ETV Bharat / state

અમદાવાદમાં પોલીસ અધિકારીના ઘરે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

author img

By

Published : Jun 14, 2021, 10:32 AM IST

અમદાવાદ શહેરના પોલીસ અધિકારીના ઘરે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે અસંખ્ય આરોપીઓની પૂછપરછ હાથ ધરી હતી. આખરે આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે આ ગુના પાછળ 200 જેટલા CCTV ચેક કરવામાં આવ્યા હતા.

પોલીસ અધિકારીના ઘરે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
પોલીસ અધિકારીના ઘરે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
  • SPના ઘરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
  • ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી
  • સરકારી વસાહતમાં મેન્ટેનન્સનું કામ કરતાએ ચોરીને અંજામ આપ્યો

અમદાવાદ : શહેરના એચ.ડી. વિઝન ખાતે ફરજ બજાવતા SP પી.એમ. પ્રજાપતિના ઘરે ઘરફોડ ચોરીની ઘટના બનવા પામી હતી. જે ઘટના પોલીસના સબ સલામતના દાવા પોકળ સાબિત કરતી હતી. ત્યારે પોલીસ માટે ચેલેન્જ બનેલી ઘટનાને પગલે ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

ચોરીના ગુનાને પોતાના મિત્રોની મદદથી અંજામ આપ્યો

જેમાં પોલીસે ઘરફોડ ચોરીની ઘટનાને પગલે પ્રથમ જ કોઇ જાણ ભેદુએ ઘટનાને અંજામ આપ્યો હોય તેવી દિશામાં તપાસ કરી હતી. જ્યારે તે દિશા પણ સાચી થવા પામી હતી. સરકારી વસાહતમાં મેન્ટેનન્સનું કામ કરતાએ સમગ્ર ચોરીના ગુનાને પોતાના મિત્રોની મદદથી અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો : ચોરીના ગુના અટકાવવા પારડી પોલીસનો નવતર પ્રયોગ, સાયકલ પર કરશે નાઈટ પેટ્રોલીંગ

મેન્ટેનન્સનું કામ કરતો હોવાથી ખ્યાલ હતો કે, SPના ઘરે કોઈ હાજર નથી

ક્રાઈમ બ્રાન્ચની પકડમાં રહેલા આરોપી જયદીપ સિંહ વાઘેલા ઉર્ફે મામુ વાઘેલા સરકારી વસાહતમાં જ રહે છે અને જે મેન્ટેનન્સનું કામ કરે છે. તેને ખ્યાલ આવ્યો હતો કે, બપોરના સમયે SPના ઘરે કોઈ હાજર નથી.

આ પણ વાંચો : અમદાવાદ : ઝારખંડથી મોબાઈલ ચોરી કરવા વિમાન મારફતે આવેલા 4 શખ્સો પોલીસ સકંજામાં

ACBના ઘરે થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

જેનો લાભ ઉઠાવી જયદીપસિંહ કે પોતાના મિત્ર આશિષ શેખ અને જયદીપ ઉર્ફે જગો ચૌહાણની મદદથી ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપ્યો હતો. જે ઘરફોડ ચોરીના મુદ્દામાલને વેચવા જતા ક્રાઈમ બ્રાન્ચને હાથે પકડાઇ ચૂક્યા હતા. ACBના ઘરે થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

  • SPના ઘરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
  • ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી
  • સરકારી વસાહતમાં મેન્ટેનન્સનું કામ કરતાએ ચોરીને અંજામ આપ્યો

અમદાવાદ : શહેરના એચ.ડી. વિઝન ખાતે ફરજ બજાવતા SP પી.એમ. પ્રજાપતિના ઘરે ઘરફોડ ચોરીની ઘટના બનવા પામી હતી. જે ઘટના પોલીસના સબ સલામતના દાવા પોકળ સાબિત કરતી હતી. ત્યારે પોલીસ માટે ચેલેન્જ બનેલી ઘટનાને પગલે ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

ચોરીના ગુનાને પોતાના મિત્રોની મદદથી અંજામ આપ્યો

જેમાં પોલીસે ઘરફોડ ચોરીની ઘટનાને પગલે પ્રથમ જ કોઇ જાણ ભેદુએ ઘટનાને અંજામ આપ્યો હોય તેવી દિશામાં તપાસ કરી હતી. જ્યારે તે દિશા પણ સાચી થવા પામી હતી. સરકારી વસાહતમાં મેન્ટેનન્સનું કામ કરતાએ સમગ્ર ચોરીના ગુનાને પોતાના મિત્રોની મદદથી અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો : ચોરીના ગુના અટકાવવા પારડી પોલીસનો નવતર પ્રયોગ, સાયકલ પર કરશે નાઈટ પેટ્રોલીંગ

મેન્ટેનન્સનું કામ કરતો હોવાથી ખ્યાલ હતો કે, SPના ઘરે કોઈ હાજર નથી

ક્રાઈમ બ્રાન્ચની પકડમાં રહેલા આરોપી જયદીપ સિંહ વાઘેલા ઉર્ફે મામુ વાઘેલા સરકારી વસાહતમાં જ રહે છે અને જે મેન્ટેનન્સનું કામ કરે છે. તેને ખ્યાલ આવ્યો હતો કે, બપોરના સમયે SPના ઘરે કોઈ હાજર નથી.

આ પણ વાંચો : અમદાવાદ : ઝારખંડથી મોબાઈલ ચોરી કરવા વિમાન મારફતે આવેલા 4 શખ્સો પોલીસ સકંજામાં

ACBના ઘરે થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

જેનો લાભ ઉઠાવી જયદીપસિંહ કે પોતાના મિત્ર આશિષ શેખ અને જયદીપ ઉર્ફે જગો ચૌહાણની મદદથી ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપ્યો હતો. જે ઘરફોડ ચોરીના મુદ્દામાલને વેચવા જતા ક્રાઈમ બ્રાન્ચને હાથે પકડાઇ ચૂક્યા હતા. ACBના ઘરે થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.