ્ટ્રિયલ ટ્રિબ્યુનલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

અમદાવાદથી રિપોર્ટર આકિબ છીપાનો વિશેષ અહેવાલ.

કાર્યકારી ચીફ જસ્ટીસ અંનત દવે અને બિરેન વૈષ્ણવની ડિવિઝન બેન્ચે નીચલી કોર્ટના આદેશને યથાવત રાખતા મહત્વનું અવલોકન કર્યું હતું કે, આરોપી કંડક્ટર ચંદ્રકાંત પટેલ વિરૂદ્ધ આ કેસ સિવાય પણ પૈસા લઈ યાત્રીઓને ટિકિટ ન આપવાના 35 જેટલા ગુના નોંધાયેલા હોવાથી હાઈકોર્ટે રાહત ન આપી અગાઉ હાઈકોર્ટના સિંગલ જજ સી.એલ સોની અને ઈન્ડિસ્ટ્રિયલ ટ્રિબિયુનલ દ્વારા ફટકરાવામાં આવેલી સજાને યથાવત રાખી છે.

નીચલી કોર્ટ અને હાઈકોર્ટના સિંગલ જજના ચુકાદાને હાઈકોર્ટની ડબલ બેન્ચ સમક્ષ પડકારતા અરજદાર કંડેક્ટરના વકીલ સતીષ પંડ્યાએ દલીલ કરી હતી કે અરજદાર વિરૂદ્ધ પૈસા લઈ ટિકિટ ન આપવાના 35 જેટલા ગુના નોંધાયેલા છે. જેમાં સતાધિશ વિભાગ દ્વારા હળવી સજા કરવામાં આવી છે. જેથી માત્ર 9 રૂપિયાની ટિકિટ માટે આટલી કપરી સજા ન કરવામાં આવે. ફટકરાવામાં આવેલી સજાથી અરજદારને જીવનકાળની નોકરી દરમિયાન આશરે 15 લાખ રૂપિયાનો આર્થિક નુકસાન થશે. યાત્રી હસમુખ પટેલે ચેંકિગ ઈન્સપેક્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે તેમણે 9 રૂપિયા ભાડા પેટે કંડક્ટરને ચુકવ્યા હોવા છતાં ટિકિટ મળી નથી અને બાદમાં થયેલી તપાસ દરમિયાન ટિકિટ રજુ કરી હતી.

જેને લઇને હાઈકોર્ટે નોંધ કરી છે કે કંડેક્ટરની હાજરીમાં જ યાત્રી હસમુખ પટેલનું નિવેદન લેવામાં આવ્યું અને તેવી જ રીતે ચેકિંગ ઈન્સપેક્ટર દ્વારા કંડક્ટરનો નિવેદન લેવામાં આવ્યું હતું. યાત્રી હસમુખ પટેલે નિવેદનમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે ભાડા પેટે 9 રૂપિયા ચુકવ્યા છતાં કંડેક્ટર દ્વારા ટિકિટ આપવામાં આવી નથી. અરજદાર કંડેક્ટરે પણ નિવેદનમાં જણાવ્યું હતું કે યાત્રી અભણ હોવાથી લેખિત નિવેદન વાંચી અને તેને સંભળાવ્યા બાદ તેમનો અંગુઠો લઇ લેવામાં આવ્યો હતો. એટલું જ નહિ ચેકિંગ ઈન્સપેક્ટર અને તપાસ અધિકારીને આપેલા નિવેદનમાં એક મહિના જેટલો તફાવત હોવાથી યાત્રી દ્વારા તપાસ અધિકારી સમક્ષ ટિકિટ રજુ કરાઈ હોવા છતાં અરજદાર કંડક્ટર પોતાના નિવેદનથી ફરી શકતા નથી. હાઈકોર્ટે ચેકિંગ ઈન્સપેક્ટરની તપાસને ખરી અને યોગ્ય હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ કેસમાં ખાતાકીય તપાસ બાદ વર્ષ 2014માં ઈન્ડિસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ દ્વારા કંડક્ટરને વર્તમાન પગાર-ધોરણમાંથી બે સ્કેલ ઓછા પગાર ધોરણમાં કાયમી ફિક્સ પગાર પર નોકરી કરવાનો આદેશ આપ્યો હતો. જેને 4 વર્ષ બાદ હાઈકોર્ટના સિંગલ જજ સમક્ષ બાદ ડબલ બેન્ચે પણ યથાવત રાખ્યો હતો.

આ સમગ્ર કેસની વિગત મુજબ વર્ષ 2003માં યાત્રી હસમુખ ભાઈ GSRTCની બસમાં બીલીમોરા પાસે આવેલા ચીખલીથી અંબાચ જઈ રહ્યાં હતા. ત્યારે કંડક્ટર ચંદ્રકાંત પટેલને ભાડા પેટે 9 રૂપિયા ચુકવ્યા હોવા છતાં ટિકિટ આપી ન હતી અને એટલામાં ખુદવેલ નામની જગ્યા પાસેથી ટિકિટ ચેકિંગ ઈન્સપેક્ટર બસમાં આવતા ટિકિટની તપાસ કરવામાં આવી હતી અને યાત્રી હસમુખભાઈ પાસેથી ટિકિટની માગ કરવામાં આવી હતી. જોકે ટિકિટ ન મળતા સમગ્ર સ્થિતિનો ભાંઠો ફુટ્યો હતો. યાત્રી હસમુખ ભાઈના નિવેદન બાદ કંડક્ટર વિરૂધ ખાતાકીય તપાસ શરૂ થઈ હતી અને વર્ષ 2009માં ઈન્ડસ્ટ્રિયલ ટ્રિબ્યુનલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

અમદાવાદથી રિપોર્ટર આકિબ છીપાનો વિશેષ અહેવાલ.

Intro:( નોટ - આ સ્ટોરીમાં બાઈ-લાઈન આપવી - ભરત પંચાલ સર)

સામાન્ય રીતે બસમાં મુસાફરી દરમ્યાન છુટ્ટા પૈસાના અભાવને લીધે આપણે એકાદ કે બે રૂપિયા જત કરીએ છીએ ત્યારે GSTRCના કંડકટરને યાત્રી પાસેથી પૈસા લઈ ટિકિટ ન ફાળવાનો ગુનો ભારે પડયો છે. 16 વર્ષ પહેલાં GSRTCના કંડકટરે ભાડા પેટે પેંસેંન્જર પાસે 9 રૂપિયા લઈ ટિકિટ ન આપતા હાઈકોર્ટે કંડકટરના વર્તમાન પગાર-ધોરણમાંથી બે સ્કેલ ઓછા પગાર ધોરણમાં કાયમી ફિક્સ પગાર પર નોકરી કરવાના સિંગલ જજ અને નીચલી કોર્ટના આદેશને યથાવત રાખ્યો છે.Body:કાર્યકારી ચીફ જસ્ટીસ અંનત દવે અને બિરેન વૈષ્ણવની ડિવિઝન બેન્ચે નીચલી કોર્ટના આદેશને યથાવત રાખતા મહત્વનું અવલોકન કર્યું હતું કે આરોપી કંડક્ટર ચંદ્રકાંત પટેલ વિરૂધ આ કેસ સિવાય પણ પૈસા લઈ યાત્રીઓને ટિકિટ ન આપવાના 35 જેટલા ગુના નોંધાયેલા હોવાથી હાઈકોર્ટે રાહત ન આપી અગાઉ હાઈકોર્ટના સિંગલ જજ સી.એલ સોની અને ઈન્ડિસ્ટ્રિયલ ટ્રિબિયુનલ દ્વારા ફટકરાવામાં આવેલી સજાને યથાવત રાખી છે...

નીચલી કોર્ટ અને હાઈકોર્ટના સિંગલ જજના ચુકાદાને હાઈકોર્ટની ડબલ બેન્ચ સમક્ષ પડકારતા અરજદાર કંડકટરના વકીલ સતીષ પંડયાએ દલીલ કરી હતી કે અરજદાર વિરૂધ પૈસા લઈ ટિકિટ ન આપવાના 35 જેટલા ગુના નોંધાયેલા છે જેમાં સતાધિશ વિભાગ દ્વારા હળવી સજા કરવામાં આવી છે જેથી માત્ર 9 રૂપિયાની ટિકિટ માટે આટલી કપરી સજા ન કરવામાં આવે. ફટકરાવામાં આવેલી સજાથી અરજદારને જીવનકાળની નોકરી દરમ્યાન આશરે 15 લાખ રૂપિયાનો આર્થિક નુકસાન થશે...યાત્રી હસમુખ પટેલે ચેંકિગ ઈન્સપેક્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે તેમણે 9 રૂપિયા ભાડા પેટે કંડક્ટરને ચુકવ્યા હોવા છતાં ટિકિટ મળી નથી અને બાદમાં થયેલી તપાસ દરમ્યાન ટિકિટ રજુ કરી હતી...

