- જ્વેલર્સ એસોસિયેશન 30 એપ્રિલ સુધી રાખશે બંધ
- રિટેઇલ જ્વેલર્સ, હોલસેલ જ્વેલર્સ અને મેન્યુફેક્ચર કારીગર બંધમાં જોડાશે
- કોરોનાની ચેઇનને તોડવા માટે જ્વેલર્સ એસોસિયેશન દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે
અમદાવાદ : રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે વેપારી મંડળ અને એસોસિએશન દ્વારા સ્વયંભૂ લોકડાઉન કરી કોરોનાની ચેઇન તોડવા માટેનો પ્રયાસ કરવામાં આવે છે તેવામાં અમદાવાદના જ્વેલર્સ એસોસિયેશન દ્વારા 30 એપ્રિલ સુધી તમામ જ્વેલર્સ બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો - અમદાવાદમાં 30 લાખનું સોનુ લઈ મેનેજર ફરાર, ખાડિયા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે
અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના પ્રમુખ જીગર સોની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજવામાં આવેલી બેઠકમાં અપીલ કરવામાં આવી હતી કે, કોરોનાની ચેઇન તોડવા માટે સ્વયંભૂ લોકડાઉન જરૂરી છે. જેને લઇને જ્વેલર્સ એસોસિએશન દ્વારા 30 એપ્રિલ સુધીનું લોકડાઉન કરવા તમામ જ્વેલર્સને અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો - કોરોના સામેની લડાઈમાં આજથી અમદાવાદના 80 ટકા એસોસિએશનનું સ્વયંભૂ લોકડાઉન જાહેર
સ્વયંભૂ લોકડાઉનમાં રિટેલર જ્વેલર્સ, હોલસેલ જ્વેલર્સ, મેન્યુફેક્ચર તેમજ કારીગરો પણ જોડાશે
જીગર સોનીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્વેલર્સ એસોસિયેશન દ્વારા કરવામાં આવેલા સ્વયંભૂ લોકડાઉનમાં રિટેલર જ્વેલર્સ, હોલસેલ જ્વેલર્સ, મેન્યુફેક્ચર તેમજ કારીગરો પણ જોડાશે. ઉલ્લેખનીય છે કે, જ્વેલર્સ એસોસિયેશન દ્વારા કરવામાં આવેલા નિર્ણય અંગે તમામ લોકોનો અભિપ્રાય બાદ લેવામાં આવ્યો છે, ત્યારબાદ જ 30 એપ્રિલ સુધીનું સ્વૈચ્છિક લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે.