ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યુનિટી : અસરગ્રસ્ત ખેડૂતોની સમસ્યાને વાચા આપવા હાઈકોર્ટે કમિટિની રચના કરવાની ભલામણ કરી

author img

By

Published : Jan 29, 2020, 7:03 PM IST

ગુજરાતની શાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પ્રવાસન સ્થળ વિકસાવવાના રાજ્ય સરકારના નિર્ણયને અનુલક્ષીને કરવામાં આવેલા જમીન સંપાદનથી નાખુશ ખેડૂતોએ હાઈકોર્ટમાં કરેલી જાહેરહિતની અરજી ટકવાપાત્ર નથી. તેવી રાજ્ય સરકારની દલીલ સામે બુધવારે ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને એ.જે શાસ્ત્રીની ખંડપીઠે અરજદારના વકીલ સમક્ષ કમિટિની રચના થકી સમસ્યાનો નિકાલ લાવી શકાય તેવી ભલામણ કરી હતી. અરજદારના વકીલે આ મુદે અસરગ્રસ્ત જમીનમાલિકો પાસે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાની રજૂઆત કરતા આ મામલે વધુ સુનાવણી 31મી જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

amd
અમદાવાદ

અમદાવાદ : હાઈકોર્ટે ભલામણ કરતા અરજદારના વકીલને જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત જમીનધારકોની સમસ્યા સાંભળવા અને નિવારણ લાવવા માટે કમિટિની રચના કરવામાં આવે. આ કમિટિમાં કાયદાકીય અધિકારી, પ્રોજેક્ટ ઓફિસર, સંબંધિત સમુદાયના બે સભ્યનો સમાવેશ કરવામાં આવશે. અરજદારના વકીલે આ મુદે જમીનધારકો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાનો આદેશ કર્યો હતો. મંગળવારે થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે અસરગ્રસ્ત જમીન-માલિકોને વ્યકિતગત રિટ દાખલ કરવા ટકોર કરી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી : અસરગ્રસ્ત ખેડૂતોની સમસ્યાને વાંચા આપવા હાઈકોર્ટે કમિટિની રચના કરવાની ભલામણ કરી

હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ અરજદારના વકીલે દલીલ કરી હતી કે, તમામ અસરગ્રસ્ત લોકો અનુસુચિત જનજાતિ સાથે સંકાળાયેલા છે. ગરીબી અનને આર્થિક રીતે નબળા છે. તેમની જાહેરહિતની અરજીને માન્ય રાખવામાં આવે. હાઈકોર્ટે અરજદારના વકીલને અસરગ્રસ્ત ખેડૂતોના રેકોર્ડ અને વારસાની વિગતો સાથે અલગ અલગ રિટ દાખલ કરવા ટકોર કરી હતી. આ મુદે સરકાર તરફે રજુઆત કરવામાં આવી હતી.

અસરગ્રસ્તોને બધી સુવિધા મળી રહે તેવા 6 થી 8 જેટલા આદર્શ ગામ બનાવવા અમે તૈયાર છીએ. અગાઉ રાજ્ય સરકાર તરફે મૌખિક રજુઆત કરવામાં આવી હતી કે, જેમ સરદાર સરોવર યોજના માટે જમીન આપનાર લોકોને સરકાર દ્વારા અન્ય જગ્યાએ જમીન આપવામાં આવી છે. એટલું જ નહિ પરિવારના સભ્યને નોકરી આપવાની પણ તૈયારી બતાવવામાં આવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે થયેલી જાહેરહિતની અરજી મુદે નિવેદન આપતા સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે, જે ખેડૂતોએ પ્રોજેક્ટ માટે જમીન ફાળવી છે. તેમના માટે અન્ય બે મોનિટરી યોજના થકી આર્થિક સહાય કરવામાં આવશે. સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના વિસ્તારના ગામોને ગોકુળગામ બનાવવાની દલીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાસેના નર્મદા જીલ્લાના કેવડિયા તાલુકાના નવા ગામ, વાગડિયા, ગોરા, અને કોઠી સહિતના 6 ગામમાં જમીન સંપાદન બાબતે રાજ્ય સરકાર દ્વારા ચુકવામાં આવેલી રકમથી નાખુશ ખેડૂતોએ રિટ દાખલ કરતા કોર્ટે નોટીસ કાઢી ખુલાસો માંગ્યો હતો. જ્યારે વિવાદાસ્પદ જમીન પર વચ્ચગાળાનો સ્ટે આપી કોઈ જ પ્રકારની કાર્યવાહી અથવા કામગીરી ન કરવાનો હુકમ આપ્યો છે.

કોર્ટે સ્ટે આપતા સમયે 6 ગામમાંથી અન્ય લોકોને સ્થળાંતર ન કરવાનો રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. પર્યાવરણ કાર્યકર્તા મહેશ પંડયા દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. અરજદાર દ્વારા દાખલ પીટીશનમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સરકાર જમીન સંપાદનના નિયમોનું યોગ્ય પાલન કર્યા વગર પ્રવાસન સ્થળ વિકસાવવા માટે આદિવાસીઓની જગ્યા છીનવી રહી છે.

રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે, સરદાર સરોવર ડેમ માટે વર્ષ 1960માં સરકાર દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી. જો કે, અરજદારનું કહેવું છે કે, સરકારે જમીનનો ઉપયોગ ન કરતા આદિવાસીઓ પાસે તેનો કબ્જો છે. સંપાદનને 58 વર્ષ થઈ ગયો હોવાથી સરકારનો કોઈ અધિકાર રહેતો નથી.

અમદાવાદ : હાઈકોર્ટે ભલામણ કરતા અરજદારના વકીલને જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત જમીનધારકોની સમસ્યા સાંભળવા અને નિવારણ લાવવા માટે કમિટિની રચના કરવામાં આવે. આ કમિટિમાં કાયદાકીય અધિકારી, પ્રોજેક્ટ ઓફિસર, સંબંધિત સમુદાયના બે સભ્યનો સમાવેશ કરવામાં આવશે. અરજદારના વકીલે આ મુદે જમીનધારકો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાનો આદેશ કર્યો હતો. મંગળવારે થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે અસરગ્રસ્ત જમીન-માલિકોને વ્યકિતગત રિટ દાખલ કરવા ટકોર કરી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી : અસરગ્રસ્ત ખેડૂતોની સમસ્યાને વાંચા આપવા હાઈકોર્ટે કમિટિની રચના કરવાની ભલામણ કરી

હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ અરજદારના વકીલે દલીલ કરી હતી કે, તમામ અસરગ્રસ્ત લોકો અનુસુચિત જનજાતિ સાથે સંકાળાયેલા છે. ગરીબી અનને આર્થિક રીતે નબળા છે. તેમની જાહેરહિતની અરજીને માન્ય રાખવામાં આવે. હાઈકોર્ટે અરજદારના વકીલને અસરગ્રસ્ત ખેડૂતોના રેકોર્ડ અને વારસાની વિગતો સાથે અલગ અલગ રિટ દાખલ કરવા ટકોર કરી હતી. આ મુદે સરકાર તરફે રજુઆત કરવામાં આવી હતી.

અસરગ્રસ્તોને બધી સુવિધા મળી રહે તેવા 6 થી 8 જેટલા આદર્શ ગામ બનાવવા અમે તૈયાર છીએ. અગાઉ રાજ્ય સરકાર તરફે મૌખિક રજુઆત કરવામાં આવી હતી કે, જેમ સરદાર સરોવર યોજના માટે જમીન આપનાર લોકોને સરકાર દ્વારા અન્ય જગ્યાએ જમીન આપવામાં આવી છે. એટલું જ નહિ પરિવારના સભ્યને નોકરી આપવાની પણ તૈયારી બતાવવામાં આવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે થયેલી જાહેરહિતની અરજી મુદે નિવેદન આપતા સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે, જે ખેડૂતોએ પ્રોજેક્ટ માટે જમીન ફાળવી છે. તેમના માટે અન્ય બે મોનિટરી યોજના થકી આર્થિક સહાય કરવામાં આવશે. સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના વિસ્તારના ગામોને ગોકુળગામ બનાવવાની દલીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાસેના નર્મદા જીલ્લાના કેવડિયા તાલુકાના નવા ગામ, વાગડિયા, ગોરા, અને કોઠી સહિતના 6 ગામમાં જમીન સંપાદન બાબતે રાજ્ય સરકાર દ્વારા ચુકવામાં આવેલી રકમથી નાખુશ ખેડૂતોએ રિટ દાખલ કરતા કોર્ટે નોટીસ કાઢી ખુલાસો માંગ્યો હતો. જ્યારે વિવાદાસ્પદ જમીન પર વચ્ચગાળાનો સ્ટે આપી કોઈ જ પ્રકારની કાર્યવાહી અથવા કામગીરી ન કરવાનો હુકમ આપ્યો છે.

કોર્ટે સ્ટે આપતા સમયે 6 ગામમાંથી અન્ય લોકોને સ્થળાંતર ન કરવાનો રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. પર્યાવરણ કાર્યકર્તા મહેશ પંડયા દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. અરજદાર દ્વારા દાખલ પીટીશનમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સરકાર જમીન સંપાદનના નિયમોનું યોગ્ય પાલન કર્યા વગર પ્રવાસન સ્થળ વિકસાવવા માટે આદિવાસીઓની જગ્યા છીનવી રહી છે.

રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે, સરદાર સરોવર ડેમ માટે વર્ષ 1960માં સરકાર દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી. જો કે, અરજદારનું કહેવું છે કે, સરકારે જમીનનો ઉપયોગ ન કરતા આદિવાસીઓ પાસે તેનો કબ્જો છે. સંપાદનને 58 વર્ષ થઈ ગયો હોવાથી સરકારનો કોઈ અધિકાર રહેતો નથી.

Intro:(નોંધ - આ સ્ટોરીની પીટુસી મોજોથી મોકલું છું)

ગુજરાતની શાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પ્રવાસન સ્થળ વિકસાવવાના રાજ્ય સરકારના નિર્ણયને અનુલક્ષીને કરવામાં આવેલા જમીન સંપાદનથી નાખુશ ખેડૂતોએ હાઈકોર્ટમાં કરેલી જાહેરહિતની અરજી ટકવાપાત્ર નથી તેવી રાજ્ય સરકારની દલીલ સામે બુધવારે ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને એ.જે શાસ્ત્રીની ખંડપીઠે અરજદારના વકીલ સમક્ષ કમિટિની રચના થકી સમસ્યાનો નિકાલ લાવી શકાય તેવી ભલામણ કરી હતી. અરજદારના વકીલે આ મુદે અસરગ્રસ્ત જમીનમાલિકો પાસે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાની રજુઆત કરતા આ મામલે વધું સુનાવણી 31મી જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. Body:હાઈકોર્ટે ભલામણ કરતા અરજદારના વકીલને જણાવ્યું હતું કે અસરગ્રસ્ત જમીનધારકોની સમસ્યા સાંભળવા અને નિવારણ લાવવા માટે કમિટિની રચના કરવામાં આવે. આ કમિટિમાં કાયદાકીય અધિકારી, પ્રોજેક્ટ ઓફિસર, સંબંધિત સમુદાયના બે સભ્યનો સમાવેશ કરવામાં આવશે. અરજદારના વકીલે આ મુદે જમીનધારકો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાનો આદેશ કર્યો હતો. મંગળવારે થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે અસરગ્રસ્ત જમીન-માલિકોને વ્યકિતગત રિટ દાખલ કરવા ટકોર કરી હતી.

હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ અરજદારના વકીલે દલીલ કરી હતી કે તમામ અસરગ્રસ્ત લોકો અનુસુચિત જનજાતિ સાથે સંકાળાયેલા છે. ગરીબી અનને આર્થિક રીતે નબળા છે તેમની જાહેરહિતની અરજીને માન્ય રાખવામાં આવે. હાઈકોર્ટે અરજદારના વકીલને અસરગ્રસ્ત ખેડૂતોના રેકોર્ડ અને વારસાની વિગતો સાથે અલગ અલગ રિટ દાખલ કરવા ટકોર કરી હતી. આ મુદે સરકાર તરફે રજુઆત કરવામાં આવી હતી અસરગ્રસ્તોને બધી સુવિધા મળી રહે તેવા 6 થી 8 જેટલા આર્દશ ગામ બનાવવા અમે તૈયાર છીએ. અગાઉ રાજ્ય સરકાર તરફે મૌખિક રજુઆત કરવામાં આવી હતી કે જેમ સરદાર સરોવર યોજના માટે જમીન આપનાર લોકોને સરકાર દ્વારા અન્ય જગ્યાએ જમીન આપવામાં આવી છે. એટલું જ નહિ પરિવારના સભ્યને નોકરી આપવાની પણ તૈયારી બતાવવામાં આવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે થયેલી જાહેરહિતની અરજી મુદે નિવેદન આપતા સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે જે ખેડૂતોએ પ્રોજેક્ટ માટે જમીન ફાળવી છે તેમના માટે અન્ય બે મોનિટરી યોજના થકી આર્થિક સહાય કરવામાં આવશે.. સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના વિસ્તારના ગામોને ગોકુળગામ બનાવવાની દલીલ કરી હતી...

ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાસેના નર્મદા જીલ્લાના કેવડિયા તાલુકાના નવા ગામ, વાગડિયા, ગોરા, અને કોઠી સહિતના 6 ગામમાં જમીન સંપાદન બાબતે રાજ્ય સરકાર દ્વારા ચુકવામાં આવેલી રકમથી નાખુશ ખેડૂતોએ રિટ દાખલ કરતા કોર્ટે નોટીસ કાઢી ખુલાસો માંગ્યો હતો. જ્યારે વિવાદાસ્પદ જમીન પર વચ્ચાગાળાનો સ્ટે આપી કોઈ જ પ્રકારની કાર્યવાહી અથવા કામગીરી ન કરવાનો હુકમ આપ્યો છે..

કોર્ટે સ્ટે આપતા સમયે 6 ગામમાંથી અન્ય લોકોને સ્થળાંતર ન કરવાનો રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો..પર્યાવરણ કાર્યકરતા મહેશ પંડયા દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. અરજદાર દ્વારા દાખલ પીટીશનમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરકાર જમીન સંપાદનના નિયમોનું યોગ્ય પાલન કર્યા વગર પ્રવાસન સ્થળ વિકસાવવા માટે આદિવાસીઓની જગ્યા છીનવી રહી છે..Conclusion:રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે સરદાર સરોવર ડેમ માટે વર્ષ 1960માં સરકાર દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી જોકે અરજદારનું કહેવું છે કે સરકારે જમીનનો ઉપયોગ ન કરતા આદિવાસીઓ પાસે તેનો કબ્જો છે..સંપાદનને 58 વર્ષ થઈ ગયો હોવાથી સરકારનો કોઈ અધિકાર રહેતો નથી..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.