હાઈકોર્ટે નોધ્યું છે કે કંડકટરની હાજરીમાં જ યાત્રી હસમુખ પટેલનું નિવેદન લેવામાં આવ્યું છે અને તેવી જ રીતે ચેકિંગ ઈન્સપેક્ટર દ્વારા કંડક્ટરનો નિવેદન લેવામાં આવ્યું હતું. યાત્રી હસમુખ પટેલે નિવેદનમાં સપષ્ટ રીતે જણાવ્યું હતું કે ભાડા પેટે 9 રૂપિયા ચુકવ્યા છતાં કંડકટર દ્વારા ટિકિટ આપવામાં આવી નથી..અરજદાર કંડકટરે પણ નિવેદનમાં જણાવ્યું હતું કે યાત્રી અભણ હોવાથી લેખિત નિવેદન વાંચી સંભડાવ્યા બાદ તેમનો અંગુઠો લેવામાં આવ્યો હતો. એટલું જ નહિ ચેકિંગ ઈન્સપેક્ટર અને તપાસ અધિકારીને આપેલા નિવેદનમાં એક મહિના જેટલો તફાવત હોવાથી યાત્રી દ્વારા તપાસ અધિકારી સમક્ષ ટિકિટ રજુ કરાઈ હોવા છતાં અરજદાર કંડક્ટર પોતાના નિવેદનથી ફરી શકતા નથી. હાઈકોર્ટે ચેકિંગ ઈન્સપેક્ટરની તપાસને ખરી અને યોગ્ય હોવાનું જણાવ્યું હતું....

ઉલ્લેખનીય છે કે આ કેસમાં ખાતાકીય તપાસ બાદ વર્ષ 2014માં ઈન્ડિસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ દ્વારા કંડક્ટરને વર્તમાન પગાર-ધોરણમાંથી બે સ્કેલ ઓછા પગાર ધોરણમાં કાયમી ફિક્સ પગાર પર નોકરી કરવાનો આદેશ આપ્યો હતો. જેને 4 વર્ષ બાદ હાઈકોર્ટના સિંગલ જજ સમક્ષ બાદ ડબલ બેન્ચે પણ યથાવત રાખ્યો હતો..Conclusion:આ સમગ્ર કેસની વિગત એવી છે કે વર્ષ 2003માં યાત્રી હસમુખ ભાઈ GSRTCની બસમાં બીલીમોરા પાસે આવેલા ચીખલી થી અંબાચ જઈ રહ્યાં હતા ત્યારે કંડક્ટર ચંદ્રકાંત પટેલને ભાડા પેટે 9 રૂપિયા ચુકવ્યા છોવા થતાં ટિકિટ આપી ન હતી અને એટલામાં ખુદવેલ નામની જગ્યા પાસેથી ટિકિટ ચેકિંગ ઈન્સપેક્ટર બસમાં આવતા ટિકિટની તપાસ કરવામાં આવી હતી અને યાત્રી હસમુખ ભાઈ પાસેથી ટિકિટની માંગ કરવામાં આવી હતી જોકે ટિકિટ ન મળતા સમગ્ર સ્થિતિનો ભાંઠો ફુટ્યો હતો.. યાત્રી હસમુખ ભાઈના નિવેદન બાદ કંડક્ટર વિરૂધ ખાતાકીય તપાસ શરૂ થઈ હતી અને વર્ષ 2009માં ઈન્ડસ્ટ્રિયલ ટ્રિબ્યુનલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી....

અમદાવાદથી રિપોર્ટર આકિબ છીપાનો વિશેષ અહેવાલ.....................
Last Updated : Jul 21, 2019, 12:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.